Opinion Magazine
Number of visits: 9505895
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાખંડી બાવાઓ વિશે ઝવેરચંદ મેઘાણી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|5 September 2017

કદર અને નિસબત

સત્તાવાળાના સ્વાર્થે ખાઈ બદેલા રામ રહીમના નીચ ભક્તો હિંસ્ર બન્યા. જો કે આવું પહેલી વાર બન્યું નથી, આવું જ્યારે જ્યારે બને છે, ત્યારે ઝવેરચંદ મેઘાણીની ’અમે’ કવિતા યાદ આવે છે. આ કાવ્ય ‘યુગવંદના’ (૧૯૩૫) સંચયમાં ‘પીડિતદર્શન’ વિભાગમાં મૂકવામાં આવેલું છે. તેના વિશે મેઘાણીભાઈની પાદટીપ છે : ‘૧૯૨૯, પાખંડી ધર્મગુરુઓને ઉદ્દેશીને લખાયેલું’.

અમે પ્રેમિકો હાડપિંજર તણા-
પૂજારી સડેલાં કલેવર તણાં.
અમે માનવીને પશુ સમ નચવીએ,
‘પ્રભુ’ શબ્દ બોલીને પંખી પઢવીએ,
પૂરા અંધને સ્વર્ગ ચાવી અપાવીએ,
અમે ગારુડી ધર્મતર્કટ તણા-
મદારી ખરા લોકમર્કટ તણા.
અમે દેવમૂર્તિની માંડી દુકાનો,
કિફાયત દરે વેચીએ બ્રહ્મજ્ઞાનો,
પ્રભુધામ કેરા ઊડવીએ વિમાનોઃ
અમે પાવકો પાપગામી તણા –
પ્રવાહો રૂડા પુણ્યગંગા તણા.
અમે ભોગનાં પૂતળાં તોય ત્યાગી,
છયે રાગમાં રક્ત તોયે વિરાગી,
સદા જળકમળવત અદોષી અદાગીઃ
અમે દીવડા દિવ્યજ્યોતિ તણા –
શરણધામ માનવફૂદાંઓ તણા.
અમારી બધી લાલસાઓની તૃપ્તિ
થકી, પામરો  મેળવો સદ્ય મુક્તિ !
સમર્પણ મહીં માનજો સાચી ભક્તિઃ
અમે તો ખપ્પર વાસનાઓ તણા-
ભ્રમર અંધશ્રદ્ધાની બાંગો તણા.
શ્રીમંતો, સ્ત્રીઓ, વહેમીઓના બનેલા
ઊભા – જો ! અમારા અડગ કોટકિલ્લા;
વૃથા છે સુવિદ્યા તણા સર્વ હલ્લા :
અમે શત્રુઓ બુદ્ધિના સત્યના-
અચલ થાંભલા દેશદાસત્વના.

*     *     *

યુરોપ અને ભારતીય નવજાગરણને જાણનારા મેઘાણીના દર્શનનાં રૅડિકલ, રૅશનલ અને સેક્યુલર પાસાં બતાવતી આ જોરદાર  કવિતા છે. સાહિત્ય માટેના માપદંડોથી મૂલવતાં ય તે એક ઉત્તમ કૃતિ બને છે. શબ્દપસંદગી, રૂપકો, કલ્પનો, લય, વ્યંજના, ધ્વનિ અને જોશ જેવા અનેક કાવ્યગુણોમાં આ રચના મેઘાણીની સર્જનક્ષમતા બતાવે છે. આમ છતાં તે બહુ જ ઓછી જાણીતી છે, આપણા મોટા ભાગના વિવેચકોને તેના વિશે વિગતે લખવાની સૂઝ પડી નથી. તેનું કારણ કદાચ એ છે કે સામાજિક નિસબત ધરાવતી કલા અભિવ્યક્તિ આપણા સાંસ્કૃિતક વિમર્શને ભાગ્યે જ માફક આવે છે. એટલા માટે લોકસાહિત્યના સંશોધક કે કસુંબીના રંગના કવિ, દુહા અને ડાયરાના મેઘાણી જ આપણી સામે વારંવાર રજૂ કરવામાં આવે છે. મેઘાણીના ગદ્યમાંથી પરંપરાગત કોમી સંવાદિતાનાં ચાળીસ લખાણોનાં વિનોદ મેઘાણીએ કરેલાં વિશિષ્ટ સંપાદન ‘લોહીનાં આલિંગન’ની ખબર જ હોતી નથી. ‘ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના બાળ મરે’ એવી દુર્દશા હોય ત્યારે ‘હાય રે હાય કવિ, તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે ?’ એમ પૂછીને સાક્ષરોના શહામૃગી માનસને ખુલ્લા પાડતા મેઘાણીને વિવેચકો વાચકો સુધી પહોંચવા દેતા નથી. અંગ્રેજ શાસકો વિરુદ્ધ ૧૯૪૧માં ‘ફુલછાબ’માં ‘મુખડા ક્યા દેખો દર્પનમેં’ નામનું ઠઠ્ઠાચિત્ર દોરીને મુકદ્દમાનો સામનો કરનાર કે વસંત-રજબ સ્મારક ગ્રંથનું સંપાદન કરનાર મેઘાણી આપણી સામે મૂકવામાં આવતા નથી. કોરિયા, હંગેરી અને મિસરનાં મુક્તિસંગ્રામો વિશે તવારીખ-કિતાબો લખનાર મેઘાણી આપણા સમીક્ષકોને દેખાતા નથી.

અલબત્ત, મેઘાણી દુરાચારી સાધુજમાત  વિરુદ્ધ ‘અમે’ જેવું કાવ્ય રચીને અટકી નથી જતા. તે વિનાશક ધર્મસંસ્થાના વિકલ્પ સમા વ્યાપક માનવધર્મ માટે કાર્યરત રહેલા મૂઠી ઊંચેરા માણસો વિશે  પણ લખે છે. અનેક દેશભક્તો ઉપરાંત  રવિશંકર મહારાજ  ઠક્કરબાપા, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, ઍની બેસન્ટ જેવાં જાગૃતજનોનાં ચરિત્રો તેમણે લખ્યાં છે. એમાં શિરમોર છે માનવતાવાદી સંતત્વનો આદર્શ પૂરો પાડતા મૂકસેવક પરનું પુસ્તક ‘માણસાઈના દીવા’. પોતાના નામ પહેલા એક પણ શ્રી મૂક્યા વિના આખી જિંદગી અડવાણે પગે ચાલીને લોકો માટે ઘસાઈને ઊજળા થનારા રવિશંકર અનન્ય છે. એમના જેવા પારકી છઠ્ઠીના જાગતલ માણસો ‘અમે’માં વર્ણવેલા વાસનાઓના ખપ્પરમાં હોમાઈ જતા અટકવાનો રસ્તો બતાવશે. 

૨૬ ઑગસ્ટ ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2017, પૃ. 20

Loading

5 September 2017 admin
← પ્રાઇવસીની પોએટ્રી : મુજે છોડ દે મેરે હાલ પર તિરા ક્યા ભરોસા ચારાગર
હલચલ થઈ ગઈ →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved