નીરવ મૌન મહીં ઢળવાનું છે.
દફનાવાનું કે બળવાનું છે.
અંધારી રાતે દીવો બાળી,
પાક્કી નીંદરમાં સૂવાનું છે.
જેવાં આવ્યા'તા તેવી રીતે,
ચિઠ્ઠી ફાટે તો જાવાનું છે.
મિલ્કત, સ્વજનો, દુનિયા ને દોસ્તો,
કૈં પણ ના સાથે લેવાનું છે.
ચાદર, અત્તર, ફૂલ ને નનામી,
જ્યાં બાંધે ત્યાં બંધાવાનું છે.
કાંધે કાંધે આ ગાડી ચાલે,
છેક વિસામે બસ જાવાનું છે.
તુલસી પાન અને રૂપિયો મૂકી,
મોંઢે જળ સૌનું પીવાનું છે.
ઘી ચોળે ને હોમે તલ પણ સૌ,
ભડ ભડ ભડ આગે બળવાનું છે.
અભિમાની થઇ જીવ્યો પામર તું,
ઠાલાં મોતે બસ મરવાનું છે.
કોઈ છે આજે કોઈ કાલે,
સૌને એક દિ' ત્યાં જાવાનું છે.
એ રસ્તે એકલ જાવાનું છે.
સૂતાં સૂતાં રાખ થવાનું છે.
ખોટે ખોટાં શ્લોકો બોલીને,
છેલ્લી જાત્રા થૈ જાવાનું છે.
છોડી કાયા, માયા, ઘર, દુનિયા,
ભીંતે છવિ થૈ ટીંગાવાનું છે.
18/7/2020
e.mail : naranmakwana20@gmail.com
![]()


એન્ટિવાઇરલ દવા શરીરમાં વાઇરસના પ્રજનન માટે ઉપયોગી એવા ઉત્સેચકને અવરોધે છે અને તેનો પ્રજનનનો દર ઘટાડે છે. ટોસિલીઝુમાબ/tocilizumab એનાથી તદ્દન અલગ રીતે કામ કરતી એક 'ઇમ્યુનો-સપ્રેસ્સીવ', ચોક્કસ પ્રકારની રોગપ્રતિકારકતા 'દબાવનારી' દવા છે. હા, વાત આશ્ચર્યજનક જ છે. કોરોનાના 'મૅનેજમેન્ટ' નામે એક કથિત બાબા 'ઇમ્યુનો-બૂસ્ટર' વેચી રૂપિયા રળી રહ્યા છે ત્યારે આ દવા કોરોનાથી જીવ બચાવવા નોખો જ રસ્તો અપનાવે છે. (એક આડવાતઃ ચરક સુશ્રુત જેવા મહાનુભાવોથી મઘમઘતું આયુર્વેદ આજે આ બાબાથી ઓળખાય છે અને વગોવાય છે એ ખરે જ શરમજનક છે.)
ભારતનું રાજકારણ ખરાબે ચડી ચૂક્યું છે. સમભાવ સદ્દભાવ અને મૂલ્યનિષ્ઠાના પાયા પર રચાયેલી ભારતની લોકશાહીના પાયા ડગમગી રહ્યા છે. ગઇ ૨૦૧૮ની વિધાન સભાની સામાન્ય ચૂંટણીમાં જનાદેશ કૉન્ગ્રેસ તરફી હોવા છતાં રાજસ્થાન ત્રીજું રાજ્ય છે જેમાં સત્તાલાલસા અને વધુ પડતી મહત્ત્વાકાંક્ષાથી જનાદેશ વિરુદ્ધ જઇને સરકારને ઉથલાવવાનું ષડયંત્ર રચી આપણી લોકશાહીને લગભગ પેરાલિટીક બનાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન કૉન્ગ્રેસમુક્ત ભારત અને દેશને આખો સરમુખત્યારશાહી તરફ ધકેલી એકહથ્થુ સત્તા પ્રાપ્ત કરવાની નેમ સાથે કૉન્ગ્રેસના સત્તાલાલચુ યુવાનેતા સચીન પાયલોટને હાથો બનાવી રાજસ્થાન સરકારને ઉથલાવવાનું કરાતું કારસ્તાન દેશના વિચારશીલ નાગરિકોને બૌદ્ધિકોને કર્મશીલોને માટે આઘાતજનક બીના છે.