Opinion Magazine
Number of visits: 9446652
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કહો વડા પ્રધાન, સુશાસન વિના અચ્છે દિન ક્યાંથી આવશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|18 July 2019

૨૦૧૪માં દેશમાં સારા દિવસો બેસવાના હતા એના પાંચ મહિના પહેલાની આ ઘટના છે :

જાન્યુઆરી ૭, ૨૦૧૪.

૧૩ વર્ષની દલિત બાળા હરિદ્વારના રોષનાબાદ ખાતે ધોરણ છમાં અભ્યાસ કરતી હતી. શિયાળુ વેકેશન શરૂ થતાં તે ઉત્તરાખંડના રામખેરા જિલ્લાના ફેરપુર ગામે પોતાનાં માબાપ પાસે આવી હતી.

તારીખ ૭ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ તે સવારે કુદરતી હાજતે ગઈ. ઘણીવાર થઈ, છતાં તે પરત ના આવતાં, ગામના લોકો શોધવા નીકળ્યા. માબાપને પોતાની દીકરીની લાશ શેરડીના ખેતરમાંથી મળી. તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. પોલીસ આરોપીઓને શોધી ન શકી. આખરે દલિતો સી.બી.આઈ.ને તપાસ સોંપાય તે માટે ધરણાં પર બેઠા. લગભગ ત્રણ મહિના બાદ આ કેસની તપાસ સી.બી.આઈ.ને સોંપવામાં આવી.

(‘આઉટલૂક’: જાન્યુઆરી ૧૪, ૨૦૧૪ અને ‘ટ્રીબ્યુન’: માર્ચ ૨૫, ૨૦૧૪)

જ્યારે સારા દિવસોનો પહેલો પડાવ પૂરો થવામાં હતો ત્યારે છાપાઓમાં આ ઘટના જોવા મળે છે:

એપ્રિલ ૨૯, ૨૦૧૮:

પોલીસ સેવામાં ભરતીમાં શારીરિક તપાસ પ્રક્રિયાનો અગત્યનો ભાગ છે. પ્રક્રિયા સામે કોઈને વાંધો ન હોઈ શકે.

પરંતુ મધ્ય પ્રદેશના ધાર ખાતે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં આ તપાસ ચાલી રહી હતી ત્યારે જોવામાં આવ્યું કે આદિવાસી, દલિત અને ઓ.બી.સી. ઉમેદવારોની છાતી પર એસ.સી.,  એસ.ટી., ઓ.બી.સી. એવાં લેબલ સરકારી અધિકારીઓએ માર્યાં હતાં. ભોંઠા પડેલ રાજ્યના મુખ્યપ્રધાને આની તપાસનો હુકમ કર્યો પણ ઘોડા નાસી છૂટ્યા પછી તબેલાને તાળાં મારવા જેવી આ વાત હતી.

(‘સ્ક્રોલઈન’: એપ્રિલ ૨૯, ૨૦૧૮; ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’: એપ્રિલ ૨૯, ૨૦૧૮)

૨૦૧૮ની આ છેલ્લી ઘટના નથી, પરંતુ સામાજિક ચહેરો બતાવનારી આ ચોંકાવનારી ઘટના છે એટલે પસંદ કરવામાં આવી છે. હવે કલ્પના કરો કે આ બે ઘટનાઓની વચ્ચે આવી કેટલી ઘટનાઓ ઘટી હશે? એને માટે તમારે માર્ટિન મૅકવાન દ્વારા સંપાદિત ‘૨૦૧૪થી ૨૦૧૮ : દલિત-આદિવાસી માટે ભેદભારત’ નામનું પુસ્તક વાંચવું જોઈએ.

સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ક્રાઈમ બ્યુરોના અહેવાલ અનુસાર ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬ દરમ્યાન દલિતો પર ૧,૧૯,૮૭૨ અને આદિવાસીઓ પર ૧૯,૬૭૧ અત્યાચારની ઘટનાઓ બની છે. આ તો સરકારી ચોપડે નોંધાયેલી ઘટનાઓ છે. મોટી સંખ્યામાં દલિતો અને આદિવાસીઓ બીકના માર્યા ફરિયાદ કરતા નથી. ફરિયાદ કરવા જાય છે તો પોલીસ ફરિયાદ નોંધતી નથી. પીડિતો પાસે અરજી લખાવીને રવાના કરે છે. પીડિતને બિચારાને એમ લાગે કે તેની ફરિયાદ નોંધવામાં આવી છે. આ સિવાય ભારતમાં દલિતોએ માથે મેલું ઊંચકવું પડે છે તેના આંકડાં તો નોંધવામાં પણ નથી આવતા. દર વરસે સો-બસો દલિતો ગટરમાં ઉતરતા ઝેરી ગેસના કારણે મરે છે તેને અકસ્માત ગણવામાં આવે છે, પરંતુ એ વહીવટીતંત્રો દ્વારા કરવામાં આવતાં ખૂન છે.

જો નરેન્દ્ર મોદીનાં સારાં વર્ષોની સરેરાશ કાઢવામાં આવે તો દલિતો અને આદિવાસીઓ પરના અત્યાચારની ૨,૩૫,૦૦૦ ઘટનાઓ થાય. આ દરે રોજની કેટલી ઘટના થઈ? ૧૨૮. યસ, ૧૨૮.  ૨૦૧૪ના એક વરસમાં ૯૦૧ દલિત-આદિવાસીઓનાં ખૂન થયાં હતાં અને ૩,૧૫૮ દલિત-આદિવાસી સ્ત્રીઓ પર બળાત્કારની ઘટનાઓ બની હતી. રોજની સરેરાશ કાઢી જુઓ. આપણે કેટલા મહાન છીએ એનો આ અરીસો છે.

આમાં સવર્ણ હિંદુ સમાજમાં અને અન્ય ધર્મોની સ્ત્રીઓ તેમ જ બાળકો પર કરવામાં આવતા અત્યાચારોનો સમાવેશ જ નથી કરવામાં આવ્યો. અને સૌથી મહત્ત્વની વાત. ગુનો કરનારાઓમાંથી કેટલા ગુનેગારોને સજા થઈ? આ સવાલ અત્યારે નહીં પૂછવાનો, કારણ કે અત્યારે દાયકા દોઢ દાયકા પહેલાં થયેલા અત્યાચારોના ખટલા ચાલી રહ્યા છે અને મોટા ભાગના આરોપીઓ પૂરવાના અભાવે નિર્દોષ છૂટી રહ્યા છે. ‘ભેદભારત’માં વર્ણવવામાં આવેલા ખટલાઓ હાથ ધરવાને હજુ પાંચેક વરસની અને કદાચ એનાથી પણ વધુ વરસની વાર છે. ‘ભેદભારત’ પુસ્તકમાં ૨૫મી જાન્યુઆરી ૧૯૯૯ના રોજ બિહારમાં શંકરબીઘા ગામમાં જમીનદારોની ‘રણવીર સેના’એ ૨૩ દલિત સ્ત્રીપુરુષોની તેઓ રાતે ઊંઘતા હતાં ત્યારે હત્યા કરી હતી. એ ૨૩ હત્યાના હત્યારાઓ ૧૬ વર્ષે નિર્દોષ છૂટી ગયા હતા. એટલે ગુનેગારોને સજાની તો વાત જ નહીં કરવાની. 

અહીં સારા દિવસોનો ઉલ્લેખ કર્યો છે એનો અર્થ એવો નથી કે નરેન્દ્ર મોદી એકલા આને માટે જવાબદાર છે. આનો અર્થ એવો પણ નથી કે તેઓ આને માટે જવાબદાર નથી. એ કઈ રીતે એ સમજવાનો પ્રયાસ કરીએ.

આ ઘટનાઓ આખા ભારતમાં બની છે. એવાં રાજ્યોમાં પણ બની છે જ્યાં બી.જે.પી. શાસનમાં નથી અને એમાં પશ્ચિમ બંગાળ, ઓડીશા, તામીલનાડુ, કેરળ જેવાં રાજ્યો પણ છે જ્યાં બી.જે.પી.એ ક્યારે.ય શાસન કર્યું નથી. બીજું અત્યાચારોની સંખ્યા આપવામાં આવી છે એમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી બહુ મોટો ઉછાળો આવ્યો છે એવું પણ નથી. લગભગ આ જ સરેરાશે દરેક વર્ષમાં અત્યાચાર થઈ રહ્યા છે. હા, એક ફરક છે. આજકાલ ધરાર માણસ નહીં બનવાને ભૂષણ સમજવામાં આવે છે. એવું પહેલાં નહોતું. પહેલાં માણસ માણસાઈ છોડતો ત્યારે શરમાતો. આજે ‘ગર્વ સે કહો હમ દાદા (પછી એ દાદો દેશભક્ત હોય, ધર્મભક્ત હોય, રાષ્ટ્રભક્ત હોય, જ્ઞાતિભક્ત હોય કે બીજો કોઈ પણ હોય) હૈ’ના દિવસો છે. દરેક બીજા સમક્ષ જીવવાની શરતો મૂકે છે. નરેન્દ્ર મોદીના પ્રાગટ્ય પહેલાં આવું ઓછું હતું. પરંતુ આને કારણે દલિતો અને આદિવાસીઓ પરના અત્યાચારમાં પ્રચંડ વધારો થયો છે અને પહેલાં કાયદાનું રાજ હતું એવું નથી. આ દ્રષ્ટીએ નરેન્દ્ર મોદી જવાબદાર નથી.

પણ નરેન્દ્ર મોદી જવાબદાર છે પણ. તેમણે ભારતની તમામ પ્રજા માટે વગર ભેદભાવે અચ્છે દિન લઈ આવવાનો દાવો કર્યો હતો. હવે તેમને એટલી તો જાણ હશે જ કે સુશાસન વિના અચ્છે દિન આવતા નથી અને સુશાસનનો અર્થ જ છે કાયદાનું રાજ જેમાં સક્ષમ ન્યાયતંત્રનો પણ સમાવેશ થાય છે. આ મોરચે સુધારો કરવા માટે સાહેબે પાંચ વરસમાં કોઈ પ્રયાસ કર્યા? શા માટે નથી કર્યા? અચ્છે દિનનો અનિવાર્ય અને એક રીતે એક માત્ર માર્ગને કેમ અપનાવવામાં નથી આવતો? જરૂર કોઈક એવા સ્થાપિત હિતો છે જે ભારતને માનવીય બનતું અટકાવે છે. જે એને ઓળખી કાઢે અને તેને નિરસ્ત કરે એ મહાન નેતા. નરેન્દ્ર મોદી આ કરી શક્યા નથી એટલે તેઓ મહાન નેતા તો નથી જ, પણ તેમના કાર્યકાળમાં બનેલી ઘટનાઓ માટે સીધી અને આડકતરી રીતે જવાબદાર છે.

(‘૨૦૧૪થી ૨૦૧૮ : દલિત-આદિવાસી માટે ભેદભારત’. સંપાદક – માર્ટિન મૅકવાન; પ્રકાશક – દલિત શક્તિ પ્રકાશન. કિંમત, ૩૦૦/- રૂપિયા. Email:martin.macwan@gmail.com)

16 જુલાઈ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 જુલાઈ 2019

Loading

18 July 2019 admin
← The Way You Look at Me
પ્રકાશ ન. શાહ એટલે જાહેર જીવનનાં મૂલ્યો માટે સમુલ્લાસ નિસબત અને ‘નિરીક્ષક’ થકી નુક્તેચીની →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved