જણાવું કે આ મેં સવાલોના જવાબ રૂપે નથી લખ્યું બલકે મને એટલું જ લખવામાં રસ છે. આશા છે, સૌ આ મુદ્દાને ધ્યાનમાં લેશે.
કોઈ માણસ મને એમ કહે કે તમે નવા શ્હૅરમાં અથવા નવા બંગલામાં ગયા ને જુદી રીતે જીવવા લાગ્યા, એ સાહસ છે, પણ તમારા જીવનમાં એ એક નવોન્મેષ છે, તો મારે ખુશ થવું જોઈએ – એટલા માટે કે એણે મારા સાહસને નવોન્મેષ કહીને બિરદાવ્યું. સાથે એ એમ કહે કે તમારું એ સાહસ સાહસ ખરું પણ કુણ્ઠિત છે – રૂંધાયેલું, અટકી પડેલું, તો પણ મારે ખુશ થવું જોઈએ – એટલા માટે કે મારા સાહસ પ્રત્યે એ વ્યક્તિને લાગણી છે, માન છે; અને મને સન્માને છે. એટલું જ નહીં, વધારે ખુશ થઉં – એટલા માટે કે એ ઇચ્છે છે કે હું એ સાહસને વિશે વધુ-ને-વધુ વિમર્શ કરું, એને વિકસાવીને પ્રફુલ્લ કરું.
જો સુરેશભાઈએ એ શબ્દપ્રયોગને વ્યાખ્યાયિત નથી કર્યો, સ્પષ્ટ નથી કર્યો, તો એ, એ જ કારણે એક લાગણી, એક અભિપ્રાય કે મન્તવ્ય ઠરે છે, ચુકાદો નહીં. બે સામસામા મત પ્રવર્તતા હોય અને ત્રીજી તટસ્થ વ્યક્તિ જે નિર્ણય આપે તેને ચુકાદો કહેવાય. બાકી, આ એક લાગણી છે.
તેમ છતાં એવા કોઈ પણ શબ્દગુચ્છને ભલે ને આપણે ચુકાદો ગણીએ ! પણ એને વડીલશાહી ને મુરબ્બીવટ સાથે જોડીએ ત્યારે વ્યક્તિની પ્રતિષ્ઠાને ઠેસ પ્હૉંચે છે, એટલા માટે કે એમ કહેવું તે તર્કદોષ છે. તર્કદોષ એટલા માટે છે કે એ એક વ્યાપક વિધાન છે -એવું કે જેનો આધાર અલ્પતમ છે, અવ્યાપ્ત છે, સીમિત છે.
વળી, રમૂજ તો એ થાય છે કે સુરેશ જોષીએ ચુકાદો આપ્યો છે એમ કહીએ ત્યારે એવું કહીને આપણે પણ એવો એક ચુકાદો જ આપીએ છીએ !
પણ એ બધાને સરવાળે, મૂળ પરિસ્થતિમાં કશો જ ફર્ક નથી પડતો. ઊહાપોહ શબ્દ પ્રયોજીએ ત્યારે પણ યાદ રાખીએ કે એમાં ઊહ છે અને અપોહ છે. આપણે તારવવું રહે કે ઊહ શું છે ને અપોહ શું છે. ’નવોન્મેષ’-નાં એ કાવ્યોની એમણે કરેલી સમ્ ઇક્ષાને ઊહ કહીએ તો એ ઊહની સમ્ ઇક્ષા કરીને કોણે અપોહ સરજ્યો? એ સમ્પાદન સુરેશ જોષી જેવા કલામર્મજ્ઞે કર્યું છે એ મહિમાની પણ સમ્ ઇક્ષા કોણે કરી?
કોઈ પણ સમીક્ષા સમ્ ઇક્ષા હોવી જોઈએ. એ માટે એમાં પક્ષાપક્ષીની નહીં પણ સાહિત્ય-સિદ્ધાન્તોની ભૂમિકા જોઈશે, એ તાર્કિક અને વસ્તુલક્ષી ધોરણે થવી જોઈશે. દાખલા તરીકે, આ મુદ્દો ‘નવોન્મેષ’-નાં સમ્પાદિત કાવ્યો સાથે જોડાયેલો છે. એને આપણા આધુનિક કે અનુ-આધુનિક સાહિત્યયુગ સાથે અત્યારે આ ચર્ચામાં ન જોડાય, જો જોડીએ તો તર્કછળ થાય. સાથે, એ સમીક્ષામાં, પોતાની માન્યતાને નહીં પણ મૂળ સમીક્ષ્ય વસ્તુને વળગી રહેવું જોઈશે. બાકી તો, મૂળ ભૂલીને એકમેક સામે મૉઢાં ચડાવવાનું થાય, આલતુફાલતુ વાતો જોડીને એકમેકનો સમય બગાડવાનું થાય ! જેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે જીવનભર વેઠ્યું હોય એઓનાં વચનોમાં કંઈક દમ હોય, એ દમની સમ્ ઇક્ષા થવી જોઈએ. આ બધાં માટે આપણે મહાન સાહિત્યકારોના વિચારો સાથે પહેલાં તો સંગત કરવી જોઈશે ને પછી એની પણ સમ્ ઇક્ષા કરવી જોઈશે.
એવી બહુપરિમાણી વસ્તુલક્ષીતા નથી હોતી ત્યારે ખાલી કાલયાપન થાય છે. ઘણી વાર તો ગાલિપ્રદાન; મન:દુખ ને કાયમી વેરઝેર પણ જન્મે છે. દુનિયાને લાગે કે વિદ્વદચર્ચા ચાલી રહી છે !
સુરેશ જોષી સમા જનની સામે બોલીને પોતે ચડિયાતા છે એમ ઠેરવવાની કોશિશ ભૂતકાળમાં અનેકોએ કરી છે. ગુજરાતી સાહિત્યની ચર્ચાઓ વસ્તુલક્ષીતાના અભાવમાં અધઝાઝેરું ચાલી છે, એ સત્ય છે.
એ સત્યને પારખીને જો નવી પેઢી વસ્તુલક્ષી માર્ગે નહીં ચાલે તો અત્ર લુપ્તા સરસ્વતી કહેવાનો વારો આવશે. આમ મેં આગળના વાક્યમાં કહ્યું તે કોઈ ગિરિપ્રવચન નથી, દાઝ છે, બળાપો છે.
= = =
(February 25, 2021: USA)
![]()


આ કોલમમાં ગુજરાતી ભાષાનાં વૈવિધ્યપૂર્ણ ગીતોની સર્જનપ્રક્રિયા, અનેક ગીતકાર-સંગીતકારોની રચનાઓ આપણે માણી છે, પરંતુ નયન પંચોલી એક એવું નામ છે જે પોતાનાં ગીતો વિશે જરા ય શોર કર્યા વિના ત્રણ-ચાર દાયકાથી સુગમ સંગીતની ધૂણી ધખાવીને બેઠા છે. એમનો ઘૂંટાયેલો અવાજ અને કર્ણપ્રિય સ્વરાંકનો હજુ ઘણા ગુજરાતીઓ સુધી પહોંચ્યાં નથી એ રંજ તો છે જ. નયનભાઈ માત્ર ગુજરાત, ભારતમાં જ નહીં, દેશ-વિદેશોમાં અનેક કાર્યક્રમો કરે છે, એમનાં ખૂબ સુંદર ગીતો સંભળાવે છે છતાં ગુજરાતી સુગમ સંગીતના જાહેર કાર્યક્રમો યોજાય એમાં તો ચવાઈને ચુથ્થો થઈ ગયેલાં ગીતોની જ ભરમાર હોય. ગુજરાતી ભાષામાં અદ્ભુત કાવ્યો, ગીતો રચાયાં છે, અનેક નવા-જૂના સંગીતકારો દ્વારા એ સ્વરબદ્ધ થયાં છે પણ લેવાલ કોઈ નહીં! આયોજકોને પહેલાં તો ગુજરાતી ગીતોના કાર્યક્રમ કરવામાં જ રસ નહીં. કોઈ માઈના લાલને પ્રોગ્રામ કરવાની ઈચ્છા થાય અને આપણે લિસ્ટ બનાવીએ એ પહેલાં એમની યાદી આવી જાય; આંખનો અફીણી, પંખીડાને આ પીંજરું, નયનને બંધ રાખીને, સાંવરિયો, પાન લીલું, નીલ ગગનના પંખેરું ને એવું બધું. આ ગીતોની ગુણવત્તા વિશે બેમત નથી, પણ ક્યાં સુધી એકનાં એક ગીતો સાંભળવાં? અથવા તો જે કલાકારનો કાર્યક્રમ હોય એનાં જાણીતાં થયેલાં ગીતોની ફરમાઈશ જ આવે. જેમ કે સોલી કાપડિયાએ એમના પ્રોગ્રામમાં ઉપર દર્શાવ્યાં એ ગીતો તો ગાવાનાં, સાથે પ્રેમ એટલે કે ગાવું જ પડે. પુરુષોત્તમભાઈએ દિવસો જુદાઈના … ગાવાનું જ. પણ આ બધા સંગીતકારોએ બીજાં અઢળક નવાં ગીતો રચ્યાં છે એ તો સાંભળો! અમદાવાદના નયન પંચોલીનાં ગીતો એવાં જ કર્ણપ્રિય છે, દુનિયાભરના લોકો સુધી એ પહોંચવાં જ જોઈએ.
મહિનો હતો, જે ‘મામાનો મહિનો’ કહેવાય. બાળકોને વેકેશન હોય એટલે પત્ની મોસાળ જાય. મારી પત્ની પણ એ વખતે વેકેશનમાં બાળકોને લઈને મામાને ઘેર ગઈ હતી. ઘરમાં હું એકલો હતો. રાત પડી અને આ ગીત મારા હાથમાં આવતાં જ સ્વરાંકન ગોઠવાતું ગયું. રાત્રે અઢી-ત્રણ વાગ્યા સુધી હું ગાતો રહ્યો અને આંખમાંથી આંસુ વહેતાં હતાં. સ્વર-શબ્દનું એવું સરસ જોડાણ થઈ ગયું હતું કે મને એ ઈશ્વરનો સાક્ષાત્કાર લાગતો હતો.’
મેં મારા થીસિસમાં સુરેશભાઈએ કરેલા અનુવાદોને, આસ્વાદોને તેમ જ એમના સમગ્ર પત્રકારત્વને પૂરક પ્રવૃત્તિનો દરજ્જો આપેલો છે. એમનાં સર્જન વિવેચન તેમ જ અધ્યાપનમાં એ પ્રવૃત્તિઓ નૉંધપાત્રપણે પૂરક પુરવાર થઈ છે. આ વાત હું અવારનવાર કરી ગયો છું.