એક હાથમાં છે ખંજર
ને બીજા હાથમાં છે, કલમ
બોલો કોને લગાડું, કામે હવે ?
ફૂટપાથ પર ભૂખ્યો જીવતો, એ માણસ
ને સામે મહેલોમાં વૈભવી જીવન જીવતા એ માણસો
બોલો, કોના વિશે લખું હવે ?
એક ખંજર અનેક લોકોના ભુક્કા બોલાવી શકે તેમ છે
અને મારી આ ધગધગતી કલમ
ધગધગતો અંગાર જન્માવી શકે તેમ છે.
બોલો, કોનો ઉપયોગ કરું હવે
ખંખેરી નિરાશા હવે તો મારે ઊભા થવું છે.
જ્યાં દેખાય અત્યાચાર તેની સામે, હવે તો લડવું છે.
ઊંચકુ પેલો ઝંડો મારો લાલ કે લખ્યા કરું
આ ધગધગતી કલમ સાથે ને સળગાવું ચીનગારી
બોલો, કોને લગાડું કામે હવે ?
થાક્યો નથી, હાર્યો પણ નથી દોસ્તો,
પણ આ ગુંગણામણને હવે તો ઘરેથી શરૂ કરી
બહાર સુધી કાઢવી છે મારે બહાર
બોલો ક્યો રસ્તો અપનાવું હવે ?
તા. ૦૭-૦૬-૨૦૧૭
e.mail : koza7024@gmail.com
![]()







આશ્ચર્યની વાત છે કે ગાંધીજીમાં આવો કોઈ અભિગમ પ્રબળ પ્રમાણમાં જોવા મળતો નથી. વિલાયતમાં બેરિસ્ટરનું ભણી આવીને દેશમાં વકીલાત દ્વારા બે પાંદડે થવાનો ઉલ્લેખ તેમની આત્મકથામાં જોવા મળે છે, પરંતુ એ પણ કોઈ કારકિર્દીલક્ષી મહાત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીમાં જોવા મળે એવો તીવ્ર નથી. તેઓ શાળામાં યોજવામાં આવેલા વિદાય સમારંભમાં વિલાયત ભણી આવીને દેશસેવા કરવી જોઈએ એવું કાંઈક સભા ક્ષોભને કારણે ધ્રુજતા ધ્રુજતા બબડ્યા હતા એમ તેમણે આત્મકથામાં લખ્યું છે.