ચરણોમાં જેના ધ્વજ અંકુશ કુલિશ શોભી રહ્યા,
ચિદાનંદ ચકોર નાચરણોમાં ગંગાજી વહેતા થયા.
રામ રોહણ કાજે ચાર વેદ ચારણ રૂપ ધરી આવે,
ચૈતરસુદ નોમ દિવસે દશરથ ઘેર અવતરણ થયા
રામ લખે પથરા તરે ખોબે ખોબે કિરતાર જડે,
કોશલ ધીશના ચરણોમાં ભવસાગર તરતા થયા.
ફિકર ફાંફાં મારતી પાળે ઈ પોષે પળ પળ વળી,
અંતર્યામી રઘુવીર સમરતા દુઃખો ભાગતા થયા.
કૈક ભક્ત ઊગારિયા ચત્રભુજ ચિતમાં જઈ વસી,
ભૂધર કરુણાકર દુઃખભંજન ચૌદલોકના નાથ થયા
રામ હૃદયમાં રોપી લીલીછમ લાગણી તે શબરી,
બોર જેટલાં આંસુડાં સારી વનવાસ પૂરા થયા.
ભ્રાતા લખન, મીત સુગ્રીવ, મંજુલગત મતિધીર,
જાનકીનાથ તુજમાં ભળી સગુણ સમરસ થયા.
રંજન રામા રટણ અંતર અજવાળા અખંડદીપ,
પ્રજાળી લંકા પૂછડે ઊડીઓ હનુ રણ ડુંગરા દીપ,
અંતર અરિસે ચિરી દેખાડ્યા હૃદીએ સીતા રામ,
સુધ બુધ લાવે; સાન ભાન રામ નામ અખંડદીપ.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને જતાંજતાં એક નિવેદન કર્યું હતું કે ભારત સામે કોઈ દેશ દાદાગીરી કરી શકતા નથી અને પોતાની શરત લાદી શકતા નથી, જ્યારે પાકિસ્તાનને જગતના દેશો દબાવે છે. ઇમરાન ખાનના આ નિવેદનથી આપણે બહુ પોરસાવાની જરૂર નથી, કારણ કે તેમનું આ નિવેદન રાજકીય હતું. ઇમરાન ખાન પાકિસ્તાનની જનતાને એમ કહેવા માગતા હતા કે પાકિસ્તાન અમેરિકાનું ગુલામ છે અને અમેરિકાની દાદાગીરી સામે લાચારી ભોગવે છે. તેઓ પાકિસ્તાનને અમેરિકાની દાયકાઓ જૂની જોહુકમીથી બચાવવા માગતા હતા અને માટે અમેરિકાને ઇશારે તેમની સામે રાજકીય પક્ષોએ ભેગા મળીને કાવતરું કર્યું છે અને અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સત્તાના રાજકારણમાં આ કોઈ નવી વાત નથી. સત્તાધીશો જ્યારે સુરક્ષિત હોય ત્યારે પોતે, આપણો દેશ અને આપણી પ્રજા મહાન અને પ્રતિકૂળતા પેદા થાય વિદેશી કાવતરાંની વાતો કરીને દયામણા બનવાની કોશીશ કરતા હોય છે. જરૂર પડે તો દુશ્મન દેશને પણ આપણા કરતાં મહાન ચિતરવામાં તેઓ છોછ અનુભવતા નથી. ઇમરાન ખાનનો ભારત માટેનો આદર આ પ્રકારનો છે. ભારતમાં ઇન્દિરા ગાંધી પણ કાવતરાંની થિયરીનો આશરો લેતાં હતાં.
સ્વર્ગસ્થ એક્ટર ઋષિ કપૂરની અધૂરી રહી ગયેલી છેલ્લી ફિલ્મ “શર્માજી નમકીન” માર્ચના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઇ હતી. ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે જ ઋષિનું અવસાન થયું હતું. એમાં ફિલ્મ અટકી પડી હતી. જો કે, પરેશ રાવલે એ ભૂમિકા હાથમાં લઈને ફિલ્મ પૂરી કરવામાં સહકાર આપ્યો એટલે ફિલ્મ પડદા પર આવી શકી.