સમી રે, સાંજના ઘોડા હણહણ્યા, જવું, અઘોર ઘનઘોર,
ઘડીએક સંઘડો રોકજો, વીરા ! આરોગવા મોહનથાળ.
રોગીને શું? આરોગવું, મારાં ખૂટ્યાં અન્નજળ!
હલેકે અંધારા ઉલેચિયા, પલમાં જોડ્યા રથ દ્વાર,
અંધારું ઓઢીને વીરા ! ઉડિયા, ઉડ્યા ગગનને પાર,
સીમ-શેઢા, વીરા ! ભૂલિયા ભૂલ્યા, ખેતર પાદર,
ભેંસો ભાંભરે, તમને ના સાંભરે? રસહીન થયા રસધાર,
મનરેગાનાં કામ રઝળ્યાં, રઝળ્યાં, વિલાપતાં ઘરબાર
જનની જોડ તૂટી રે વીરા ! તમે નહીં કસૂરવાર !
કિસાન સભાને ઝાઝેરા જુહાર, સલામ લાલ મોજાર,
ગબીમાનો જાયો ! રત્નો ભઈ, પોઢ્યા પાયાવાર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 10
![]()


મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં પહેલું મહત્ત્વનું કામ આયોજન પંચને વિખેરી નાંખવાનું કર્યું હતું. એ પગલું માર્મિક રીતે સૂચક નીવડ્યું છે. મોદી સરકાર ભવિષ્યમાં મહત્ત્વનાં પગલાં આયોજન વગર, એટલે કે પુખ્ત વિચારણા અને તૈયારી વિના ભરશે એનું સૂચન એમાંથી સાંપડ્યું છે. ગયા વર્ષે ચાર કલાકની નોટિસથી લોકડાઉન કરવામાં આવ્યું તે એનું એક ઉદાહરણ છે. લોકડાઉન કરતી વખતે નીકળી ચૂકેલાં વાહનો અને પ્રવાસે ગયેલા માણસોની શું સ્થિતિ થશે એનો વિચાર કરવામાં આવ્યો ન હતો. તેના કારણે પ્રવાસે ગયેલા લોકો અટવાઈ પડ્યા અને માલવાહક ટ્રકો રસ્તામાં થંભી ગઈ. આટલો સાદો વિચાર પણ એ ચાર કલાકની નોટિસથી લૉકડાઉન કરતી વખતે ન કરવામાં આવ્યો.