Opinion Magazine
Number of visits: 9446513
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખુસરોનું સ્વર્ગ કાશ્મીર નહીં, દિલ્હી હતું :

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 November 2019

ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત

હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત

(પૃથ્વી પર જો સ્વર્ગ હોય, તો તે અહીં છે, અહીં છે, અહીં છે)

શ્રીનગરના શાલીમાર બાગમાં શ્યામ રંગનું જે પેવેલિયન છે, તેની દિવાલ પર આ પ્રસિદ્ધ ફારસી પંક્તિ લખેલી છે, તેવી પ્રચલિત માન્યતા છે. મુઘલ સમ્રાટ શાહજહાં(અથવા પિતા જહાંગીર)ના સમયમાં આ પેવેલિયન બાંધવામાં આવ્યું હતું, દિલ્હીમાં લાલ કિલ્લામાં પણ એ અંકિત છે, જે શાહજહાંએ બનાવ્યો હતો. એટલે આ પંક્તિની બે કહાની છે. એક કહાની પ્રમાણે શાહજહાં (૧૫૯૨-૧૬૬૬) જ્યારે પહેલીવાર કાશ્મીર ગયો, ત્યારે તેની સુંદરતા જોઇને આ બોલ્યો હતો. બીજી કહાની એ છે કે દિલ્હીમાં દીવાન-એ-ખાસ (લાલ કિલ્લો) તૈયાર થયો અને તે પહેલીવાર અંદર ગયો, તો આ પંક્તિ અંકિત કરવા સૂચના આપી હતી. ગમે તેમ તો ય, લાલ કિલ્લો બાગ-બગીચાઓથી સુશોભિત સ્વર્ગ જ હતો! એમ તો એવું પણ કહેવાય છે કે શાહજહાં નહીં, પણ તેના પિતા જહાંગીરે (સલીમે) આ પંક્તિ કોતરાવી હતી.

આ પંક્તિ ફારસી કવિ અમીર ખુસરો(૧૨૫૩-૧૩૨૫)ના નામે બોલે છે. ખુસરો સૂફી કવિ હતો. તે ઉત્તર પ્રદેશમાં જન્મ્યો હતો, અને નાની ઉંમરમાં દિલ્હી આવ્યો હતો, જ્યાં તે નિઝામુદ્દીન ઓલિયાનો શાગિર્દ થઇ ગયો હતો. ખુસરો અરબી, ફારસી અને હિન્દુસ્તાની (ઉર્દૂ-હિન્દી) મિશ્રિત ભાષામાં લખતો હતો, જે ‘હિન્દવી’ તરીકે જાણીતી થઇ. ખુસરો ‘ભારતના પોપટ’ (તુતી-એ-હિન્દ) તરીકે પણ ઓળખાય છે અને ઉર્દૂ સાહિત્યનો એ જન્મદાતા છે. એ આજીવન દિલ્હી સલ્તનતમાં રહ્યો હતો, અને એણે કાશ્મીરની મુલાકાત લીધી હોવાના કોઈ સંદર્ભ નથી. તેના પરથી અમુક અભ્યાસુઓ ‘ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત’નો લેખક ખુસરો હોવા અંગે શંકા કરે છે.

એમાં લેટેસ્ટ રાના સફ્વી છે. રાના ઇતિહાસકાર તથા લેખક છે અને દિલ્હીની સંસ્કૃતિ પર લોકપ્રિય બ્લોગ ‘હજરત-એ-દિલ્લી’ ચલાવે છે. તેમનું એક તાજું પુસ્તક ‘શાહજહાંનાબાદ’ આ પંક્તિના ઈતિહાસને ઉખેડે છે. અમીર ખુસરો પર અભ્યાસ કરનારા અને બોસ્ટન યુનિવર્સિટીમાં ફારસી સાહિત્યના પ્રોફેસર સુનિલ શર્મા કહે છે કે ખુસરોના કોઈ સંગ્રહ કે કવિતામાં આ પંક્તિ નથી.

રાના સફ્વીએ જાતે શ્રીનગર જઈને શાલીમાર બાગમાં ઉપર-નીચે આ પંક્તિ શોધી હતી. ના મળી. શાલીમાર બાગ પરનાં પુસ્તકોમાં પણ એનો સદર્ભ ન હતો. તો આ જગપ્રચલિત પંક્તિનું ‘જીવનચરિત્ર’ શું છે? રાના સફ્વીએ નીચે પ્રમાણેના થોડાક સંકેતો આપ્યા છે.

ઉર્દૂ ઇતિહાસકાર બશીરુદ્દીન અહમદ દેહલવીના ‘વાકીઆત-એ-દારુલ હુમુમત દેહલી’ પુસ્તકમાં લખેલું છે કે આ પંક્તિ સદુલ્લાહ ખાને કોતરેલી છે. સદુલ્લાહ ખાને સમ્રાટ શાહજહાંનો વડાપ્રધાન હતો અને પોતે કવિ અને લેખક હતો. ફારસીના નિષ્ણાત અને દિલ્હીનાં સ્મારકો પર પહેલીવાર લખનારા પ્રોફેસર એસ.એચ. કાસેમીએ દાવો કર્યો હતો કે તેમણે કાશ્મીરના હાકેમ (ગવર્નર) ઝફર ખાનના શાયર પુત્ર મિર્ઝા મુહમ્મદ તાહિર ‘આશના’(૧૬૨૮-૭૧)ના કવિતા સંગ્રહમાં આ પંક્તિ વાંચી હતી.

‘આશના’એ અબ્દુલ હમીદ લાહોરીના ત્રણ ભાગના ‘પાદશાહનામા’ ઇતિહાસની ટૂંકી આવૃત્તિ ‘શાહજહાંનામા’ લખી હતી. ‘પાદશાહનામા’ સમ્રાટ શાહજહાંએ લખાવ્યું હતું. મિર્ઝા મુહમ્મદ તાહિર ‘આશના’એ તેના પિતાની ગેરહાજરીમાં એકવાર કાશ્મીરનો કારભાર પણ સંભાળ્યો હતો. ‘આશના’નો આ કવિતા સંગ્રહ દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં મોજુદ છે.

ઝાકીર હુસેન દિલ્હી કોલેજના ફારસી વિભાગના વડા પ્રોફેસર જમીલ-ઉર રહેમાને સૂચન કર્યું કે રાષ્ટ્રીય સંગ્રહાલયમાં હસ્તપ્રત જોયા વગર નિષ્કર્ષ પર ન અવાય.

રાના સફ્વી લખે છે કે ૧૮ અપ્રિલ ૧૯૬૪ના રોજ લાલ કિલ્લાના ઉદ્દઘાટનમાં ઘણા બધા શાયરો ભેગા થયા હતા અને તેની ભવ્યતાના ગુણગાન ગાતી શાયરીઓ લખી હતી. એટલે એ શક્ય છે કે કિલ્લાના દિવાન-એ-ખાસમાં અંકિત આ પંક્તિ આમાંથી જ કોઈ એક એવા શાયરની હોય, જે શાહજહાંનો દોસ્ત હોય.

રાના સફ્વીએ દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયના આસિસ્ટન્ટ ક્યુરેટર ખતિબુર રહેમાનની મદદથી ‘આશના’ના જરીપુરાણા સંગ્રહ ‘દિવાન-એ-આશના’માં કાશ્મીરનો ઉલ્લેખ હોય, તેવી પંક્તિઓ શોધી. તેમણે વધુ વિગતવાર પાનાં જોયાં, તો ‘મસાનવી-યે સાકી નામા’ વિભાગમાં ૮૮ નંબરના પાના પર પંક્તિ લખેલી હતી:

ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત
હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત

એ પંક્તિ પછી લખેલું હતું, “ખુસરોએ સૂચક પદ્ય લખ્યાં હતાં, એટલે તમે કહી શકો કે તેણે આ (પંક્તિ) આ જગ્યા માટે લખી હશે.”

રાના લખે છે, “રાષ્ટ્રીય સંગ્રહાલયની એ નાનકડી ઓફીસમાં અમે શાહી પંડિતોની બેશકીમતી હસ્તપ્રતો જોઈ રહ્યા હતા, ત્યારે અમને લાગ્યું કે એ ક્ષણે પૃથ્વી પર સ્વર્ગ હતું.”

ઝાકીર હુસેન દિલ્હી કોલેજના પ્રોફેસર જમીલ-ઉર રહેમાને સમ્રાટ શાહજહાંના અધિકૃત જીવનચરિત્ર ‘શાહજહાંનામા’ના ત્રીજા ભાગમાં જોયું કે પુસ્તકના લેખક મોહમ્મદ સલીહ કમ્બોહે કિલ્લા-એ-મુબારક(ભાગ્યના કિલ્લા)ની ખૂબસુરતીનાં બહુ વખાણ કર્યા હતાં. તેણે લખ્યું હતું કે, “તેની સુંદરતા એવી છે કે ડાહ્યા લોકો ગાંડા થઇ જાય, તેની સુંદરતા સ્વર્ગ સમાન છે અથવા સાત સ્વર્ગોના બગીચાઓ કરતાં પણ એ વધુ સ્વર્ગીય છે.” અમીર ખુસરોએ જે લખ્યું હતું, તે આ વર્ણન સાથે મળતું આવતું હતું:

ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત
હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત

અમીર ખુસરો દિલ્હીનો સૌથી લોકપ્રિય કવિ હતો અને તેણે દિલ્હીના વખાણમાં ખૂબ લખ્યું હતું. એ સંપૂર્ણપણે શક્ય છે કે આ પંક્તિ દિલ્હીની ખૂબસુરતી માટે લખાઈ હોય અને શાહજહાંએ તેને દિવાન-એ-ખાસમાં કોતરાવી હોય. રાના સફ્વી લખે છે, “આ પંક્તિ અમીર ખુસરોની કવિતાઓમાં કેમ નથી અને તેને ક્યા સદર્ભમાં લખવામાં આવી હતી, તેનો કોઈ જવાબ નથી, પણ એક વાત નક્કી છે કે એ કાશ્મીર માટે લખાઈ ન હતી, કારણ કે હજરત અમીર ખુસરોએ ક્યારે ય કાશ્મીરની યાત્રા કરી ન હતી. તો તેણે દિલ્હી માટે લખી હતી?”

પ્રગટ : ‘ફાયરવોલ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાતમિત્ર”, 10 નવેમ્બર 2019

Loading

12 November 2019 admin
← ચલ મન મુંબઈ નગરી — 17
કોમી એકતાના પ્રખર પુરસ્કર્તા : મૌલાના આઝાદ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved