Opinion Magazine
Number of visits: 9449347
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસના આક્રોશ સામે હારી રહેલી અકલમંદી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 July 2017

ઝાંસી, ઉત્તર પ્રદેશમાં જન્મેલા પંકજ મિશ્રા અંગ્રેજીમાં લખતા લેખકોમાં મોટું નામ છે. એ લંડન-અમેરિકાના અનેક પત્ર-પત્રિકાઓમાં નિયમિત લખે છે. આ વર્ષની શરૂઆતમાં એમણે દુનિયાના અલગ અલગ દેશોમાં જોર પકડી રહેલી કૌમપરસ્તી, અલગતાવાદ અને અંધ રાષ્ટ્રવાદની હલચલ ઉપર એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે ‘એજ ઑફ એંગર’ (ક્રોધનો કાળ).

દુનિયામાં અત્યારે, ખાસ કરીને 2010 પછી, ધાર્મિક, રાજકીય અને સાંસ્કૃિતક મોરચે એક પ્રકારની નારાજગી અને નિરાશા પ્રર્વતી રહી છે. એક તરફ 18 દેશોમાં ઇસ્લામિક સ્ટેટનાં આતંકી સંગઠનો ક્રૂર હુમલાઓ કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ પશ્ચિમના દેશોમાં ‘બાહુબલીઓ’ને સરકારમાં બેસાડવાની લોકોની લાગણી બળવત્તર બની રહી છે. અસુરક્ષાની લાગણીની અસર ‘દૂરના અને મહફૂજ’ દેશોમાં પણ પડી રહી છે અને ત્યાં સાંસ્કૃિતક રાષ્ટ્રવાદમાં માનતાં જૂથો મુખ્ય ધારામાં આવી રહ્યાં છે.

સંસારમાં કુલ 195 રાષ્ટ્રો છે. એમાંથી માત્ર 11 રાષ્ટ્રો જ એવાં છે, જ્યાં શાંતિ છે. બાકીનાં રાષ્ટ્રોમાં કોઇક ને કોઇક હિંસા જારી છે. રિપોર્ટ કહે છે કે 2007 પછી હિંસાનો દૌર વધતો રહ્યો છે, અને એમાં 10 દેશો, જ્યાં સૌથી ખૂંખાર રક્તપાત ચાલે છે, 2017માં વિશ્વની શાંતિ માટે ‘ફ્લેશ પોઇન્ટ’ સાબિત થઇ શકે છે.

વિચાર કરો કે દુનિયાના 184 દેશોની જનતા એમની ધાર્મિક રાજકીય અને સામાજિક સ્થિતિને લઇને એક પ્રકારના ક્રોધમાં જીવી રહી હોય તો? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આમ તો એવા કોઇ ડાહ્યા માણસ નથી કે એમને અહીં ટાંકવા પડે, પરંતુ એક ઇન્ટરવ્યૂમાં એમણે જે વાત કરી હતી એ અમેરિકાના ‘વિશ્વદર્શન’ની ઝાંખી કરાવે છે. મુસ્લિમ દેશોના ઇમિગ્રાન્ટ્સ ઉપર પ્રતિબંધને લઇને એક ટીવી પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે ‘આનાથી દુનિયાના મુસ્લિમો ગુસ્સે નહીં થાય?’ ત્યારે ટ્રમ્પે કહેલું, ‘ગુસ્સો? આટલો બધો ગુસ્સો તો છે. વધારે કેવી રીતે થાય? દુનિયા કીચડમાં છે. વધુ ગુસ્સો થશે એ શું? દુનિયા ક્રોધમાં છે. ટોટલ ગડબડ છે.’

બે કારણો છે: એક, આપણા મગજની ઉત્ક્રાંતિ એવી રીતે થઇ છે કે આપણે ખૌફ અને ખેદની લાગણી સરળતાથી વ્યક્ત કરી શકતા નથી, એટલે એમાંથી છૂટવા માટે કોઇકને બલિનો બકરો બનાવવો અનિવાર્ય બની જાય છે. અને બે, આપણી બાહ્ય દુનિયામાં અન્યાય, અસમાનતા અને અવ્યવસ્થાને કારણે માણસના ખૌફ અને ખેદને પાણી પહોંચ્યું છે. બીજી વાત પહેલાં.

2014માં પ્રસિદ્ધ થયેલા ‘ધ ફોર્થ રિવોલ્યુશન’ નામના પુસ્તકમાં એક વિધાન હતું કે, ‘અત્યાર સુધી તો પશ્ચિમના મૉડલ માટે 21મી સદી સડેલી સાબિત થઇ છે.’ 20મી સદીમાં એક એવી ધારણા મજબૂત થઇ કે દુનિયાનો ઉદ્ધાર પશ્ચિમે લખેલા પ્રિસ્ક્રિપ્શન (ઔદ્યોગિકરણ અને લોકતંત્ર) પ્રમાણે નુસખો કરવાથી જ થશે. યુરોપ-અમેરિકાની નેશન-સ્ટેટની થિયરીમાં ભવિષ્યવાણી એવી હતી કે પશ્ચિમનું રાજકીય-સામાજિક-ધાર્મિક મૉડલ ક્રમશ: પૂરા સંસારમાં અપનાવવામાં આવશે અને ઔદ્યોગિક મૂડીવાદમાંથી જન્મેલો મહત્ત્વાકાંક્ષી મધ્યમ વર્ગ જવાબદાર અને સ્થિર સરકારોને ચૂંટશે. (જેવું પશ્ચિમમાં થયું હતું.)

ટૂંકમાં, ખયાલ એવો હતો (અને હજુ ય છે) કે જે લોકો મેકડોનલ્ડ્સના બર્ગર ખાય એ યુદ્ધો ન કરે. પંકજ મિશ્રા લખે છે, ‘19મી સદીના યુરોપમાં ઔદ્યોગિક મૂડીવાદની સાથે જે અપૂર્વ રાજકીય, આર્થિક અને સામાજિક અવ્યવસ્થા આવી અને જેના કારણે 20મી સદીના પૂર્વાધમાં મહાયુદ્ધો, સર્વસત્તાવાદી સરકારો અને જાતિસંહારો આવ્યા, આજે 21મી સદીમાં એ જ અવસ્થા યુરોપની બહારના વ્યાપક પ્રદેશો અને આબાદીને ઘેરી વળી છે.’ કાર્લ સ્મીટ નામના જર્મન કાનૂનવિદને ટાંકીને મિશ્રા લખે છે, ‘આજે જે ધડાકા-ભડાકા થાય છે તે આગમાં પલીતો 1848માં ચાંપવામાં આવ્યો હતો.’

છેલ્લી અડધી સદીથી દુનિયામાં મૂડીવાદનો એક આત્યંતિક ઢાંચો વ્યવહારમાં આવ્યો છે, જેણે મૂડીવાદના પાયાના એ સિદ્ધાંતોને ગલત સાબિત કર્યા છે કે માણસ એક તાર્કિક પ્રાણી છે અને બજારો તર્કસંગત રીતે વર્તે છે અને એ વિવેક પ્રમાણે કિંમતો નિર્ધારિત થાય છે. પશ્ચિમનું આર્થિક મૉડલ માણસની અતાર્કિક નિર્ણયશક્તિ સામે નિષ્ફળ ગયું છે અને પૂરી દુનિયામાં વિવિધ રાષ્ટ્રો વચ્ચે, વિવિધ સમાજો-વર્ગો અને સમુદાયો વચ્ચે આર્થિક અસમાનતા વધી રહી છે જેનાથી સામાજિક-ધાર્મિક પાયાઓમાં પણ હલચલ થઈ રહી છે.

આમાંથી માણસના મગજમાં પડેલી ખૌફ અને ખેદવાળી (ગરીબીનો ખેદ અને અન્યાયનો ખૌફ) સર્કિટ સક્રિય થઈ છે. સુખ-સમૃદ્ધિ અને સંતોષ માટે માણસ વિવેકપૂર્ણ વ્યવહાર કરે છે એ ધારણા ન્યૂરોસાયન્સે ગલત સાબિત કરી છે. દાખલા તરીકે દુ:ખી કે ઉદાસ માણસ સુખના ઉપાય શોધવાને બદલે ક્રોધ કરવાનું પસંદ કરે છે, એ અર્થશાસ્ત્રીઓને ખબર ન હતી. એટલે બર્ગર ખાય એ યુદ્ધ ન કરે એ માન્યતા ગલત થઇ ગઇ.

માણસ પ્રકૃતિથી તામસિક અને ક્રોધી છે. આપસી સંબંધોથી લઇને રસ્તા ઉપર જતા ડ્રાઇવર બજારમાં ખરીદારી કરતા ગ્રાહકો અને મતદારોમાં અન્યાયની એક પૌરાણિક માનસિકતા હોય છે જેમાં કેન્દ્ર સ્થાને ભાવ એવો હોય છે કે, ‘જે થયું છે તેમાં મારી ત્રુટિ નથી અને ફરિયાદ કરવાનો મને હક છે.’ મોટાભાગના ક્રોધ આ ફરિયાદ કરવાની લાગણીમાંથી આવે છે. અન્યાય, ફરિયાદ, ક્રોધ અને આતંક એકબીજાના પાડોશી  છે.

વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે આપણે આજુબાજુની દુનિયા પાસેથી બહેતર ઉમ્મીદ રાખીએ છીએ. આમાં આધુનિક અર્થવ્યવસ્થાનું પેલું ‘કસ્ટમર’ કલ્ચર જ જવાબદાર છે, જે બહેતર સુવિધાના હકને મજબૂત કરે છે. જ્યારે આ ઉમ્મીદ સંતુષ્ટ ન થાય ત્યારે એ વિવશતા ક્રોધ રૂપે વ્યક્ત થાય છે. આપણા આપસી ક્રોધ અને સંસારમાં ચાલતા ક્રોધ માણસની આ મૂળભૂત વિવશતામાંથી જ આવે છે.

અર્થશાસ્ત્રીઓને માણસની અકલમંદી(રેશનાલિટી)માં શ્રદ્ધા હતી, દાર્શનિકોને માણસના આક્રોશની (રિસેન્ટમેન્ટ) ખબર હતી. ગાંધીજીએ કહ્યું હતું કે, ‘અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે તફાવત નથી. જે અર્થશાસ્ત્ર ધનપૂજાને ઉત્તેજન આપે છે અને ગરીબોના ભોગે ધનિકોને શક્તિમાન બનાવે છે, જે અર્થશાસ્ત્ર એક દેશને બીજા દેશનો શિકાર કરવા પ્રેરે છે, તે ખોટું અને અંધકારમય અર્થશાસ્ત્ર છે.’

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 30 જુલાઈ 2017

Loading

31 July 2017 admin
← લાઇબ્રેરીઓ રૂપી ભર્યા ભંડારો ન હોત તો આજનો માહિતીયુગ વામણો રહી ગયો હોત, ઇન્ટરનેટ માયકાંગલું રહી ગયું હોત
હવે લિંગાયતો માગણી કરી રહ્યા છે કે તેમના વીરશૈવ સંપ્રદાયને અલગ ધર્મની માન્યતા આપવામાં આવે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved