Opinion Magazine
Number of visits: 9446691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશ અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી પસાર થતો હોય ત્યારે સરકાર કેમ ચૂપ છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|29 August 2019

આંખ આડા કાન કરી લેવાથી કે મીઠાં સપનાં બતાડતા રહેવાથી વાસ્તવિકતા નથી બદલાતી એ નરેન્દ્ર મોદીના શાસનકાળનો નીચોડ છે. ૨૦૧૪માં યુ.પી.એ.નો પરાજય થયો એનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર નહોતું, પણ આર્થિક મંદીને કારણે લોકોની અંદર પેદા થયેલી હતાશા હતું. અનેક કૉન્ગ્રેસ વિરોધીઓ એના લાભાર્થી હતા, જેમાં નરેન્દ્ર મોદી સૌથી મોટા લાભાર્થી હતા. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતનો મેં ઉદ્ધાર કર્યો છે અને દેશનો કરી શકું એમ છું. લોકોએ તેમના પર ભરોસો કર્યો હતો.

એ પછી આપણે જાણીએ છીએ કે તેમની પહેલી મુદ્દતના પાંચ વરસ દરમ્યાન આર્થિક સંકટ દૂર તો થયું નહીં, પણ નોટબંધી અને જી.એસ.ટી.એ દેશને વધારે ઊંડા આર્થિક સંકટમાં ધકેલી દીધો. આબરૂ જાળવી રાખવા જી.ડી.પી.ની ગણતરીના માપદંડો બદલી નાખ્યા. બંને દિશામાં માપદંડો બદલવામાં આવ્યા હતા. પહેલાં યુ.પી.એ.ના વખતનો જી.ડી.પી. ઘટાડીને તેનું સ્કોરકાર્ડ બગાડ્યું અને પછી મોદી સરકારનો જી.ડી.પી.નો દર વધારીને પોતાનું સ્કોરકાર્ડ સુધારી લીધું. આ ઉપરાંત દેશપ્રેમ, રાષ્ટ્રવાદ, હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ, પાકિસ્તાન, એર સ્ટ્રાઈક જેવા માર્ગે હિંદુ મતદાતાઓનો વિશ્વાસ જાળવી રાખ્યો અને લોકસભાની ચૂંટણીમાં પહેલાં કરતાં પણ ભવ્ય વિજય મેળવ્યો. ખોળામાં બેઠેલા મીડિયાઓએ પણ મદદ કરી હતી.

ચૂંટણી તો જીતી લીધી, પણ પેલા આર્થિક સંકટનું શું? હવે પાણી નાક સુધી પહોંચવા માંડ્યું હતું એટલે પ્રજાનું ધ્યાન બીજે દોરવું કેવી રીતે? કાશ્મીર અંગે ઐતિહાસિક કહી શકાય એવું પગલું ભરવામાં આવ્યું હોવા છતાં આજે આપણે જોઈએ છીએ કે ચર્ચા આર્થિક સંકટની થઈ રહી છે. ભક્તો પણ અભિનંદન આપી દીધા પછી હવે આર્થિક મોરચે સરકાર કાંઈક કરે એવી અપેક્ષા રાખી રહ્યા છે. એક પછી એક ઉદ્યોગપતિઓ બોલવા માંડ્યા છે. અર્થશાસ્ત્રીઓ ચિંતા પ્રગટ કરી રહ્યા છે. અર્થતંત્રનું મૂલ્યાંકન કરનારી રેટિંગ એજન્સીઓ ભારતનો આંક નીચે ઊતારી રહ્યા છે. આ ઉપરાંત ભારતના સાચા વિકાસદર વિષે શંકા ઊઠાવવામાં આવે છે.

૩૦મી જુલાઈએ સરકારે સંસદમાં કબૂલ કર્યું હતું કે ભારતમાં રજીસ્ટર્ડ કંપનીઓમાંથી ૩૬ ટકા કંપનીઓ બંધ પડી ગઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૧૮,૯૪,૧૪૬ કંપનીઓ રજિસ્ટર થઈ છે જેમાંથી ૬,૮૩,૩૧૭ કંપનીઓ બંધ પડી ગઈ છે અને ૪૩,૭૬૫ કંપનીઓએ બે વરસથી રીટર્ન નથી ભર્યા. જો બન્નેનો સરવાળો કરવામાં આવે તો ૩૮ ટકા કંપનીઓ ઊઠી ગઈ છે અને તેના પ્રમાણમાં દિવસોદિવસ વધારો થઈ રહ્યો છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં દસ મહિનાથી સતત વેચાણ ઘટી રહ્યું છે અને ગયા મહિનામાં ગયા વરસના જુલાઈ મહિનાની તુલનામાં સીધો ૩૧ ટકાનો ઘટાડો થયો હતો.

ગયા અઠવાડિયે નોર્ધન ઇન્ડિયા ટેક્સટાઈલ મિલ્સ એસોસિએશને તો સરકારનું અને મીડિયાનું બંનેનું એક સાથે નાક કાપ્યું. ન્યુઝ માટે ન્યુઝ પેપરો અને ટીવી ન્યુઝ ચેનલો પાસે જગ્યા નથી એટલે એસોસિએશને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ન્યુઝને – ન્યુઝ નહીં હાર્ડ ન્યુઝને – અખબારોમાં આખા પાનામાં કવર એડવર્ટાઈઝમેન્ટ તરીકે છપાવ્યા. સરકારને માફક ન આવે એવા નક્કર સમાચાર નહીં છાપવાના કે ચેનલ પર નહીં બતાવવાના પૈસા કોઈ જગ્યાએથી મળતા હોય તો લો, અમારી પાસેથી પણ પૈસા લઈ લો અને નક્કર સમાચારને જાહેરખબર તરીકે છાપો.

શું છે એ જાહેરખબરમાં? એમાં ઇન્ડસ્ટ્રીઝની આર્થિક હાલતનું બયાન કરવામાં આવ્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે સૂતરની નિકાસમાં ગયા વરસની તુલનામાં આ વરસના એપ્રિલ મહિનામાં ૨૧ ટકાનો ઘટાડો થયો છે. મે મહિનામાં ૩૦.૮ ટકાનો ઘટાડો થયો છે. જૂન મહિનામાં સીધો ૫૦.૧ ટકાનો ઘટાડો થયો છે અને એપ્રિલ-જૂનને સાથે લઈને સરેરાશ કાઢવામાં આવે તો ત્રણ મહિનામાં ૩૪.૬ ટકાનો ઘટાડો થયો છે. એ પછી એમાં સરકારે શું કરવું જોઈએ એની માગણી કરી છે. આ દેશમાં મીડિયા જ્યારે આઝાદ હતા ત્યારે આવા નક્કર સમાચાર સમાચાર તરીકે આવતા હતા અને એડવર્ટાઈઝમેન્ટ તરીકે જુઠાણાં આપવામાં આવતા હતા. હવેના યુગમાં ઊંધું થઈ રહ્યું છે. જુઠાણાંને સમાચાર તરીકે પીરસાય છે એટલે સમાચારને જાહેર ખબર તરીકે આવવું પડે છે. વાહ રે લોકતંત્ર!

અહીં જે દાખલાઓ આપ્યા છે એ તો સેંકડોમાં બે-ચાર છે. જી હાં, સેંકડોમાં. એમાં જરા ય અતિશયોક્તિ કરવામાં આવી નથી. દરેક ઉદ્યોગમાં મંદી છે. બેંકો, શેરબજાર સર્વત્ર. રોકાણ દેશમાંથી પાછું ફરી રહ્યું છે. નવું રોકાણ આવતું નથી. પાર્લેનાં ગરીબો માટેનાં બિસ્કીટના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિમાં કાશ્મીર, પાકિસ્તાન, દેશપ્રેમ, છીછરી ધાર્મિકતા, મેળાવડાઓ અને મહોત્સવો, પાંચ ટ્રીલિયન ડોલર ઈકોનોમીનું અર્થતંત્ર બનાવવાનાં વચનો વગેરે કેટલા સમય સુધી પ્રજાને કેફમાં રાખશે એ કહેવું મુશ્કેલ છે.

આવી સ્થિતિમાં રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત સરકાર બે વાતની ગંભીરતા સમજતી નથી. એક છે વિકાસદર વિષે જગતમાં હોવી જોઈતી વિશ્વાસાર્હતા. તમારા દાવાઓને શંકાથી જોવામાં આવે અથવા હસી કાઢવામાં આવે એ બહુ ગંભીર બાબત છે. વિશ્વ ભક્તોનું બનેલું નથી. બીજો ગંભીર મુદ્દો હતાશાનો છે. હતાશા ક્યારે ય પણ કોઈ પણ માર્ગે પ્રકટ થતી હોય છે. રઘુરામ રાજને ભારત સરકારને સલાહ આપી હતી કે બહુ મોડું થાય એ પહેલાં સરકારે પગલાં લેવાં જોઈએ.

સરકાર રીઝર્વ બેંકની મરણ મૂડી વાપરવાની છે. આ પહેલાં રીઝર્વ બેન્કના ગવર્નર ડૉ. ઊર્જિત પટેલે રીઝર્વ બેંકની મરણમૂડી આપવાની ના પાડી દીધી હતી. જ્યારે સરકારે દબાણ કર્યું ત્યારે તેઓ રાજીનામું આપીને જતા રહ્યા હતા. તેમની જગ્યાએ ઇતિહાસમાં એમ.એ. કરેલા ભાઈને રીઝર્વ બેન્કના ગવર્નર બનાવવામાં આવ્યા. જે દેખીતી રીતે કરોડરજ્જુ નથી ધરાવતા. તેમણે જ્યારે મોટી રકમ સરકારને આપવાનો આગ્રહ કર્યો ત્યારે રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય રાજીનામું આપીને જતા રહ્યા. આ સિવાય ખાસ રચવામાં આવેલી બિમલ જલાન કમિટીએ પણ ૧.૭૬ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ આપવાની ના પાડી દીધી હતી. આ રકમ પણ નાની નથી અને મહત્ત્વની વાત એ છે કે કોઈ દેશ આ રીતે ડોશીની મરણમૂડી સમાન રીઝર્વ બેંકની મૂડી વાપરતું નથી.

છેલ્લે, દેશ અત્યારે અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે અર્થતંત્રની તમામ સંસ્થાઓ (મંત્રાલય સહિત) હેડીના અર્થશાસ્ત્રી વિનાની છે.

27 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ઑગસ્ટ 2019

Loading

29 August 2019 admin
← તો પંગું બનશે માહિતી અધિકાર
બેરફૂટ કૉલેજ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved