Opinion Magazine
Number of visits: 9446984
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બર્થ ઑફ નૉન-બીજેપીઝમ

રમેશ ઓઝા|Opinion - Opinion|19 March 2018

ઇન્ડેક્સ ઑપોઝિશન યુનિટી નામની એક ચીજ છે જેનું બહુપક્ષી સંસદીય રાજકારણમાં ઘણું મહત્ત્વ છે.

૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ એમ ઉપરાઉપરી ત્રણ સામાન્ય ચૂંટણીઓમાં વિરોધ પક્ષો કૉન્ગ્રેસના ગઢનો કાંકરો પણ નહીં હલાવી શક્યા એ પછી વિરોધ પક્ષોમાં હતાશા પેદા થવા લાગી હતી. એ સમયમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી મહદંશે સાથે યોજાતી હતી. એમને લાગવા માંડ્યું હતું કે આ રીતે તો કૉન્ગ્રેસને સત્તા પરથી ઊતરતા દાયકાઓ લાગશે એટલે સમાજવાદી નેતા ડૉ. રામ મનોહર લોહિયાએ નૉન-કૉન્ગ્રેસીઝમની થિયરી આગળ કરી હતી. સંસદની અંદર, સંસદની બહાર, રસ્તા પર અને ચૂંટણીના મેદાનમાં વિરોધ પક્ષોએ સાથે મળીને કૉન્ગ્રેસનો મુકાબલો કરવો જોઈએ. તેમણે વિરોધ પક્ષોને સમજાવ્યું હતું કે મતવિભાજન સંસદીય રાજકારણને કેવી રીતે પ્રભાવિત કરે છે.

ગઈ ચૂંટણીમાં પાંચ-પાંચ ટકા મતો મેળવનારા બે રાજકીય પક્ષો સાથે આવી જાય તો એમને મળનારા મતોનું પ્રમાણ ૧૦ ટકા થઈ જાય, પરંતુ સામેના હરીફ પક્ષને ૧૨થી ૧૫ ટકાનું નુકસાન થતું હોય છે. જેટલા પ્રમાણમાં મતવિભાજન ટળે એટલા પ્રમાણમાં યુદ્ધરેખા સ્પષ્ટ થઈ જતી હોય છે એટલે મતોનું ધ્રુવીકરણ થવા લાગે છે જેમાં શાસક પક્ષને નુકસાન થાય છે. આનું અટપટું શાસ્ત્ર છે જેને સેફોલૉજી તરીકે ઓળખાવવામાં આવે છે.

જગતમાં સેફોલૉજી નામનું શાસ્ત્ર વિકસે (અને આજે પણ સંપૂર્ણપણે વિકસેલું છે એવું નથી) એ પહેલાં ડૉ. લોહિયા પામી ગયા હતા કે વિરોધ પક્ષોની એકતા ઑપોઝિશન યુનિટીનો જે ઇન્ડેક્સ પેદા કરે છે જે વિરોધ પક્ષોને ફાયદો કરાવી શકે એમ છે. ઓછામાં ઓછું મતવિભાજન અને વધુમાં વધુ ફાયદો. વિરોધ પક્ષોને ડૉ. લોહિયાની વાત તો ગળે ઊતરી હતી, પરંતુ સેક્યુલર પક્ષોમાં સવાલ ઉપસ્થિત થયો હતો કે આમાં ભારતીય જનસંઘ નામના કોમવાદી પક્ષને સાથે લેવો જોઈએ કે નહીં? કોમવાદી પક્ષ સાથે હાથ મેળવતા ફાયદાની જગ્યાએ નુકસાન થશે તો? કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષ જેવા સેક્યુલર પક્ષને કોમવાદી ગણાવશે તો? બીજું, તત્ત્વનું શું? કોમવાદી પક્ષને બાથમાં કેમ લેવાય. આ તો સિદ્ધાંતો સાથે બહુ મોટું સમાધાન કહેવાય. અને ત્રીજું, જેને પ્રજા ઘાસ નાખતી નથી, જેની લોકો મજાક ઉડાડે છે, સમજદાર નાગરિકો જેનાથી ડરે છે, જેનો એજન્ડા હિન્દુ રાષ્ટ્રનો છે, જે પક્ષ પર બિનલોકતાંત્રિક ફાસીવાદી સંગઠનનો અંકુશ છે એ પક્ષ કૉન્ગ્રેસને કાઢવા જતાં મજબૂત થશે તો? આ તો બકરું કાઢતાં ઊંટ પેસવા જેવું થશે. આખરે જનસંઘ (અત્યારની BJP) કૅડર આધારિત પક્ષ છે.

ખેર નૉન-કૉન્ગ્રેસીઝમનો લાંબો ઇતિહાસ છે જેની વિગતોમાં જવાની જરૂર નથી. વિરોધ પક્ષોનો સંયુક્ત મોરચો રચાતો હોવા છતાં અને ઠીક-ઠીક પ્રમાણમાં ચૂંટણીસમજૂતી કરવામાં આવતી હોવા છતાં કૉન્ગ્રેસને સત્તા પરથી ઊતરતા બીજા ત્રણ દાયકા લાગ્યા હતા. આ બાજુ ગેર-કૉન્ગ્રેસવાદે ભારતના રાજકારણને બે રીતે પ્રભાવિત કર્યું હતું. એક તો જનસંઘ/BJPને સમાજમાં આદરપૂર્વકનું સ્થાન મળ્યું અને સંસદીય રાજકારણમાં એની તાકાતમાં વધારો થયો. એ સમયે કૉન્ગ્રેસ માટે એટલી બધી નફરત હતી કે જયપ્રકાશ નારાયણે ત્યાં સુધી કહ્યું હતું કે જો RSS ફાસીવાદી છે તો હું પણ ફાસીવાદી છું. જયપ્રકાશ નારાયણે બિહાર આંદોલન વખતે સંઘપરિવારને સાથે રાખીને એની પ્રતિષ્ઠા વધારી આપી હતી. ગેર-કૉન્ગ્રેસવાદનું બીજું પરિણામ એ આવ્યું કે રાજકીય વિચારધારા અને વિચારધારા આધારિત મર્યાદા જ બચી નહીં. કોઈ કોઈની પણ સાથે જઈ શકે. જેટલી શરમ ઓછી એટલી રાજકીય પ્રાસંગિકતા વધુ. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર આનું ઉદાહરણ છે. ગેર-કૉન્ગ્રેસવાદે રાષ્ટ્રીય રાજકારણનો ચહેરો અને ચરિત્ર જ બદલી નાખ્યાં.

૧૯૮૯માં ગેરકૉન્ગ્રેસવાદનો યુગ પૂરો થયો અને એની જગ્યા ગેરબીજેપીવાદે લેવા માંડી છે. એની વચ્ચે અટલ બિહારી વાજપેયીએ NDAની રચના કરીને અને સોનિયા ગાંધીએ UPAની રચના કરીને રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોની છાવણીઓ બનાવી. કેટલાક પક્ષો છાવણીમાં કાયમી સભ્ય હતા તો કેટલાક આવ-જા કરતા હતા. પોતપોતાની જરૂરિયાત મુજબ છાવણી બદલવાની છૂટ હતી. જેમ કે મમતા બૅનરજી, રામવિલાસ પાસવાન, કરુણાનિધિ જેવા બન્ને છાવણીમાં રહીને સત્તા ભોગવી આવ્યા છે. આમ NDAએ અને UPAને કારણે નૉન-બીજેપીઝમની કે આગળના નૉન-કૉન્ગ્રેસીઝમની ખાસ કોઈ જરૂરિયાત રહી નહોતી.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે પોતાને અને BJPને જે રીતે આક્રમકપણે પેશ કર્યાં એટલે સ્વાભાવિકપણે નૉન-બીજેપીઝમ કેન્દ્રમાં આવી ગયું. સવાલ એ હતો કે એમાં આગળ કેવી રીતે વધવું. સાથે મળીને ચૂંટણી લડવામાં આપણી વોટબૅન્ક તૂટે તો? આવું બનતું હોય છે. નૉન-કૉન્ગ્રેસીઝમના જમાનામાં ભારતીય જનસંઘને આવો ડર હતો અને જનસંઘ સાથે હાથ મિલાવવામાં બીજા સેક્યુલર પક્ષોને ડર હતો કે રખે મુસ્લિમ મત ગુમાવી દેશું તો? ઉત્તર પ્રદેશની જ વાત કરીએ તો સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ અલગ-અલગ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જેની વચ્ચે સો-બસો વરસની દુશ્મનીનો ઇતિહાસ છે. ભારતનાં લગભગ તમામ રાજ્યોમાં પરસ્પર વિચ્છેદનની સ્થિતિ છે.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ અંગત રીતે તેમની તરફેણમાં જુવાળ પેદા કર્યો હતો. BJPને ૨૮૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી. એકલા ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૭૩ (બે અપના દલની) બેઠકો મળી અને રાજસ્થાન તેમ જ ગુજરાત જેવાં રાજ્યોમાં તો BJPએ તમામ બેઠકો મેળવી હતી. આ બાજુ કૉન્ગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી ત્યારે વિરોધ પક્ષો હેબતાઈ ગયા હતા. તેમની સામે સવાલ હતો કે નૉન-બીજેપીઝમના નામે હરીફ રાજકીય પક્ષોએ હરીફાઈ ભૂલી જઈને આપસમાં ચૂંટણીસમજૂતી કરવી જોઈએ કે નહીં?

મૂંઝવણ મોટી હતી અને એ કઈ વાતે હતી એની વાત હવે પછી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 17 માર્ચ 2018

Loading

19 March 2018 admin
← ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે ગુજરાતી વૈચારિક સામયિકોએ સંગીન લડત આપી હતી
BJP’s Forays in North Eastern States and anti Minority Agenda →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved