કોરોનાએ
તોડી નાખી
ચાતુર્વર્ણની વાડ.
સદીઓ પુરાણી વાડ !
સૌને કર્યા અસ્પૃશ્ય !
એક મેકથી દૂર !
ઘરમાં તાળાબંધ !
હવે
ન કોઈ સ્પૃશ્ય
ન કોઈ અસ્પૃશ્ય
કિંતુ
સર્વ કોઈ અસ્પૃશ્ય !
સર્વ સમાન !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020
કોરોનાએ
તોડી નાખી
ચાતુર્વર્ણની વાડ.
સદીઓ પુરાણી વાડ !
સૌને કર્યા અસ્પૃશ્ય !
એક મેકથી દૂર !
ઘરમાં તાળાબંધ !
હવે
ન કોઈ સ્પૃશ્ય
ન કોઈ અસ્પૃશ્ય
કિંતુ
સર્વ કોઈ અસ્પૃશ્ય !
સર્વ સમાન !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020
નવના ટકોરે
રોજ સવારે
એક મા
ડોરબેલ વગાડે છે !
લોકડાઉનમાં બારણે
એક જ તો
બેલ વાગે છે
રોજ !
મોઢે ઢાંકણ
આંગળીએ
બે સંતાનો
હાથમાં ઝાડુ !
નીડર છે
પણ ચૂપચાપ
કોરોનાને
હરાવે છે રોજ !
ઘરમાં જ રહો
કહેનારાઓનું અને
ઘરમાં જ રહેનારાઓનું
ઘર ચોખ્ખું કરે
રહીને ઘર બહાર !
કોરોના જશે
ઘરબાર ખુલશે
પણ એ મા
રોજ પાછી
બારણે
નવના ટકોરે !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020
વર્ષ ૨૦૦૧ની વસતિ ગણતરીમાં સ્થળાંતરિતોની કુલ સંખ્યા ૩૧.૪૫ કરોડ હતી, જે વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરીમા વધીને ૪૫.૩૬ કરોડ થઈ છે. સ્થળાંતરિતોમાં મહિલાઓનું પ્રમાણ ૭૦ ટકા ઊંચું છે. આશરે ૪૯ ટકા એટલે કે અડધાઅડધ લોકો લગ્નને કારણે સ્થળાંતર કરે છે.
વર્ષ ૨૦૦૧ની વસતિ ગણતરી વખતે કામધંધા અને રોજગારી માટે સ્થળાંતર કરતા લોકોનું પ્રમાણ ૧૪.૪ ટકા હતું, જે વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરી વખતે ઘટીને ૧૦.૨ ટકાએ પહોંચ્યું હતું. લગ્ન પછી રહેવાનું ગામ બદલાય તેને પણ તકનિકી દૃષ્ટિએ સ્થળાંતર ગણવામાં આવે છે. એટલે છેલ્લી ત્રણ વસતિ ગણતરીઓથી લગ્ન એ મહિલાઓ માટે સ્થળાંતરનું સૌથી મોટું કારણ ગણાય છે.
વર્ષ ૧૯૮૧-૧૯૯૧માં ૬૫.૯ ટકા મહિલાઓ, ૧૯૯૧-૨૦૦૧માં ૬૪.૯ ટકા મહિલાઓ અને ૨૦૦૧-૨૦૧૧માં ૬૯.૭ ટકા મહિલાઓ પોતે લગ્નને કારણે સ્થળાંતર કર્યું હોવાનું જણાવ્યું હતું. સ્થળાંતર કરનાર કુલ ૧૪ કરોડ પુરુષોમાંથી સૌથી વધુ ત્રણ કરોડ પુરુષોએ સ્થળાંતર માટે ધંધા-રોજગારનું કારણ આપ્યું હતું. વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરીમાં નોંધાયેલા સ્થળાંતરિતોમાંથી ૬૪ ટકા લોકો દસ વર્ષ કરતાં વધુ સમયથી નવી જગ્યાએ વસતાં હતાં.
“ધ હિંદુ”, ડિસેમ્બર ૨, ૨૦૧૬ના અહેવાલને આધારે
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020