Opinion Magazine
Number of visits: 9449649
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતની ભાષા-સંસ્કૃિતની ઉપાસનાનો યજ્ઞ પ્રજ્વલિત રાખનાર સવ્યસાચી ધીરુભાઇ ઠાકર

વી.એસ. ગઢવી|Opinion - Opinion|7 June 2018

એક હજાર પૃષ્ઠનો એક એવા પચીસ ગ્રંથોની વિપુલ સામગ્રી તૈયાર કરીને જગતના ચોકમાં તેમણે મૂકી એ જ્વલંત ઘટના છે

સંવેદના તેમ જ આત્મીયતાના ભાવ એ તો કુદરતની દેણગી છે. માનવજીવન આવા ભાવથી વૈશાખના ગુલમહોરની જેમ મહોરી ઊઠે છે. મહાત્મા ગાંધીના મતે કહેવાતા ભણેલા લોકોની સમાજ પ્રત્યેની બિનસંવેદનશીલતા એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આજે પણ આ મંતવ્ય એટલું જ ઉચિત છે. આ સંદર્ભમાં વિશ્વકોશના જનક એવા ધીરુભાઇ ઠાકર(૧૯૧૮-ર૦૧૪)નું સ્મરણ એમની જન્મજયંતીના માસમાં થાય, ત્યારે આ ધોમધખતા તાપમાં પણ મનમાં શાંતિ તથા શીતળતાની પ્રસન્નતા થાય છે. ધીરુભાઇ ઠાકર વિશેનો આવો યાદગાર અનુભવ જયદેવ શુકલે લખ્યો છે. જયદેવ શુકલને મોડાસા કોલેજમાં અધ્યાપકની જગ્યા માટેનો ઇન્ટરવ્યુ હતો. 

સાંજે તેમનો ક્રમ આવ્યો ઇન્ટરવ્યુની વિધિ પૂરી થયા પછી જયદેવભાઇએ ઠાકર સાહેબેને પૂછયું : ‘‘વડોદરા તરફ જતી કોઇ બસ હવે સાંજના સમયે મળી શકશે ?'' ઠાકર સાહેબે સ્નેહથી જવાબ આપ્યો કે હવે આ સમયે વડોદરા તરફ જતી કોઇ બસ નથી. આટલો હકીકતલક્ષી પ્રત્યુત્તર આપીને સામાન્ય રીતે આપણે વાતચીતનો અંત લાવીએ. પરંતુ અહીં ઠાકરસાહેબ હતા, જેમને સામી વ્યકિતની સગવડ-અગવડ તરફ એક સંવેદનાનો ભાવ હતો.

ઠાકર સાહેબે જયદેવ શુકલને ચિંતામુક્ત કરતા ધરપત આપી કે મોડાસા કોલેજની હોસ્ટેલમાં તેમના રહેવાની તથા જમવાની સુવિધા થઇ જશે. હોસ્ટેલના રેક્ટરને ધીરુભાઇની સૂચના હોવાથી રહેવા-જમવા વગેરેનો ચાર્જ લીધા સિવાય જયદેવભાઇની મહેમાનગત કરવામાં આવી. ઠાકરસાહેબ જેવા વિદ્ધતજનોથી આપણે ભર્યા – ભાદર્યા છીએ એવી પ્રતિતિ થાય છે. ર૭ જૂને ધીરુભાઇની જન્મજયંતી આવે છે. તેથી અનેક લોકોને તેમનું પુણ્યસ્મરણ થવું સ્વાભાવિક છે. સંસ્થાઓનું નિર્માણ કરનાર ધીરુભાઇ આવી સંસ્થાઓનાં અનેક કાર્યો થકી આજે પણ જીવંત છે, ધબકતા છે.

સિંહગિરા સોરઠમાં ૧૯૧૮માં જન્મેલા સાક્ષર ધીરુભાઇ પ્રેમશંકર ઠાકર (તખલ્લુસ: સવ્યસાચી) ૨૦૧૪ના જાન્યુઆરીની ૨૪મી તારીખે એક જીવનમાં અનેક જીવનનાં કામ નિપટાવીને મહાપ્રયાણ કરી ગયા. ભારત સરકારે ૧૯૧૪ના વર્ષમાં જ ‘પદ્મભૂષણ'નો એવોર્ડ આપીને આ વિચારબીજના વાહકને વધાવ્યા. સુયોગ્ય સ્થળે પહોંચેલા એવોર્ડનો આનંદ અનેક લોકોના મનમાં હતો. એ સાથે જ ધીરુભાઇને ગુમાવ્યાનો ઊંડો રંજ હતો. નિરંતર કર્મની જ્યારે વાત કરીએ ત્યારે ધીરુભાઇ ઠાકરની સ્મૃિત થવી સ્વાભાવિક છે. આપણી નજર સમક્ષ હજુ ગઇકાલ સુધી ઉન્નત તથા અર્થસભર જીવતર જીવી જનાર ઠાકર સાહેબ નવા ચીલા પાડીને ગયા. થાક તથા નિરાશાનો ઓછાયો પણ તેમના જીવનમાં પડ્યો હોય તેમ લાગતું નથી.

વિશ્વકોશના આ જગનન્નાથના રથને ખેંચવા જેવું કપરું કામ નહીંતર કેવી રીતે થયું હોત ? ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ઝંઝાવાતી કર્મવીર જેના સર્જન સાથે સંકળાયેલા છે તેવી ‘મોંઘેરી ગુજરાત'ની એક અલગ રાજ્ય તરીકે ૧૯૬૦માં રચના થઇ. ગુજરાતની સ્થાપના પછીના પાંચ દાયકામાં થયેલાં ઐતિહાસિક કાર્યોની સૂચિ તૈયાર કરીએ, તો તેમાં વિશ્વકોશની સ્થાપના અને તેના યોગદાનની વાત અચૂક આવે તેમ કહેવામાં સહેજપણ અતિશયોક્તિ નથી. એક હજાર પૃષ્ઠનો એક એવા પચીસ ગ્રંથોની વિપુલ સામગ્રી તૈયાર કરીને જગતના ચોકમાં મૂકવી તે ગુજરાત રાજ્યની સ્થાપના પછીનાં વર્ષોની એક જ્વલંત ઘટના છે.

વિશ્વના કોઇપણ ખૂણે વસનાર ગુર્જર આ યશસ્વી કાર્ય માટે ગૌરવનો ભાવ અનુભવી શકે છે. ઠાકર સાહેબે જાતે તો કાર્ય કર્યુ જ, પરંતુ આ કામની અવિરત પ્રગતિ માટે મજબૂત ટીમવર્ક તથા સંસ્થાગત માળખું પણ ઊભું કર્યુ. વિશ્વકોશનું ભગીરથ કાર્ય સતત ચાલતું રહે તથા અનેક વિષયોના સંદર્ભમાં જ્ઞાનઉપાસનાનો યજ્ઞ જ્વલંત રહે તે માટે આવા સંસ્થાકીય માળખાની અનિવાર્યતા ઠાકર સાહેબની દ્રષ્ટિ બહાર ન હતી.

ધીરુભાઇ જીવનની છેલ્લી ક્ષણ સુધી સક્રિય રીતે કાર્યરત રહ્યા. નારાયણ દેસાઇ ધીરુભાઇને ચિરયુવા કહેતા તે યથાર્થ છે. સાહિત્યના સર્જન વચ્ચે પણ ધીરુભાઇમાં રમૂજવૃત્તિ અને હળવાશ કાયમ રહ્યા તે વાત ધીરુભાઇના પુત્રી હીનાબહેને કરી છે, તે ઠાકરસાહેબના ભાતીગળ વ્યક્તિત્વને ઉજાગર કરે છે. વિશ્વકોષ તેમ જ હવે ખાસ બાલ વિશ્વકોષના આ અમૂલ્ય ગ્રંથો આપણા ગ્રંથાલયની શોભા વધારે તેવા છે. પડકાર આપણી સામે એ છે કે આપણે તેનો કેટલો ઉપયોગ કરવાની આદત કેળવીએ છીએ! આવી આદત કેળવવાની જવાબદારી આપણી સૌની છે, સામૂહિક છે. ધીરુભાઇ ઠાકર જેવા કર્મયોગીનું જીવન ગુજરાતની આજની તથા આવતી કાલની પેઢીઓને ચરૈવેતી….ચરૈવેતી….નો અર્થસભર સંદેશો ચિરકાળ માટે સંભળાવતું તથા પ્રેરણા આપતું રહેશે તે નિર્વિવાદ છે. જ્ઞાન ઉપાસનાનું આ કાર્ય ગુજરાતને એક નવી ઓળખ આપે તેવું છે.

વિશ્વકોશના આ મહાયજ્ઞમાં આહુતિ આપનાર પૂજ્ય મોટા, સાંકળચંદ પટેલ (વિસનગર) તથા ધીરુભાઇ ઠાકરના આપણે સૌ ગુજરાતીઓ સદાકાળ ઋણી રહીશું. મહારાજા ભગવતસિંહજીએ તેમ જ ધીરુભાઇ ઠાકરે કરેલી ગુજરાતી ભાષાની સેવા આ વિષયમાં કામ કરતાં દરેક લોક માટે સદાકાળ પ્રેરણારૂપ બની રહે તેવી છે.

સૌજન્ય : ‘વાટે…ઘાટે…’, “નવગુજરાત સમય”, 07 જૂન 2018

Loading

7 June 2018 admin
← અપુન કૌન? જીવરામ જોષી. લેખક બચ્ચા …
અને મહાત્મા ગાંધીએ નક્કી કર્યુ કે, નાસી છુટવું એ નામર્દાઇ છે →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved