Opinion Magazine
Number of visits: 9448998
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાટલીની પેલે પાર

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|15 November 2019

હિરલ, ધોરણ ૯માં અભ્યાસ કરતી સાબરકાંઠાના એક ગામની કિશોર વયની વિદ્યાર્થિની છે. કિશોર વયના અનેક પ્રશ્નો હોય છે. આપણે સૌ તેના વિશે જાણીએ છીએ. આઠમા ધોરણમાં ભણતી, નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓ આ સમયે જ માસિક ધર્મમાં પ્રવેશતી હોય છે. એ સમયે જો તેમને યોગ્ય શિક્ષણ આપવામાં ન આવે તો કેવી અવૈજ્ઞાનિક માન્યતાઓ સાથે તેમની પુખ્તતાની શરૂઆત થતી હોય છે તે તો આપણે સમજવું રહ્યું.

માસિક ધર્મની સાથે અનેક ધાર્મિક અંધશ્રદ્ધાઓ જોડાયેલી છે. પરંતુ તેની સાથે સાથે બીજી પણ કેવી તદ્દન હાસ્યાસ્પદ, પણ કેવો ગંભીર પ્રશ્ન સર્જી શકે છે, તેવી માન્યતાઓ હજુ આજના ૨૧મી સદીના સમયમાં પણ આપણાં ગામડાંઓમાં અને કદાચ શહેરોમાં પણ પ્રવર્તી રહી છે. હિરલ જ્યારે પ્રથમ વખત માસિક ધર્મમાં આવી ત્યારે તેને તે વિષયની કોઈ સમજ નહોતી. શાળાનો યુનિફોર્મ બગડ્યો એ સમયે એને ખબર પડી કે કંઈક એની સાથે બન્યું છે કે જેની એના મિત્રો મજાક ઉડાવી રહ્યાં છે. જ્યાં સુધી યોગ્ય જાણકારી ના હોય ત્યાં સુધી હિરલમાં એનો કોઈ સંકોચ પણ નહોતો. પરંતુ જ્યારે વર્ગના પુરુષ સહપાઠી વિદ્યાર્થીઓએ પણ તેની મજાક ઉડાવવાનું ચાલુ કર્યું, ત્યારે હિરલને લાગ્યું કે આ કંઈક ગંભીર બાબત છે. હિરલને પોતાની બહેનપણીઓ પાસેથી આ બાબતની અડધીપડધી માહિતી મળી. ઘરમાં તો આ બાબત વિષય વૈજ્ઞાનિક ચર્ચાને તો કોઈ અવકાશ જ નથી હોતો. અને બહેનપણીઓ પાસેથી જે જાણવા મળ્યું તે મુજબ તેના મનમાં એ માન્યતા ઘર કરી ગઇ કે પ્રથમ વાર માસિક ધર્મમાં આવ્યા હોય એ સમય જો કોઇ પુરુષનો સ્પર્શ થઈ જાય તો ગર્ભ રહી જાય. આ બાબત એના મનમાં એટલી હદે ઘર કરી ગઈ કે તેના માટે શાળાએ જવું પણ મુશ્કેલ બની ગયું.

હું જાણું છું ત્યાં સુધી લગભગ ધોરણ આઠ, ધોરણ નવ, સુધીમાં આ બાબત વિશે અભ્યાસક્રમમાં આવી જાય છે. પરંતુ જો શહેરની શાળાઓમાં જ આ વિશે  વૈજ્ઞાનિક રીતે ભણાવવામાં આવતું ન હોય તો ગામડાંની શાળાઓમાં પુરુષ શિક્ષક આ વિશે કેવી રીતે બાળકોને વૈજ્ઞાનિક સમજણ સાથે ભણાવી શકે! પરિણામે જે સદીમાં આપણે ચંદ્ર ઉપર યાન મોકલવાની વાત કરી રહ્યા છીએ એ જ સમયમાં આવા પ્રશ્નોથી ઘેરાયેલી અનેક વિદ્યાર્થિનીઓ પોતાનો અભ્યાસ બગાડે છે.

સાબરકાંઠા જેવા જિલ્લાના કોઈ ગામમાં આમ પણ દીકરીઓને ભણવા માટેનો ઉત્સાહ ઓછો જ હોય છે. હિરલ જેવી વિદ્યાર્થિની જો શાળાએ ના જાય તો એના વાલી માટે તો કદાચ આ ખુશીની જ વાત છે કે તે હવે ઘરના કોઈ કામમાં મદદરૂપ થઈ શકશે. હિરલે શાળાએ જવાનું છોડી દીધું છે. જેની નોંધ પણ એના પરિવારમાં લેવાઇ નહીં.

તો કોઈક રીતે શાળાના એક મહિલા શિક્ષકના ધ્યાનમાં આ વાત આવી. તેમણે અંગત રીતે રસ લઈને હિરલને ઘરે જઈને સમજાવ્યું. આ બાબત વિષય એને આપી શકાય તેટલું જ્ઞાન આપવાની કોશિશ કરી. હિરલનું ભણવાનું આજે તો ફરીથી શરૂ થયું છે. પરંતુ હિરલ જેવી કેટલી વિદ્યાર્થિનીઓને આવાં કોઈ મહિલા શિક્ષક મળતાં હશે જે અંગત રસ લઈને તેમનું ભણવાનું ચાલુ રખાવી શકે. અલબત્ત હું જાતીય શિક્ષણનું સમર્થન નથી કરતી. પરંતુ તંદુરસ્ત ચર્ચા સાથે યોગ્ય રીતે શારીરિક શિક્ષણ અપાય, તેની તરફેણ કરું છું. જેથી કરીને હિરલ જેવી અનેક વિદ્યાર્થિનીઓનું જે ગેરમાન્યતા સાથે ભણવાનું છૂટી રહ્યું છે, કમ સે કમ એ રીતે તો ના છૂટે!

(હિરલને સમજાવનાર મહિલા શિક્ષક સાથેની વાતચીત પરથી)

[ઑલ ઇન્ડિયા ડી.એસ.ઓ.]

E-mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 24

Loading

15 November 2019 admin
← શિક્ષણથી બેહાલી
અયોધ્યા ચુકાદા વિશે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved