Opinion Magazine
Number of visits: 9447101
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રમણ સોનીનું અવલોકન-વિશ્વ

દીપક બી. મહેતા, દીપક બી. મહેતા|Opinion - Literature|23 July 2017

“અવલોકન-વિશ્વ” : સંપાદક – રમણ સોની : પ્રત્યક્ષ પ્રકાશન, ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, વડોદરા – 390 007 :  પહેલી આવૃત્તિ – ૨૦૧૭. પાનાં ૧૬ + ૩૫૨ = ૩૬૮ : મૂલ્ય – રૂ.૪૫૦

કુલ ભાષા ૨૯ (તેમાંની ૧૬ દેશની, ૧૩ પરદેશની). ૯૦ લેખકોએ લખેલાં ૮૭ પુસ્તકો વિશેના ૭૮ સમીક્ષકોએ લખેલા લેખો. (‘સંપાદકનું કથન’માં ૮૬નો આંકડો લખ્યો છે, પણ અંતે આપેલી ‘ગ્રંથસૂચિ’માં ૮૭ પુસ્તકો નોંધાયાં છે.) અને આ પુસ્તકો તે માત્ર સાહિત્યનાં જ નહિ. સાહિત્ય ઉપરાંત અર્થશાસ્ત્ર, ઇતિહાસવિચાર, કળાવિચાર, ચરિત્ર, ડાયરી, ફિલ્મવિચાર, ભાષાશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, સંશોધન અને સંસ્કૃિતવિચારનાં પુસ્તકો પણ ખરાં. સાહિત્યમાં સૌથી વધુ (૧૫) પુસ્તકો નવલકથાનાં. ઉપરાંત કવિતા (૧૪), આત્મકથા (૧૩), વાર્તા (૭) અને વિવેચન(૬)નાં પુસ્તકો. અને આ બધાં જ પુસ્તકો બાવા આદમના જમાનાનાં નહિ, છેલ્લા એક દાયકા દરમ્યાન પ્રગટ થયેલાં – તેમાં ય ૬૦ પુસ્તકો તો છેલ્લાં ચારેક વર્ષમાં પ્રગટ થયેલાં. પણ આ આંકડા રાંકડા લાગે એવો સૂઝ ભર્યો શ્રમ સંપાદકે કર્યો છે. તેમણે લખનારાઓ પર કે પોતાના પર કૃત્રિમ બંધનો નથી લાદ્યાં, મોકળાશ રાખી છે. અમુક શબ્દોમાં જ લખો, અમુક પ્રકારનાં પુસ્તકો વિષે જ લખો, અમુક રીતે જ લખો – કે ન લખો – એવી લક્ષ્મણરેખા લખનારાઓ ફરતી નથી દોરી. તો એક લેખક એક લેખ, અમુક ભાષા, વિષય કે પ્રકારનાં પુસ્તકો અમુક સંખ્યામાં જ, રજૂઆતની અમુક જ પદ્ધતિ, એવાં બંધનોથી નથી પોતાની જાતને બાંધી. આનો અર્થ એવો નથી કે અહીં સંપાદન-કર્મ નથી. છે. પૂરેપૂરું છે, ચીવટ અને ઝીણવટભર્યું છે. જ્યાં ગુજરાતીમાં લખાયેલા લેખ ન મળ્યા ત્યાં બીજી ભાષામાં લખાવી તેના અનુવાદ કર્યા-કરાવ્યા છે. કોઈ અવલોકનમાં કશુંક ખૂટતું લાગે તો બીજા કોઈ પાસેથી પૂરક સામગ્રી મેળવીને મૂકી છે. કેટલાક લેખોને અંતે વધતી કોરી જગ્યામાં મૂકવા માટે મહેનત કરીને સુયોગ્ય અવકાશપૂરકો એકઠાં કર્યાં છે. (અને તેની અલગ અનુક્રમણિકા પણ આપી છે.) સાધારણ રીતે ગુજરાતીમાં લખવાથી ન ટેવાયેલા લેખકોના લખાણમાં તો સારી એવી જહેમત સંપાદકને લેવી પડી હોય.

અહીં મૂકેલા લેખોને એક બીજી રીતે પણ જોઈ શકાય – આપણા પ્રબુદ્ધ વાચકોના વાચન અંગેનાં રસ-રુચિની પારાશીશી રૂપે. અહીં ભારતીય અંગ્રેજીનાં ૧૦ પુસ્તકો વિષે, અમેરિકન અંગ્રેજીનાં ૧૮ પુસ્તકો વિષે, બ્રિટિશ અંગ્રેજીનાં ૧૩ પુસ્તકો વિષે – એમ કુલ ૪૧ અંગ્રેજી પુસ્તકો વિષે લખાયું છે. બીજી કેટલીક પરદેશી ભાષાનાં પુસ્તકો વિષે લખાયું છે તે પણ તેના અંગ્રેજી અનુવાદ થકી. ‘અંગ્રેજી હટાવ, ગુજરાતી બચાવ’ની બૂમો ગમે તેટલી પડતી હોય, અંગ્રેજીની સારી જાણકારી વગર આપણને ચાલવાનું નથી. આપણે અંગ્રેજી પુસ્તકો વાંચીએ છીએ તે આપણી ગરજે. અંગ્રેજીનો ઉદ્ધાર કરવા ખાતર નહિ.

લખનાર અવલોકન-લેખનનો નિષ્ણાત ન હોય તો ચાલે, વિષયનો જાણકાર હોય એટલે બસ. પરિણામે કેટલીક નવી-તાજી કલમોનો લાભ આ પુસ્તકને મળ્યો છે. તો સાથોસાથ એ પણ નોંધવું જોઈએ કે લખનારાઓમાં જંગી બહુમતી આજી-માજી અધ્યાપકોની જ છે. ઓછામાં ઓછા ૪૭ લેખો તેમના લખેલા છે.

પુસ્તકોનાં અવલોકનો (બદ્ધાં નવાં નક્કોર, અહીંથી-તહીંથી ઉપાડીને છાપેલું એક પણ અવલોકન નથી)નું આવું દીર્ઘદૃષ્ટિ અને પરિશ્રમપૂર્વક તૈયાર થયેલું, આવું માતબર પુસ્તક આપણી ભાષામાં વારંવાર જોવા મળતું નથી. આવાં સંપાદનો કરતી વખતે કેવું લોહીનું પાણી કરવું પડે છે તે તો ‘ઘાયલ કી ગત ઘાયલ જાને.’ અને છતાં સાહિત્યનો ઇતિહાસ લખતી વખતે કે લેખકોને ઇનામ અકરામ આપતી વખતે કોઈને સંપાદનો સાંભરતાં નથી. અનુવાદકની જેમ સંપાદક પણ આપણા સાહિત્યની વર્ણવ્યવસ્થામાં નીચલે પગથિયે છે.

છેલ્લે, નજર ન લાગી જાય માટે એક નાનકડું કાળું ટપકું : દરેક અવલોકનને મથાળે પુસ્તક અને તેના કર્તા, પ્રકાશકનાં નામ છાપ્યાં છે, પ્રકાશન વર્ષ છાપ્યું છે, દરેક પુસ્તકના જેકેટનું લઘુ રૂપ પણ છાપ્યું છે, તો સાથોસાથ પાનાંની સંખ્યા અને કિંમત પણ છાપ્યાં હોત તો? સૂચિકરણની શિસ્તની દૃષ્ટિએ એ જરૂરી છે એ તો ખરું જ, પણ તેમ કર્યું હોત તો જે થોડાઘણા – કે ઘણા થોડા – પુસ્તક પ્રેમીઓ હોય તેમની સગવડ થોડી વધુ સચવાઈ હોત. પુસ્તકનું મુદ્રણ સ્વચ્છ, સુઘડ, વ્યવસ્થિત. અને પૂંઠું તો આંખમાં જ નહિ, મનમાં વસી જાય તેવું. રમણભાઈએ તો દસ પગથિયાં ભારે જહેમત કરીને ગોઠવી આપ્યાં છે. તેના પર ચડી અવલોકન-વિશ્વમાં ડોકિયું કરવાનું કામ હવે આપણું છે.

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai – 400 051

Loading

23 July 2017 admin
← ગાંધીજી વિષે અવનવું
Appeasement of Minorities is a Myth →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved