Opinion Magazine
Number of visits: 9450778
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભોગીલાલ ગાંધી જન્મ શતાબ્દી ગ્રંથ : પુસ્તક પરિચય

મનોજ રાવલ|Opinion - Literature|13 January 2017

ભોગીલાલ ગાંધી જન્મ શતાબ્દી ગ્રંથ. પ્રકાશન – પ્રાપ્તિસ્થાન : ગુજરાત સાહિત્ય પરિષદ, નદી તટે, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમમાર્ગ, અમદાવાદ – 380 009.

લગભગ આઠેક જેટલા સંપાદકોમાંથી અડધાથી વધારે સંખ્યાના મિત્રો વિવિધ સામયિક-ગ્રંથ સંપાદનનો અનુભવ ધરાવતા પ્રખ્યાત નામો છે. જેમ કે પ્રકાશ ન. શાહ (નિરીક્ષક), રમણ સોની (પ્રત્યક્ષ), વિપુલ કલ્યાણી (ઓપિનિયન), યોગેશ જોષી (પરબ), વગેરે. પૃષ્ઠ સંખ્યા ૮+૫૫૪ છે. કિંમત રૂપિયા ૫૨૫=૦૦. ત્રણસો પ્રત જ આ કર્મશીલને ઓળખવા માટે ગુજરાતમાં પૂરતી છે, તેવું અનુભવ આધારે વિચાર્યું હશે !

૨૦૧૧ની ભોગીભાઈની જન્મ શતાબ્દી વેળા ભોગીભાઈના ગ્રંથોમાંથી ઉત્તમ લેખો સંચિત કરીને તેમના વિશે અન્ય અભ્યાસીના લેખો મેળવી ગ્રંથ પ્રગટ કરવા ધારેલું. અડધા દશકામાં તો લગભગ દસેક લેખ નવા મેળવી પણ લીધા. તેમાનાં પાંચેક તો પરિવારની સ્મરણાંજલિ રૂપ છે. કદાચ ૨૦૧૧નો રાજેન્દ્ર પટેલનો શતાબ્દી વંદના પ્રકારનો અને ૨૦૧૩નો લેખ ગુલામ મહમ્મદ શેખના નવાં લખાણો કહી શકાય. બાકીનામાં – ૧૯૬૯માં લખાયેલ આશરે ૪૭ પાનાંનો સુમન શાહનો લેખ ૨૦૦૬માં પ્રગટ થયેલો (લખાણો ક્યારે હશે?) પ્રકાશ ન. શાહનો લેખ. જયંત પંડ્યાનું ૧૯૯૮માં પુનઃમુદ્રિત થયેલ તે લખાણ અન્ય ૨૦૧૧ના પ્રાસંગિક કે તારીખ વગરના જૂના માનવા કારણ પ્રેરે તેવાં લખાણો અત્રે પ્રસ્તુત કરાયાં છે.

‘વિશ્વ માનવ’નો સંપાદક આ રીતે કામ કરતો હોત તો ? લેખોની ગુણવત્તા કે મહત્ત્વ ઓછા આંકવાનો પ્રયત્ન નથી, પરંતુ કોઈ સંસ્થા દ્વારા આવડી મોટી ફોજથી સાહિત્ય-સંસ્કૃિતની બોલાવતી હોય ત્યારે પુનઃવિચાર, પુનઃમૂલ્યાંકન શતાબ્દી વરસમાં ન થાય તો ક્યારે થાય ?

ભોગીલાલ ગાંધીની જિંદગીની સાલવારી પ્રમાણેનાં કાર્યો, (ભલે અંદાજે) તેમનાં લખાણોની સૂચિ, તેમના વિશેનાં લખાણોની સૂચિ (નેમ એન્ટ્રી) આ બધાનો અભાવ આઠમાંથી એકેય સંપાદકને ન નડ્યો ? ખેર, ગ્રંથમાં જે ન હોય તેની વાત ન કરાય એ પરંપરાને આત્મસાત્‌ કરીને જે સારું લાગ્યું તેનો ઉલ્લેખ કરીએ.

પ્રથમ તો ખુદ ભોગીલાલ ગાંધીનાં લખાણો આશરે ૪૦૬ પાના સુધી મળે છે. ગાંધી, માર્ક્સ, હર્બટરીડ, તોલ્સતોય, શરદબાબુ વગેરે વિશે ભોગીલાલ ગાંધીની વિચારણા ઉપલબ્ધ થાય છે. પરિષદને આ કામ બદલ અભિનંદન.

આપણે ત્યાં આજકાલ માર્ક્સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન કે ગુજરાતી વિવેચન સાહિત્યમાં માર્ક્સવાદની અસર ઝીલતી પ્રવૃત્તિ ઓછી દેખાય છે. તે વલણ ભોગીલાલ ગાંધીમાં કઈ પ્રગતિશીલ રીતે પ્રગટ થતું રહેલું એ પ્રગટ કર્યું છે. સાથોસાથ ભોગીલાલ ગાંધીનું લખાણ ભક્તિ પ્રણાલીની અવિરત ધારા પણ અપાયું છે. આમ વિવિધ પાસાં વ્યક્તિનો આંતરવિરોધ નથી દર્શાવતા પણ વ્યક્તિત્વની અખિલાઈ માટેના પૂરક પાસાં દર્શાવે છે.

બીજા વિભાગમાં ભોગીલાલ ગાંધી અને એમનાં પુસ્તકો વિશેનાં લખાણો દ્વારા તેમની કલા અને વિદ્યા-પ્રીતિ દર્શાવી છે.

રઘુવીર ચૌધરી, રાજેન્દ્ર પટેલ, ડંકેશ ઓઝા, યોગેશ જોષી, હરિકૃષ્ણ પાઠક, જયંત પંડ્યા વગેરે પરિષદના આંગણમાંથી જ પ્રાપ્ત થતા લખનારા હોય તેનો રાજીપો સર્વને હોય જ. પણ આ નિમિત્તે કેટલાક મુદ્દા નવા સંદર્ભમાં ચર્ચી શકાત. દા.ત. કોઈ વિચારધારા-આદર્શને વરેલ કર્મશીલનું તેનું વૈચારિક સંગઠન દા.ત. આર.એસ.એસ., સામ્યવાદીપક્ષ, ધર્મ-સંપ્રદાય કઈ રીતે શોષણ સામગ્રીમાં તબદીલ કરે છે ? વ્યક્તિની બુદ્ધિ પ્રતિભાનો ખપ જે-તે સંગઠન માટે પૂરો થાય ત્યારે સામાજિક સલામતી માટે તેમના અંગે શું વિચારે છે ? વિચારધારા બદલાઈ તો રુચિ પ્રમાણે કામ કરવાની તક જે-તે પૂર્વ સંગઠન તેની સારપમાં વિશ્વાસ રાખીને સુવિધા આપશે ? ભોગીલાલ ગાંધીના સમાન કેટલા ય કર્મશીલોએ ગુજરાતી પ્રજાના ઘડતર માટે કામ કર્યું છે. તેવી વ્યક્તિ અંગે સમૂહ (સંગઠન) કઈ રીતે વર્તે છે ? અન્ય ક્ષેત્રના કર્મશીલો સ્વાન્ત સુખાય કે સેવા ભાવનાથી અથવા બહેતર સમાજ રચના માટે કામ કરે તો તેમની માત્ર ફરજ કે તેમના પક્ષનો હરખ માનતા સમાજની ચર્ચા અંગે આવા ગ્રંથમાં સ્થાન હોય કે ન હોય તે સંપાદકોની પસંદગીનો મામલો છે. પણ આવા ઘણા મુદ્દા ભોગીલાલ ગાંધી શતાબ્દીગ્રંથ નિમિત્તે ચર્ચવાની તક હતી.

ત્રીજા વિભાગમાં સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ, દશરથ ગાંધી, વીરેન્દ્ર ગાંધી, કમલેશ ગાંધી, કૃષ્ણવદન હ. ગાંધી, નંદિની ગાંધી, અમિતાભ ગાંધીનાં લખાણોમાં કુટુંબગત ભોગીલાલ ગાંધી સંકળાયેલા પ્રાપ્ત થાય છે. ઉપરાંત તેમના દાર્શનિક-વ્યવહારિક વલણો પણ પ્રગટ થાય છે. અહીં બિનજરૂરી પ્રશંસા ટાળી વ્યક્તિની મહત્તા ઉપસાવવામાં આ લખાણો ઉપકારક છે. ભલે પાંચ વરસ મોડું આ પુસ્તક આવ્યું પણ યોગ્ય વ્યક્તિ અંગેનું તેમનાં લખાણોનું પ્રતિનિધિત્વ ધરાવતું આ પુસ્તક આવકારદાયક છે. ભોગીલાલ જેવા કર્મશીલથી ગુજરાત ગુણવંતી અને રળિયાત છે.

(ગુજરાતીના નિવૃત્ત પ્રોફેસર, ઉપલેટા)

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક : 110; વર્ષ : 11; જાન્યુઆરી 2017; પૃ. 16- 17

Loading

13 January 2017 admin
← લખવું એટલે જાતને, જીવનને સમજવાની-પામવાની મથામણ
Counter Point →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved