કહાણી કહું કૈયા,
સાંભળ મારા છૈયા;
છૈયે માંડ્યું હાટ,
ત્યાંથી નીકળ્યો ભાટ;
ભાટ ખોદાવે કૂઈ
ત્યાંથી નીકળ્યો સૂઈ;
સૂઈ સંચાવે દોરો,
ત્યાંથી નીકળ્યો વોરો;
વોરો ખાય દાળિયા,
કાઢે એટલા કાળિયા;
કાળિયા મેં વાડ્યે નાખ્યા,
વાડ્યે મને વેલો આપ્યો;
વેલો મેં ગાયને નાખ્યો,
ગાયે મને દૂધ આપ્યું;
દૂધ મેં મોરને પાયું
મોરે મને પીંછી આપી;
પીંછી મેં પાદશાહને આપી,
પાદશાહે મને ઘોડો આપ્યો;
ઘોડો મેં બાવળિયે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી;
શૂળ મેં ટીંબે ખોસી,
ટીંબે મને માટી આપી;
માટી મેં કુંભારને આપી,
કુંભારે મને ઘડૂલો આપ્યો;
ઘડૂલો મેં માળીને આપ્યો,
માળીએ મને ફૂલ આપ્યાં;
ફૂલ મેં મા’દેવને ચડાવ્યાં,
મા’દેવે મને લાડવા આપ્યા.
એ લાડવા મેં, ભાઈએ, બહેને અને બાએ ખાધા. એક લાડવો વધ્યો તે કાકા માટે રાખ્યો હતો, તે કાળિયો કૂતરો આવીને ખાઈ ગયો !
![]()


જમવા માટે શકરી પટલાણીએ પાટલા ઢાળ્યા. આજે જ તેમણે પાપડ બનાવ્યા હતા. ખૂબ હોંશથી બનાવેલા. તેથી બકોર પટેલને ચખાડવા પોતે તલપાપડ બની ગયાં હતાં. થાળી પીરસીને એક બાજુ રકાબીમાં બે પાપડ મૂક્યા.
શાંત, સૌમ્ય ચહેરો ધરાવતા રઘુવીર ચૌધરી એક વ્યકિત નહીં, સ્વયં એક ઇન્સ્ટિટ્યુટ (સંસ્થા) છે. સાદગી અને સત્ય એમની પ્રકૃતિ છે. મૂળે સર્જક, પણ એ સાથે સક્રિય ખેડૂત પણ છે. એટલે જ તેઓની વાત કે સર્જનમાં નિરાશા નહીં પણ આશાનું વાવેતર હોય છે. ૭૫ વર્ષે પણ તેઓ સીધા ટટ્ટાર બેસી, ચાલી શકે છે. એમ.એ. તથા પી.એચ.ડી.નો અભ્યાસ કરનાર રઘુવીર ચૌધરીની ઓળખ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક, વિવેચક, સંપાદક, પ્રકાશક અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં આત્મા રેળનાર સર્જક તરીકેની છે. તેમની મુખ્ય કૃતિઓમાં ‘અમૃતા’, ‘પરસ્પર’, ‘શ્યામ સુહાગી’, ‘રુદ્ર-મહાલય’ જેવી નવલકથા, નવલિકામાં ‘આકસ્મિક સ્પર્શ’, ‘ગેરસમજ’ તથા કવિતામાં ‘તમસા’, ‘વહેતા વૃક્ષ પવનમાં’ અને નાટકોમાં ‘અશોકવન’, ‘ઝૂલતા મિનારા’, ‘સિંકદરસાની’ મુખ્ય છે. ઉપરાંત, ‘ડિમલાઈટ’, ‘ત્રીજો પુરુષ’ જેવા એકાંકી, ‘સહરાની ભવ્યતા’ જેવા રેખાચિત્રો, ‘બારીમાંથી બ્રિટન’ નામે પ્રવાસવર્ણન તથા વચનામૃત અને કથામૃતના ધર્મચિંતન પણ જાણીતા છે. વર્ષ ૧૯૭૭થી તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દીના અધ્યાપક તરીકે સેવાઓ આપી છે. કુમારચંદ્રક, ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી રઘુવીર ચૌધરી સન્માનિત થયા છે. તેમના સર્જનમાં નવા સમાજની દિશા મળે છે. રઘુવીર ચૌધરીની સાથે થયેલ સંવાદ …