સાંજના ભભકભર્યા, રળિયામણા અવકાશમાં અચાનક પદ્મશ્રી જયા અમિતાભ બચ્ચનનો ચહેરો ઝળકી ઊઠ્યો અને એમના શ્રીમુખેથી એમણે આકાશવાણી કરી કહ્યું, કે
અદબ-પલાઠી, મોં પર આંગળી!
નારીશક્તિ … સર્ગચેતના … આંખ બંધ કરી ઊંઘી જાઓ ! અને ઊંઘતા પહેલાં બધાંને કહી દો કે …
વાત કરવાની નથી …
__________________________
મજદૂરીની યાતનાની વાત કરવાની નથી
ઓ કવિ! સંવેદનાની વાત કરવાની નથી
કોઈ પાટા પર સૂતાની વાત કરવાની નથી
કોઈએ ભૂખ્યા઼-દુખ્યાની વાત કરવાની નથી.
સાધુ-સંતોને ક્હો કે દાયરા માંહે રહે!
સાંપ્રદાયિક એકતાની વાત કરવાની નથી.
પત્રકારો સ્ટેચ્યુની ઊંચાઈની વાતો કરો!
રોડના ખાડા-ભૂવાની વાત કરવાની નથી.
ન્યાયમૂર્તિઓ, વકીલો, સમજી લ્યો આ કાયદો!
ભૂલેચૂકે કાયદાની વાત કરવાની નથી.
પ્રશ્ન પૂછવાના નથી, ઉત્તર વયે, ઓ સાંસદો!
ગ્રોથ આડે આવવાની વાત કરવાની નથી.
કાર્ટૂનિસ્ટો, ઠઠ્ઠા શું માંડ્યા છે શાસક પક્ષના!
લોકશાહીની દશાની વાત કરવાની નથી.
ઢોલ-ત્રાંસાથી ઉકરડા છાવરો સંગીતકાર!
સમજી લો, સંવાદિતાની વાત કરવાની નથી.
ચિત્રકારો, ચિત્ર દોરો સોનેરી બેકગ્રાઉન્ડમાં!
ને વળી ત્યાં કાલિમાની વાત કરવાની નથી
ફોટોગ્રાફરજી, ભલા! ખીંચો છબી ઝરણાંઓની!
આઇના દેખાડવાની વાત કરવાની નથી
મીડિયા, કીધેલું દર્શાવો અને સખણાં રહો!
ખાંખાંખોળાં માંડવાની વાત કરવાની નથી
છો મરો ઓ નાગરિકો, ડોક્ટરો, નર્સો, પુલીસ!
રેલીઓ નહીં કાઢવાની વાત કરવાની નથી.
ઝાંસીની રાણીઓ! કેવળ બાઈ લક્ષ્મી થઈ જીવો,
તંત્રને પડકારવાની વાત કરવાની નથી.
જે રીતે મિયાંની મીંદડી થઈને વર અને ઘર સંભાળીને ચૂપચાપ બેસી ગયાં છે … તો અમને બહુ માન છે એમના માટે તો ભાઈ, અમે તો ચિઠ્ઠીના ચાકર છઈએ.
જયાબેનનું બોલેલું બધ્ધું તો યાદ નથી, પણ જેટલું યાદ રહ્યું એટલું લખ્યું. થોડાને પૂરતું કરીને વાંચજો જી.
![]()


આ વરસની પહેલી જાન્યુઆરીએ દુનિયામાં ૩,૯૨,૦૭૮ બાળકો જન્મ્યા હતા. તેમાં સૌથી વધુ ૬૭,૩૮૫ બાળકો ભારતમાં જન્મ્યા હતા. પણ ભારતમાં જેટલાં બાળકો જન્મે છે તે બધાં જ જીવતાં નથી. ૨૦૧૮ના વર્ષમાં ૨૫ લાખ નવજાત બાળકો જન્મના પ્રથમ મહિને અને તેમાંના એકતૃતીયાંશ તો પ્રથમ જ દિવસે મરી ગયા હતાં. બાળ મૃત્યુદરના આ બિહામણા આંકડા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આપણને આશ્વસ્ત કરે છે કે ભારતમાં બાળ મૃત્યુદર ઘટ્યો છે ! જો કે કોરોના મહામારી પછી આ ચિત્ર બદલાઈ શકે છે. બાળ મૃત્યુદરના મોટા પ્રમાણનું પ્રમુખ કારણ કુપોષણ છે. કોરોનાકાળમાં વકરેલી બેરોજગારી, ગરીબી અને સ્થળાંતરિત કામદારોની સમસ્યાને લીધે ભૂખમરો વધતાં કુપોષણથી થતાં મોત વધી શકે છે.
ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણીના સમગ્ર સાહિત્યનાં આજે પ્રગટ થયેલાં બે પુસ્તકો વિષે બોલતી વખતે બે અંગત વાતોથી શરૂઆત કરું છું, તે માટે પહેલેથી જ આપ સૌની ક્ષમા માંગી લઉં છું. ડૉ. શ્રીધરાણીને દૂરથી પણ કયારે ય જોયા હોય એવું યાદ નથી. પણ લેખક શ્રીધરાણીનો પહેલો પરિચય મુંબઇની ન્યૂ ઇરા સ્કૂલમાં ભણતો હતો ત્યારે થયો, અને એ પરિચય હતો નાટયકાર શ્રીધરાણીનો. ચોકકસ વર્ષ તો યાદ નથી, પણ અમે વિદ્યાર્થીઓએ ‘વડલો’ નાટક ભજવેલું. તેમાં ‘વડલો’નું પાત્ર ભજવવાનું બન્યું હતું. આ નાટક પહેલી વાર છપાયું ત્યારે લેખકની ઉંમર માંડ ૨૦ વર્ષની હતી. વડલોનું પાત્ર ભજવનારની ઉંમર તો તેના કરતાં ય ઓછી હતી. પણ મોટેરાંઓ માટે લખાયેલું નાટક ભજવી રહ્યાં છીએ એવું અમને કયારે ય નહોતું લાગ્યું બલકે અમારે માટે જ આ નાટક લખાયું હોય એમ લાગેલું. પિનાકિન ત્રિવેદી અને સુષમાબહેન દીવેટિયા જેવાં અમારાં સંગીત શિક્ષકોએ વડલોનાં ગીતોની જે બંદિશ બાંધેલી, તે આજે પણ યાદ છે અને વડલાના ઘણા સંવાદ પણ કંઠસ્થ છે. લેખકે ‘વડલો’ને શોકપર્યવસાયી નાટક તરીકે ઓળખાવ્યું છે. નાટયમહર્ષિ ચન્દ્રવદન મહેતા એમના લાક્ષણિક લહેકામાં કહે છે : “કવિ એને શોકપર્યવસાયી નાટક કહે છે. કહે, કવિ છે, એને ફાવે તેમ કહે. શેનો શોક – શેની ગ્લાનિ – વડલો વાયુએ વીંઝાઇ ગયો એનો ? દરેક માણસ મરે છે. એથી આજના અર્થમાં દરેકની ટ્રેજેડી નથી થતી.” સાવ સાચી વાત છે એમની. પણ અમે ભજવ્યું ત્યારે તો એ કોમેડી બનતાં માંડ બચ્યું. “વાયુરાજ આ માથું પ્રભુ સિવાય કોઇને નમ્યું નથી, અને નમશે નહીં” એ વડલાની ઉક્તિ પછી પવનના સૂસવાટામાં વૃક્ષોની ડાળીઓને એકબીજા સાથે અફળાવવા માટે બે બાજુની વિંગમાંથી બે મોટા પેડસ્ટલ ફેન ચલાવવાની યોજના હતી. પણ કોણ જાણે કેમ ખરે વખતે એ પંખા ચાલ્યા જ નહીં. સારે નસીબે જાતે હાથ હલાવીને ડાળીઓ અફળાવવાનું અમને સૂઝી ગયું અને નાટક કોમેડી બનતાં બચી ગયું.






