Opinion Magazine
Number of visits: 9449077
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાજિક પ્રશ્નનો ભારતીય ઢબે ઉકેલ : જાજરૂ બંધાવો !

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|11 May 2013

આજે સમાચાર વાંચ્યા કે ભારતમાં પૂરતા જાજરૂના અભાવે, વહેલી સવારે અને રાત્રે બહાર જવાને કારણે, બળાત્કારના બનાવો વધુ બને છે.

તરત વિચાર આવ્યો, ચાલો ભારત જઈએ. ત્યાં ઘેરે ઘેર અને જાહેરમાં સ્વચ્છ જાજરૂ-બાથરૂમ બનાવવાનો ‘ધંધો’ શરૂ કરીએ. ગુજરાતીઓને આર્થિક ફાયદો થશે, અને બળાત્કારના બનાવો ઓછા થશે. જો કે આપણે અહીંથી જવાની જરૂર નથી. બળાત્કારના ગુનેગારોને જાજરૂ બાંધવાની સજા કરીને એમની પાસે જ એ કામ કરાવી શકાય. ભારતમાં આજની તારીખે અર્ધો બીલિયન લોકો પાસે જાજરૂની સગવડ નથી. આ હકીકત માન્યામાં ન આવે કેમ કે આપણે તો હવે ચન્દ્ર પર પ્રયાણ કર્યું છે, અણુ શસ્ત્રો બનાવ્યાં છે, અને એટલી આર્થિક પ્રગતિ કરી છે કે દુનિયાના ધનાઢ્ય દેશો ભારતના વિકાસથી ડરે છે.

બિહારમાં ગયે વર્ષે ૮૭૦ બળાત્કારના કિસ્સા નોંધાયા, નોંધ્યા વિનાના બનાવો બન્યા હશે તે તો જુદા. પોલિસ દ્વારા બહાર આવેલી હકીકત પ્રમાણે, તેમાંનાં ઘણા કિસ્સાઓમાં કન્યાઓ અને બહેનોને મોડી રાત્રે કે વહેલી સવારે વસતિથી દૂર જાજરૂ જવું પડે, એનો ગેરલાભ ઉઠાવીને આ હિચકારું કૃત્ય આચરવાની શક્યતા વધે છે. જો ઘરમાં જાજરૂ હોત, તો ૪૦૦ જેટલી બહેનો આ યાતનામાંથી બચી શકી હોત. બિહારમાં ૮૫% ઘરોમાં જાજરૂની પૂરતી સગવડનો અભાવ છે. એવું જ બીજાં રાજ્યોમાં પણ હશે. જોવાનું એ છે કે બિહારમાં ૪૫% લોકો સગવડ માટે, ૪% લોકો પ્રાઈવસી માટે જાજરૂ હોવા જોઈએ તેમ ઇચ્છે છે, જયારે માત્ર ૧% લોકો  સ્વાસ્થ્ય માટે ઘેરે ઘેર જાજરૂ હોવા જરૂરી છે એમ માને છે. ત્યાંની સરકાર ૨૦૨૨ સુધીમાં ૧૦ મીલિયન ઘરોમાં જાજરૂ આપવા માંગે છે. તેમને આપણા તરફથી અનેક શુભેચ્છાઓ.

આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે પીવાના પાણી, તેના નિકાલ અને જાજરૂ-બાથરૂમની વ્યવસ્થા પશ્ચિમના દેશોમાં ઓગણીસમી સદીના અંતે અને વીસમી સદીની શરૂઆતમાં કરવામાં આવી. પછી જ તેઓએ અવકાશમાં જવાનું અને અણુશસ્ત્રો બનવવાનું પગલું ભર્યું. ભારત સ્વતંત્ર થયું ત્યારે તેના સૂત્રધારોએ વિચાર્યું કે હાય આપણે એ દોડમાં પાછળ રહી ગયા, એટલે પૂછડેથી વિકાસની શરૂઆત કરી.

ચાલો કાઈં નહીં, આ બળાત્કારના પ્રશ્નના નિવારણ નિમિત્તે પણ જો દરેક ઘરને જાજરૂ બાંધવાની ફરજ પાડવામાં આવશે, અને તેને માટે સ્થાનિક સરકારો મદદ કરશે, તો એક કાંકરે બે પક્ષી મરશે અને સરવાળે તમામ લોકોને ફાયદો જ ફાયદો થશે. પછી વિદેશી પ્રવાસીઓને ભારતના કોઈ પણ હવાઈ અડ્ડે ઉતરીને શહેરમાં જતાં, મળ-મૂત્ર વિસર્જન કરતા લોકો દ્રષ્ટિમાન નહીં થાય, અને ત્યારે આપણે ‘જુઓ અમે કેવો સુંદર વિકાસ સાધ્યો છે!’ એમ ગૌરવ પૂર્વક કહી શકીશું. 

e.mail : 71abuch@gmail.com

Loading

11 May 2013 admin
← પુ.લ. દેશપાંડે — મરાઠી ભાષાનાં સમર્થ હાસ્યલેખક
MO D →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved