Opinion Magazine
Number of visits: 9456469
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૦૧૭ની ચૂંટણી – એક અનુભવ, ઉમેદવાર તરીકે

મીનાક્ષી જોષી|Samantar Gujarat - Samantar|8 January 2018

૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર આખા દેશ અને દુનિયાની નજર હતી. આ ચૂંટણી બધાં વર્ષોની ચૂંટણી કરતાં અલગ અને અગત્યની હતી. શાસકપક્ષનાં ૨૨ વર્ષના શાસન સામે પ્રજાનો અસંતોષ-નારાજગી તો છેલ્લાં બે વર્ષથી ચાલેલાં આંદોલનોમાં જુદી-જુદી રીતે વર્તાતી હતી. એટલે ભા.જ.પ. માટે આ પ્રતિષ્ઠાનો જંગ હતો અને જાણે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું ડ્રેસ-રિહર્સલ પણ હતું.

આ ચૂંટણીમાં ચૂંટણીપંચની ભૂમિકા, ઇ.વી.એમ., વી.વી.પી.એ.ટી. વગેરેની ભૂમિકા વિશે ચર્ચાઓ થઈ રહી છે. ઘણી બધી બાબતો વિશેની ફરિયાદો અને અપારદર્શિતાનો મુદ્દો પણ ઊઠ્યો છે. આખી ચૂંટણી-પ્રક્રિયાના સંદર્ભમાં ચૂંટણી-સુધારાઓનાં સૂચનો પણ છે.

પરંતુ, હું તો અહીં એક ઉમેદવાર તરીકેનાં મારાં અવલોકનો અને અનુભવો ટૂંકમાં કહેવા માંગું છું. એલિસબ્રિજ વિધાનસભા મતવિસ્તારમાંથી સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયા (કમ્યુિનસ્ટ) SUCI (C) પક્ષના ઉમેદવાર તરીકે હું આ ચૂંટણી લડી હતી. ભા.જ.પ. અને કૉંગ્રેસની રાજનીતિ સામે વિકલ્પની-લોકોની રાજનીતિની લડતના પ્રતીક તરીકે અમારા પક્ષે રાજ્યમાં ત્રણ વિધાનસભા મતવિસ્તારમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. એલિસબ્રિજ વિધાનસભા મતવિસ્તારમાં સમાજના લગભગ બધા જ વર્ગના લોકો મળીને લગભગ ૨.૫૦ લાખ મતદારો છે. ભૌગોલિક વિસ્તારની વિશાળતા વચ્ચે, અમારા પક્ષે ઘરે ઘરે પ્રચાર-અભિયાનનો પડકાર ઉપાડ્યો હતો. આ અભિયાનમાં અમે મતદારોને ‘વોટ અને નોટ’ બંને આપવા અપીલ કરતા હતા. એના કારણે આ પ્રચાર-અભિયાનમાં અમે લગભગ રૂ. ૩૦,૦૦૦/- જેટલો લોકફાળો મેળવી શક્યા અને આશરે ૯૦,૦૦૦/- જેટલી પત્રિકાઓનું વિતરણ કરી શક્યા. આ પત્રિકાઓમાં રાજ્યની સમગ્ર પરિસ્થિતિના રાજકીય વિશ્લેષણથી લઈને જુદા-જુદા મુદ્દાઓની છણાવટ હતી, જેમાં શિક્ષણ, આરોગ્ય, મહિલાઓ અને ‘નોટબંધી’ના એક વર્ષના ‘કાળા દિવસ’ની પત્રિકાઓનો પણ સમાવેશ હતો.

મારાં અવલોકનો અને અનુભવો :

સૌથી પહેલાં તો ઉમેદવાર તરીકે મેં નોંધ્યું કે, સાધારણ લોકોમાં શાસનવ્યવસ્થા સામે ખૂબ રોષ હતો. એમના રોજબરોજના સવાલોથી એ એટલા પરેશાન હતા કે બધા જ લોકો – પક્ષો નકામા છે અને ચૂંટાઈને કશું કરતા નથી, એ વાત ગુસ્સાથી સૌ કરતા હતા.

વિધાનસભાની ચૂંટણી હોવા છતાં લગભગ બધા જ મતદારો રોડ, ગટર, પાણી અને સ્ટ્રીટલાઇટની અવ્યવસ્થા-અરાજકતા વિરુદ્ધ ફરિયાદ કરતા જોવા મળ્યા. ઘણાં ‘સ્વસ્તિવચનો’ સાંભળવા મળ્યાં. ઘણાં બહેનો તો, આ પથરા કાઢીને ગયા છો, હવે પથરા નાંખશો તો જ તમને મત આપીશું’ એવું કહી રોષ ઠાવલતાં હતા.

તો, નવરંગપુરા જેવા વિસ્તારમાં પણ પીવાના પાણીની સમસ્યા ઘણા સમૃદ્ધ ફ્લેટ્‌સમાં જોવા મળતાં અમને આંચકો લાગ્યો !

તો, ઘણા એમ કહેતા કે ભા.જ.પ.-કૉંગ્રેસવાળા હોય, તો અંદર ના આવતા.

અમે ધીરે રહીને, બધે જ અમારા પક્ષની કામગીરી વિશે વાત કરતાં. આ બધા જ પ્રશ્નો માટે લોક-આંદોલનની જરૂરત ઉપર ભાર મૂકતાં અને સૌને એમાં જોડાવા આગ્રહ કરતાં. સાધારણ લોકોની રાજકીય જાગૃતિ કેવી જરૂરી છે, તે વિશે વાત કરીને, રાજકીય રીતે જાગૃત રહેવા આગ્રહ કરતાં.

અમે અમારા પ્રચાર-અભિયાનમાં ગીતો પણ ગાતાં. જેમાં ‘ડંકો વાગ્યો, શૂરા જાગજો રે…’ અને ‘ચૂંટણીનો ચકરાવો આવ્યો રે ભાઈ! તમે જાગતા રહેજો!’ મુખ્ય હતાં. તો, લોકો જ્યારે ભા.જ.પ.-કૉંગ્રેસવાળા નથી, એમ સમજતા ત્યારે નિરાંતે ઘણી બધી ચર્ચાઓ કરતા. પછી ઉમેદવાર તરીકે જે સમજાયું તે એ કે લોકોની રાજકીય શક્તિને ખીલવવા, રાજકીય જાગૃતિ કેટલી બધી અનિવાર્ય છે.

એ ચર્ચાઓ દરમિયાન લોકોની સમજણ, તકલીફોની વેદના અને મોટા રાજકીય પક્ષો તરફનો ગુસ્સો છૂપાં નહોતાં રહેતાં.

સાધારણ લોકો, એમાં ખાસ કરીને ભાઈઓ બેરોજગારી, ભ્રષ્ટાચાર, જી.એસ.ટી. અને નોટબંધી જેવા પ્રશ્નથી ઘણા ચિંતિત હતા. તો, બહેનો મોંઘવારી અને બહેનોની સલામતી માટે દુઃખી હતાં.

ઘણા લોકો અમારા પક્ષના નામથી અજાણ હોવાને કારણે, મારા ‘ચૂંટાવા’ની શક્યતા અને ક્ષમતા વિશે શંકાશીલ હતા. એમનું માનવું હતું કે મોટાં પ્રતીકો-મોટા પક્ષો-મોટા નેતાઓ વિના કોઈ ચૂંટાઈ જ ન શકે.

છતાં, અનેક એવાં મતદાર ભાઈ-બહેનો મળ્યાં, જેમને માટે લોકશાહી-મૂલ્યોની જાળવણી સૌથી જરૂરી બાબત હતી. એ સૌએ ઉમેદવાર તરીકે મને વધાવી-બિરદાવી. મની-મસલ-માફિયા સાથે લડતાં ઉમેદવારો સામે, નીતિ-નૈતિકતા અને મૂલ્યનિષ્ઠા સાથેની મારી ઉમેદવારી માટેની હિંમતની મુક્તમને પ્રશંસા કરી તો, કેટલાકે ચૂંટણી પછી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર લોકશક્તિના નિયંત્રણ – Public watch Dog માટે, નાગરિક-સમાજ તરફથી કોઈ વ્યવસ્થા માટે પ્રયાસ કરવા આગ્રહ કર્યો.

શાસકવર્ગ સામેનો લોકોનો રોષ અને જે નારાજગી જોઈ, આ વ્યવસ્થા બદલાય તો સારું એવી તેમની ઉત્કંઠા જોઈને થયું કે ચૂંટણી પછી પણ આ રોષ અને નારાજગી શાંત થવાનાં નથી. એ ઉકળાવી – વ્યથા અને રોષને કોઈ રચનાત્મક દિશા મળે, તો આવનારાં દિવસો-વર્ષોમાં પરિવર્તન માટેનું પરિબળ બની શકે.

ટૂંકમાં, ઉમેદવાર તરીકે લોકો વચ્ચે જવાનો અને રાજકીય ચર્ચા-મુદ્દાઓ વિશે વાત કરવાનો આ એક જ વિશિષ્ટ અનુભવ હતો. વળી, લોકો વચ્ચે રાજકીય મુદ્દાઓ-ચર્ચાઓ લઈને જવાના આ પ્રયત્નને સતત ચાલુ રાખવાની જરૂરત પણ તીવ્રતાથી અનુભવી. એને કેવી રીતે અમલમાં મૂકવી તે એક પડકાર છે.

મીઠાખળી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 03

Loading

8 January 2018 admin
← દશ કાવ્યો
ભારતના નાગરિક સમાજે બે મુદ્દે આંદોલિત થવાની આજે જરૂર છે : નો ફાંસી, નો EVM →

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved