જરા પૂછ્યો મેં સવાલ ને કબૂતર ઊડી ગયું !
જોઈ હાથમાં મશાલ ને કબૂતર ઊડી ગયું !
પ્રસૂતિ કરી છે સાવ વચોવચ મારા પલંગ પર;
પછી 'રાખજો ખ્યાલ’ – કહી કબૂતર ઊડી ગયું !
કબૂભાઈના વકીલને બતાવી – ચરક કહ્યું :
'કરો આનો કંઇ નિકાલ '- તો કબૂતર ઊડી ગયું !
હતો પ્રશ્ન ત્યાં સમાન પણ, અસર થઇ જુદી-જુદી ;
કરે કાગડો બબાલ ને કબૂતર ઊડી ગયું !
કરી વાત સિંહની ને સિંહ – અચાનક પ્રકટ થયો;
બદલાઈ ગઈ રવાલ ને કબૂતર ઊડી ગયું !
કબૂતર વિષે એ પત્રમાં લખ્યું છે ખુલીને મેં;
મળી આપને ટપાલ કે કબૂતર ઊડી ગયું ?
અહીં કેટલાક કબૂતરો નથી ઊડતાં ધરાર ;
હતો કેવો એ સવાલ કે કબૂતર ઊડી ગયું ?
e.mail : radhikapatel1976@yahoo.com
![]()


જુલાઇ 29, 2020. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્મૃતિદિને દેશની નવી શિક્ષણનીતિ રજૂ કરવામાં આવી. 34 વર્ષ બાદ ઘડવામાં આવેલી એકવીસમી સદીની આ પ્રથમ શિક્ષણ નીતિ દેશને નવા આયામો તરફ લઈ જશે તેમ જ એકવીસમી સદીના પડકારોને પહોંચી વળવા સક્ષમ વિદ્યાર્થીઓનું સર્જન કરશે — તેવા દાવા સાથે આવેલી આ શિક્ષણનીતિને અનેક શિક્ષણવિદો, પ્રગતિશીલ લોકો, આવકારી રહ્યા છે, એવા સમયે તર્કબદ્ધ રીતે તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે.