Opinion Magazine
Number of visits: 9449568
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશપ્રેમીઓ, આ કોયડાનો જવાબ આપશો?

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|20 February 2017

સ્કૂલોમાં રાષ્ટ્રગીત ગાયા વિના, સિનેમાઘરોમાં ઊભા થઈને રાષ્ટ્રગીતને આદર આપ્યા વિના, ધ્વજને સલામી આપ્યા વિના કે પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ગયા વિના આટલી મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ ક્યાંથી પેદા થયા હતા?

ભારત સરકારના ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ ગયા અઠવાડિયે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે રાષ્ટ્રગીત ગાવાની બાબતે સ્પષ્ટ અને કડક આદેશ આપવો જોઈએ અને એની શરૂઆત સ્કૂલોથી થવી જોઈએ, કારણ કે ભારતના પ્રત્યેક નાગરિકને દેશપ્રેમના સંસ્કાર આપવા જરૂરી છે. તેમણે એવી પણ માગણી કરી હતી કે કેરળની સ્કૂલમાં ભણતી યહૂદી બાળાઓએ ચાર દાયકા પહેલાં રાષ્ટ્રગીતના ફરજિયાતપણાને પડકાર્યો હતો અને સર્વોચ્ચ અદાલતે એ સમયે એ વિદ્યાર્થિનીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો એ પણ રિવ્યુ થવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ઇમૅન્યુઅલ સિસ્ટર્સની પિટિશન સર્વોચ્ચ અદાલતમાં બે જજોની બેન્ચે સાંભળી હતી અને ચુકાદો આપ્યો હતો. એ ચુકાદાને રિવ્યુ કરવો હોય તો ત્રણ જજોની બેન્ચ રચવી પડે. આ બાબતે શું કરવું એ હવે પછીની સુનાવણી વખતે વિચારવામાં આવશે. ઇમૅન્યુઅલ સિસ્ટર્સની શું દલીલ હતી અને સર્વોચ્ચ અદાલતે શું ચુકાદો આપ્યો હતો એ વિશે હું આ કૉલમમાં લખી ચૂક્યો છે એટલે એની ફરી વાત કરવાની જરૂર નથી.

સારી વાત છે, દેશપ્રેમના સંસ્કાર તો બાળપણથી આપવા જોઈએ; પરંતુ સવાલ એ છે કે એ શું કાયદાથી થશે? નરવી રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવામાં આપણે એટલા બધા નિષ્ફળ નીવડ્યા છીએ કે હવે આપણને કાયદાની જરૂર પડવા લાગી છે? કુટુંબભાવના પેદા કરવા માટે માતૃપ્રેમ કે ભાતૃપ્રેમ નિતાંત આવશ્યક છે એટલે શું એના માટે પણ કાયદા ઘડીશું? ઍટર્ની જનરલ કક્ષાની વ્યક્તિ કાયદાની ભૂમિકા, પ્રાસંગિકતા અને મર્યાદા ન જાણતી હોય એ તો કમાલ જ કહેવાય. સરકારની નોકરી છે એટલે સરકારને ગમે એવી દલીલો કરવી પડે. બાકી મામૂલી વકીલ પણ જાણે છે કે કાયદાઓથી દેશ કે સમાજ બદલતો નથી. જો કાયદાઓથી સમાજ બદલતો હોત તો દેશ આજે ભ્રષ્ટાચારમુક્ત હોવો જોઈતો હતો.

માનવીય સમાજમાં જે ન કરવાનું હોય એ કરવામાં આવે એને રોકવા માટે કાયદા હોય, જે કરવાનું અપેક્ષિત છે એ કરવા માટે કાયદાઓ ઘડવામાં આવતા નથી. આ સાદી સમજ ધરાવનાર પણ જાણે છે. કોઈ પ્રત્યે અસ્પૃશ્યતાનો વહેવાર કરવો એ માનવીય સમાજમાં ન કરવા જેવું કામ છે એટલે એને રોકવા માટે કાયદો છે, જોઈ ન શકતો કોઈ માણસ રસ્તો ક્રૉસ કરતો હોય તો તેનું બાવડું પકડવું પડશે એવો આદેશ આપનારો કાયદો ન હોય.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, ભારત સરકારની, ભારત સરકારના ઍટર્ની જનરલની અને બાકીના તમામ દેશભક્તોનું મારે એક હકીકત તરફ ધ્યાન ખેંચવું છે. આઝાદી પહેલાં ૧૯મી અને ૨૦મી સદીમાં બાળકો પારણામાં જ ડરતાં શીખીને મોટા થતાં હતાં. એ પછી સ્કૂલોમાં લૉન્ગ લિવ ધ કિંગનું ગાન કરીને બ્રિટિશ સામþાજ્ય પરત્વે વફાદારી વ્યક્ત કરીને એ પેઢી મોટી થઈ હતી. પારણાથી લઈને મૃત્યુ સુધી સ્વદેશપ્રેમનો પાઠ ભણાવે એવો ભાગ્યે જ કોઈ અવસર તેમના જીવનમાં આવતો હતો અને એ છતાં આપણા કરતાં સવાયા અને સાચા દેશભક્તો એ યુગે પેદા કર્યા હતા. સ્કૂલોમાં રાષ્ટ્રગીત ગાયા વિના, સિનેમાઘરોમાં ઊભા થઈને રાષ્ટ્રગીતને આદર આપ્યા વિના, ધ્વજને સલામી આપ્યા વિના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ગયા વિના આટલી મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ ક્યાંથી પેદા થયા હતા? સ્કૂલોમાં તો લૉન્ગ લિવ ધ કિંગનું ગીત ગાવું ફરજિયાત હતું.

તો આનો અર્થ એ થયો કે દેશપ્રેમને કાયદાકીય આદેશો સાથે કોઈ સંબંધ નથી. દેશપ્રેમ કાયદાકીય સર્જન હોઈ જ ન શકે. લૉન્ગ લિવ ધ કિંગ ગાવું એ કાયદાકીય આદેશ હતો અને એ છતાં આપણે પોતે અંગ્રેજો સામે લડીને આઝાદી મેળવી હતી. આનાથી ઊલટું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઇતિહાસ જુઓ. આઝાદીની એક પણ લડતમાં એના સ્વયંસેવકોએ ભાગ લીધો નહોતો કે સંઘે કોઈ લડત લડી નહોતી. સંઘ સાથે સંકળાયેલા એવા એક પણ સ્વયંસેવકનું નામ બતાવો જેણે આઝાદીની લડતમાં મર્દાનગીનું પ્રદર્શન કર્યું હોય. દેશભક્તિના પાઠ તો રોજ શાખાઓમાં ભણાવવામાં આવે છે, પરંતુ જ્યારે જાન ન્યોછાવર કરી દે એવા દેશભક્તોની દેશને જરૂર હતી ત્યારે સંઘનું ખાતું કોરું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં તૈયાર થયેલા સ્વયંસેવકો આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. ભારતીય જનતા પાર્ટીના કેટલા નેતાઓ સ્વચ્છ છે?

ટૂંકમાં, શાખાઓમાં દેશપ્રેમીઓ પેદા થતા નથી, સ્કૂલોમાં દેશપ્રેમીઓ પેદા થતા નથી, કાયદાથી તો મુદ્દલ થતા નથી તો પછી દેશપ્રેમના સંસ્કાર નાગરિકો સુધી પહોંચાડવા કઈ રીતે? મારો ઉત્તર એવો છે કે દેશપ્રેમ કરતાં પણ વધુ વ્યાપક માનવીય પ્રેમના સંસ્કાર જો આપવામાં આવે તો એવો નાગરિક દેશને પ્રેમ કરતાં શીખશે, માનવીને પ્રેમ કરતાં શીખશે, બીજાના ધર્મને આદર આપતાં શીખશે, સ્ત્રીનું સન્માન કરતાં શીખશે, બીજાની સ્વતંત્રતાનો આદર કરતાં શીખશે વગેરે એમાં ઑલ ઇન વન આવી જશે. માનવીય પ્રેમ ર્નિવિરોધી છે, જ્યારે દેશપ્રેમમાં તો હજીયે વિરોધ છે. એટલે વિનોબા ભાવેને અનુસરીને હું જય જગતમાં માનું છું.

૧૯મી અને ૨૦મી સદીમાં મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ કેમ પાક્યા હતા એ જાણો છો? કારણ કે સંસ્થાનવાદી શોષણ અને ગુલામીના એ યુગમાં જગતમાં જે ખોજ શરૂ થઈ હતી એ માનવીય ગરિમાપૂર્ણ ન્યાયી સમાજની ખોજ હતી. ૧૯મી સદીના વિમર્શનો મુખ્ય વિષય માનવીય મૂલ્યો અને ગરિમા હતો. ગુલામીથી મુક્તિ એનું આડ પરિણામ હતું. એટલે તો સવર્ણો જ્યારે રાજકીય આઝાદીને મહત્ત્વ આપતા હતા ત્યારે શૂદ્રોએ કાન આમળીને કહ્યું હતું કે તમારા સમાજની અંદર ગુલામીનાં બીજાં સ્વરૂપો પણ છે એટલે એક નજર એના તરફ પણ કરો. આ હકીકત જ સાબિત કરે છે કે ખોજ અને જદ્દોજહદની આખી પ્રક્રિયા માનવમુક્તિ માટેની હતી, દેશની મુક્તિ તો એનું આડપરિણામ હતું. એ યુગમાં દેશપ્રેમીઓ આવા નિર્વિરોધ વાતાવરણમાં પેદા થયા હતા.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 ફેબ્રુઆરી 2017

Loading

20 February 2017 admin
← જયાબહેન દેસાઇનું લંડનમાં રંગભેદની નીતિ સામે અહિંસક આંદોલન
What is our Nationality: Indian or Hindu? →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved