Opinion Magazine
Number of visits: 9449035
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિપક્ષી એકતા ૨૦૧૯ની વાસ્તવિકતા, નીતિન ગડકરી થયા સક્રિય

રમેશ ઓઝા|Opinion - Opinion|15 January 2019

જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ એમ દેશમાં રાજકીય સમીકરણો ઝડપભેર બદલાઈ રહ્યાં છે અને હજી વધુ બદલાશે. ઉત્તર પ્રદેશમાં અઢી દાયકા જૂની દુશ્મની વીસરીને SP-BSPએ ચૂંટણીસમજૂતી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશમાં રચાયેલા ગઠબંધનમાંથી કૉન્ગ્રેસને બહાર રાખવામાં આવી છે. આની પાછળ કૉન્ગ્રેસને ઝુકાવવાની ગણતરી છે. કૉન્ગ્રેસ જો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં SP-BSPને સાથે લેશે અને સરખી બેઠકો ફાળવશે તો ઉત્તર પ્રદેશમાં SP-BSP કૉન્ગ્રેસને સાથે લઈને વળતર આપશે. દરમ્યાન અત્યારે તો કૉન્ગ્રેસે જાહેરાત કરી છે કે એ ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડશે અને તમામ ૮૦ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે.

૧૯૯૨માં અયોધ્યામાં સંઘપરિવારે બાબરી મસ્જિદ તોડી પાડી એ પછી ૧૯૯૩માં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાઈ હતી. એ સમયે અયોધ્યાના હિન્દુત્વવાદી જુવાળને રોકવા SP-BSP વચ્ચે ગઠબંધન થયું હતું જેમાં અવિભાજિત ઉત્તર પ્રદેશમાં BJPનો કારમો પરાજય થયો હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે ત્યારે રાજસ્થાન અને અવિભાજિત મધ્ય પ્રદેશમાં પણ BJPનો પરાજય થયો હતો. એ સમયે સમજૂતી મુજબ મુલાયમસિંહ યાદવને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા, પરંતુ એ ગઠબંધન નહોતું ટકી શક્યું. એ પછી ૨૫ વરસ સુધી ઉત્તર પ્રદેશના આ બે શક્તિશાળી પક્ષો વચ્ચે દુશ્મનીનો ઇતિહાસ છે. દુશ્મની એવી કે કોઈ કલ્પના ન કરી શકે કે SP-BSP સાથે આવે.

રાજકારણ શક્યતાઓનો પ્રદેશ છે. એમાં કાંઈ પણ થઈ શકે. SP-BSPને સાથે લાવવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, BJPના અધ્યક્ષ અમિત શાહે અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મોટો ભાગ ભજવ્યો છે. તાનાશાહી, સભ્યતાનો અભાવ, કોઈ પ્રકારની મર્યાદાની લક્ષ્મણરેખા નહીં માનવી અને વિરોધ પક્ષોને મુશ્કેટાટ કચડી નાખવાના વલણને કારણે દેશભરમાં વિરોધ પક્ષો સંગઠિત થઈ રહ્યા છે અને કેટલાક પક્ષો NDAમાંથી બહાર નીકળી રહ્યા છે. આજે દેશમાં લગભગ દરેક રાજ્યમાં વિરોધ પક્ષો કડવાં સમાધાનો કરીને પોતાની રાજકીય જગ્યા બચાવવાના કામે લાગ્યા છે.

આ બાજુ આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેસમ પાર્ટીને પગલે-પગલે હવે આસામમાં આસામ ગણ પરિષદે પણ NDAને રામરામ કરી દીધા છે. મેઘાલય અને બીજાં રાજ્યોમાં પણ BJPના સાથીપક્ષો નાગરિક-નોંધણીમાં કરવામાં આવતા અતિરેકનો વિરોધ કરી રહ્યા છે અને BJPને રામરામ કરવાની ધમકી આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના સતત BJPની ટીકા કરે છે એ ત્યાં સુધી કે સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન માટે ચોકીદાર ચોર જેવો શબ્દપ્રયોગ કર્યો હતો. BJPની હાલત એવી છે કે ભાગીદાર પક્ષ વડા પ્રધાનને ચોકીદાર ચોર કહે છે છતાં સેના સાથેનું ગઠબંધન તોડી નથી શકતી. શિવસેના BJP સાથે ચૂંટણીસમજૂતી કરશે, પણ પોતાની શરતે. મારા અનુમાન મુજબ પહેલી શરત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજવાની હશે અને બીજી શરત ૨૦૧૪ પહેલાં એટલે કે ૨૦૦૯માં BJP અને સેના વચ્ચે અનુક્રમે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની જે સમજૂતી કરવામાં આવી હતી એ પાછી લાગુ કરવામાં આવે. એ વખતની સમજૂતી આ મુજબ હતી – લોકસભા માટે કુલ ૪૮ બેઠકોમાંથી BJPને ૨૫ બેઠકો ફાળવવામાં આવી હતી અને સેનાને ૨૨. વિધાનસભાની કુલ ૨૮૮ બેઠકોમાંથી BJPને ૧૧૯ અને સેનાને ૧૬૯. લોકસભાની ચૂંટણીના માત્ર ચાર મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જૂની સમજૂતી મુજબ BJPને લોકસભા માટે વધુ બેઠકો ફાળવવામાં આવતી હતી અને શિવ સેનાને વિધાનસભાની. સાથે ચૂંટણી યોજવાનો આગ્રહ એટલા માટે કે પાછળથી BJP ફરી ન જાય.

લોકસભામાં ઉત્તર પ્રદેશ (૮૦ બેઠકો) પછી મહારાષ્ટ્ર સૌથી વધુ ૪૮ બેઠકો ધરાવે છે. બીજું, BJPને ૨૦૧૪માં જે ૨૮૨ બેઠકો મળી હતી એમાંથી બસો કરતાં વધુ બેઠકો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં મળી હતી. ઉદ્ધવ ઠાકરે જાણે છે કે આ વખતે એનું પુનરાવર્તન થવાનું નથી એટલે BJPને નાછૂટકે બીજા ક્રમના સૌથી વધુ બેઠક ધરાવનારા રાજ્યમાં સેના પાસે આવવું પડશે. એમ કહેવામાં આવે છે કે વડા પ્રધાન ખુદ ઉદ્ધવ ઠાકરેને મળવા અને સમજાવવા આવવાના છે. મહારાષ્ટ્ર પછી ૪૨ બેઠકો સાથે ત્રીજા ક્રમનું રાજ્ય પશ્ચિમ બંગાળ છે જ્યાં દાળ ગળે એમ નથી અને ચોથા ક્રમનું રાજ્ય બિહાર છે જે ૪૦ બેઠકો ધરાવે છે. બિહારમાં BJPએ પોતાની જીતેલી પાંચ બેઠકો સાથીપક્ષો માટે છોડી દેવી પડી છે.

ઓડિશામાં બીજુ જનતા દલના નેતા નવીન પટનાયકે જાહેરાત કરી દીધી છે કે તેઓ BJP સાથે કે અન્ય કોઈ પણ રાજકીય મોરચામાં જોડાવાના નથી. આમ ઓડિશામાં જે આશા હતી એ પણ ઠગારી નીવડી છે. એક સમયે નવીન પટનાયકનો હાથ પકડીને નરેન્દ્ર મોદી જગન્નાથપુરીથી લોકસભાની ચૂંટણી લડવાનું વિચારતા હતા. કાશી પછી પુરી. એક યાત્રાસ્થળ પછી બીજું. કાશીમાં સ્થિતિ કફોડી છે એટલે બીજે જવું પડે એમ છે. હવે વડા પ્રધાન રાજકોટથી ચૂંટણી લડવાના છે એ લગભગ નક્કી છે.

અત્યારે NDA લગભગ અસ્તિત્વ નથી ધરાવતો એમ કહી શકાય. અત્યારે મોટા કહી શકાય એવા ત્રણ જ પક્ષ NDAમાં છે. એ છે : શિવસેના, અકાલી દલ અને જનતા દલ (યુનાઇટેડ). આ બાજુ નીતિન ગડકરીએ ડાહી-ડાહી વાતો કરીને સમાંતરે રેખા દોરવાનું શરૂ કરી દીધું છે. યવતમાળમાં મરાઠી સાહિત્ય પરિષદમાં તેમણે ટોળાંશાહીની નિંદા કરી હતી. અસહિષ્ણુતાની નિંદા કરી હતી. સર્જકની સ્વતંત્રતાની હિમાયત કરી હતી. એ પહેલાં ગયા અઠવાડિયે તેમણે ઇન્દિરા ગાંધીની સ્તુતિ કરી હતી.

આવતા એક મહિનામાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 15 જાન્યુઆરી 2019

Loading

15 January 2019 admin
← દેશ-વિદેશની સદ્ગુણી સ્ત્રીઓ
ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારી : બૌદ્ધિક વ્યક્તિત્વ, માનવીય અભિગમ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved