Opinion Magazine
Number of visits: 9449582
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામ્યવાદ ગયો પણ લેનિન જીવંત છે

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|24 March 2018

જો ત્રિપુરામાં કમ્યુિનસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(Marxist)એ ભગત સિંહની મૂર્તિઓ લગાવી હોત તો શું થયું હોત? તો શું માકપાને સત્તાથી બહાર કર્યા બાદ ભાજપાએ પણ આ જ પ્રકારનું વર્તન કર્યું હોત?

એક વર્ષ પહેલાં એક ઇતિહાસકાર મિત્ર કે જેઓ માકપાનાં સદસ્ય પણ છે તેમની સાથે હું બેંગલુરુમાં લંચ કરી રહ્યો હતો. કમ્યુિનસ્ટ હોવા કરતાં પણ તેથી અલગ એક અભ્યાસી, મજાકિયા-હાજર જવાબી અને ક્રિકેટ પ્રેમી હોવાને લીધે તેઓ મારા સારા મિત્ર છે. મેં તેમને પૂછ્યું કે માકપા અધિવેશન સ્થળો પર જર્મન વિચારકો માર્ક્સ-એન્ગલ્સ અથવા રૂસી તાનાશાહો લેનિન અને સ્તાલીનનાં જ કેમ મોટાં-મોટાં પોસ્ટર જોવા મળે છે? શું આ રાજનૈતિક દળ માટે કોઈ પોતાનો ‘ભારતીય આદર્શ’ નથી? તેઓ ભગત સિંહનું તો સન્માન કરી જ શકે છે ને? ભગત સિંહ તો ભારતીય પણ હતા અને સાથે માર્કસવાદી પણ.

આ મુદ્દે ઇતિહાસકાર મિત્ર મારી સાથે સહમત હતા અને તેમણે વધુમાં કહ્યું કે તેઓ આ મુદ્દાને પાર્ટી સમક્ષ યોગ્ય સમયે રજૂ પણ કરશે. પણ, હવે લાગે છે કે તેનાથી કશું પ્રાપ્ત થયું નથી. માકપાના ભગત સિંહ કરતાં લેનિન-સ્તાલીન પ્રત્યેના વધુ પ્રેમના બે કારણો છે. એક તો તે જડતા કે જેનાથી તેઓ આ લોકોની વંદના કરતાં શીખ્યા અને તેનાથી બહાર નીકળીને આગળ તેઓ વિચારી શકતા નથી. જે રીતે વૈષ્ણવ, વિષ્ણુ અથવા તેમના અવતારો સિવાય અન્ય કોઈ દેવની કલ્પના કરવા નથી ઈચ્છતા, તે રીતે માર્ક્સવાદી યુવાવસ્થામાં ભણાવવામાં આવેલા ‘આરાધના’થી આગળ નથી વધી શક્યા.

માકપામાં ભગત સિંહને વધુ મહત્ત્વ નહિ મળવાનું બીજુ કારણ એ છે કે પાર્ટીના પોતાના અવિભાજિત મૂળિયાં કમ્યુિનસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયામાં રહેલાં છે અને ભગત સિંહ ક્યારે ય પણ આ પાર્ટીના સભ્ય નહોતા રહ્યા. તેઓ હિન્દુસ્તાન સોશલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન(એચ.એસ.આર.એ.)નો ભાગ હતા. માકપાનો આધાર બોમ્બે-કલકત્તા(હવે મુંબઈ-કોલકાતા)ના શ્રમિકો પર હતો, તો એચ.એસ.આર.એ.નો પ્રભાવ ઉત્તર ભારતમાં વધુ હતો. માટે, ભગત સિંહ માર્કસવાદી ભલે રહેતા પણ તેઓ ક્યારે ય અવિભાજિત માકપા સાથે ક્યારે ય જોડાયેલા નહોતા અને માટે જ માકપાનાં મંચ પર ભગત સિંહનાં ચિત્ર ક્યારે ય પણ જોવા નથી મળતા.

ત્રિપુરાના મુદ્દે તો લેનિન વિદેશી હતા એ વાતનો ભાજપાએ આધાર લીધો. પરંતુ, એક છાપાંમાં ભાજપાનાં કોઈ એક કાર્યકર્તાની એવી વાત જણાવવામાં આવી કે જો મૂર્તિઓ ત્રિપુરાનાં કમ્યુિનસ્ટ નેતા નૃપેન ચક્રવર્તીની હોત તો કદાચ આ બધું ના થયું હોત. પરંતુ, સમસ્યા એ નથી કે લેનિન વિદેશી હતા પણ તેઓ અલોકતાંત્રિક હતા એ સમસ્યા છે. તેઓ એક એવા તાનાશાહ હતા કે તેઓએ પોતાની પાર્ટીને પોતાના વશમાં કરતાં પહેલાં સમગ્ર દેશને પાર્ટીના વશમાં કરી દીધો હતો.

હું ભાજપાના વિદેશીવાતવાળા તર્ક અથવા વિચારની સાથે સહમત નથી. હું તો રવીન્દ્રનાથ ટાગોરના તે વિશ્વાસ સાથે છું કે રોશની દુનિયામાં ક્યાં ય પણ હોય આપણે પોતાને જાતને તેનાથી રોશન કરવી જોઈએ. મહાનતા દેશોની સરહદમાં બંધાઈ નથી શકતી. ઉદાહરણ તરીકે જો નેલ્સન મંડેલા, માર્ટીન લ્યૂથર કિંગ અથવા વેકલાવ હેવેલની મૂર્તિઓ જો આપણા શહેરો અને નગરોમાં જોવા મળે તો હું ખુશ થઇ જાઉં. પણ, હું તાનાશાહો માટે ચોક્કસ એક રેખા ખેંચવા માગું છું. લેનિન માનતા હતા કે સરકારમાં ત્યારે જ જોડાવવું જોઈએ કે જ્યારે આપણામાં એવી ક્ષમતા હોય કે આપણે તેના ઉપરી બની શકીએ અથવા તેના પર અસર પાડી શકીએ. અન્ય દળ અથવા રાજનેતાઓની સાથે જવાબદારીઓ અથવા અધિકારોને સમજવા તે તેમના વિચારોમાં વર્જિત હતું.

વર્ષ ૧૯૯૬માં આ વિચાર નડ્યો કે જ્યારે માકપા સેન્ટ્રલ કમિટીના વફાદાર લેનિનવાદીઓએ જ્યોતિ બસુને ભારતના પ્રધાનમંત્રી બનવા દીધા નહિ. વર્ષ ૨૦૦૪માં તો આના કરતાં પણ વધુ મોટી ભૂલ થઈ કે જ્યારે આ જ લોકોએ માકપાને કેન્દ્રની યુ.પી.એ. સરકારમાં સામેલ થતાં રોકી દીધા. વર્ષ ૧૯૯૬માં તો જ્યોતિ બસુ એક અલ્પ-બહુમતવાળી સરકારના વડા બની ગયા હોત કે જે બાદમાં એક-બે વર્ષમાં ભાંગી પડવાની હતી. પણ, વર્ષ ૨૦૦૪નો નિર્ણય તો તેમને એક સ્થાયી યુ.પી.એ. સરકારમાં સામેલ થઈને ઘણું બધું કરવાનો અવસર આપી શક્યો હોત.

લેનિન બહુ પહેલાં કહી ગયા હતા કે ‘કોઈ અન્ય દળ સાથે મળીને કાર્ય નથી કરવાનું’, માટે માકપાને મનમોહન સિંહની સરકારમાં જોડાવવાનું ઉચિત લાગ્યું નહિ. જેનું પરિણામ માકપા અને દેશની જનતાને પણ ભોગવવું પડ્યું. આપણે ભલે તેમની વિચારધારાની સાથે સહમત હોઈએ નહિ છતાં પણ આપણે એ જાણવું જ રહ્યું કે અન્ય રાજનેતાની અપેક્ષાએ કમ્યુિનસ્ટ નેતા વધુ વિવેકશીલ, ઓછાં ભ્રષ્ટાચારી, વંશવાદથી દૂર અને ઓછાં સાંપ્રદાયિક તો છે જ. પરંતુ, સત્ય તો એ છે કે જો માકપાએ ઈચ્છ્યું હોત તો પોતાના સાંસદોની સાથે વર્ષ ૨૦૦૪માં યુ.પી.એ. સરકારમાં જોડાઈને કૃષિ અને ગ્રામીણ વિકાસ, જનજાતીય કલ્યાણ અને મહિલા અને બાળ વિકાસ જેવા મંત્રાલયોમાં દિલથી મહેનત અને કાર્ય કરીને દેશનાં ગરીબોનું જીવન સુધારવાનું એક મોટું કાર્ય કરી શક્યા હોત. તેમનાં સાંસદ ટેલિવિઝન અને સંસદનો વધુ સારો ઉપયોગ કરીને દેશનું ભલું કરી શક્યા હોત અને ત્યારે કદાચ કેરાળા, ત્રિપુરા અને બંગાળથી બહાર પણ પોતાની પાર્ટીની ઉપસ્થિતિ વિશાલ પટ પર નોંધાવી શક્યા હોત.

ત્રિપુરામાં લેનિનની મૂર્તિ હટાવનાર લોકોની નિંદા કરવી જ જોઈએ અને મને તો એ લોકો પર દયા આવે છે કે જે લોકોએ આ મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું. વર્ષ ૧૯૨૦ના દાયકામાં તો લાહોરમાં રહેનાર ભગત સિંહની પાસે એવો કોઈ વિકલ્પ નહોતો કે તેઓ રૂસમાં લેનિન અને સ્તાલીનની વિકૃતિઓને સમજી શક્યા હોત. પણ, વર્ષ ૧૯૩૦ના બાદનાં વર્ષોમાં આ બધું લેખિત સ્વરૂપે સામે આવવા લાગ્યું હતું. વર્ષ ૧૯૫૬માં તો સોવિયેત કમ્યુિનસ્ટ પાર્ટીએ પણ સ્તાલીનની નિંદા કરી હતી. વર્ષ ૧૯૮૯માં બર્લિનની દિવાલ પાડ્યા બાદ, તે તમામ દેશોમાં લેનિનની અવગણના કરવામાં આવી હતી કે જ્યાં એક સમયમાં તેમનું શાસન હતું. પણ, દાયકાઓની આ યાત્રામાં આપણા કમ્યુિનસ્ટ નેતાઓ કશું ભૂલી નથી શક્યા કે નથી કશું શીખી શક્યા. તેઓ હજુ પણ સોવિયેત તાનાશાહીના બે પ્રતીકોની ભક્તિ કરી રહ્યા છે. હવે જ્યારે તેઓ ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં પોતાને ગુમાવી ચૂક્યા છે ત્યારે એવી આશા રાખી શકાય કે પાર્ટી આગામી અધિવેશનમાં આ બંને રૂસી તાનાશાહોમાંથી કોઈ ભગત સિંહ જેવા ક્રાંતિકારીને સ્થાન આપશે?

અનુવાદ – નિલય ભાવસાર

e.mail :nbhavsarsafri@gmail.com

Loading

24 March 2018 admin
← સ્વેચ્છામૃત્યુનો વિવાદઃ જીવન સંકેલવાનો હક અને કાયદો
આપણો જનમોજનમનો સંગ →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved