Opinion Magazine
Number of visits: 9506093
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં ધર્મસ્થાનકોનો ધન વૈભવ

આશા બૂચ|Opinion - Opinion|13 December 2016

ભારતીય જનતા પક્ષના ચૂંટણી ઢંઢેરામાં ઢોલ વગાડીને ઘોષણા કરવામાં આવેલી કે સત્તા પાર આરૂઢ થયાના એક વર્ષની અંદર  વિદેશી બેંકોમાં ધરબાયેલ ભારતીય નાણું પાછું લાવવામાં આવશે અને તેમાંથી દરેક નાગરિકના ખાતે પંદર લાખ રૂપિયા જમા કરવામાં આવશે. કેવું રૂપાળું વચન?! હરેક સામાન્ય નાગરિક જાણે છે કે કોર્પોરેટ જગતના મોટા મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ લાખો રૂપિયાના ધણી છે અને એ ‘કાળાં નાણાં’ તેમની સામાન્ય કે ગરીબ સ્થિતિનું મૂળ છે. મહેનત કરીને નેકીની કમાણી જાહેર કરી, તેના પર આયકર કે વેચાણ વેરો ભરવાથી એ આવક ધોળું નાણું કહેવાય એ હવે બહુ થોડા માણસો જાણતા હશે. માસિક વેતન કે મુખ્ય વેચાણમાંથી થતી આવકથી વધુ ધન મેળવી, તે જાહેર ન કરી તેનો ઉપયોગ વૈભવી સુખ સાધનો વસાવવા માટે ખર્ચ કરવો એ જાણે હવે સમાજમાન્ય ધોરણ બની ગયું છે જેણે અમર્યાદ લાંચ રુશ્વતને જન્મ આપ્યો.  

મોટા ઉદ્યોગપતિઓ, સીને કલાકારો, વેપારીઓ અને મોટી મોટી કંપનીના માલિકો જ ગેરરીતિ કરીને આવો ધન સંચય કરે છે એવી એક માન્યતા છે. હવે જ્યારે એવા ધનલક્ષ્મીઓને પાંખ ખંખેરવાની ફરજ પડી રહી છે્, ત્યારે બીજી કઈ કઈ જગ્યાએ ધનરાશિનો સંગ્રહ થાય છે એ તપાસીએ તો તેમાં ભારતના ધર્મસ્થાનકો અવ્વલ નંબરે આવે છે. થોડી વિગતો જાણવા મળી છે જે આધારભૂત માહિતી હોવાનો મારો દાવો નથી, પણ જો સત્યાંશ પણ હોય તો એ માહિતી આપણને વિચાર કરતા જરૂર કરે.

ભારતનાં કેટલાંક અતિ પ્રતિષ્ઠિત મંદિરોની આવકના આંકડા જોઈએ.

તિરૂપતિ બાલાજી: 1325 કરોડ રૂપિયા

વૈષ્ણોદેવી: 400 કરોડ રૂપિયા

સાલાસર બાલાજી: 300 કરોડ રૂપિયા

કાળીમાતા મંદિર – કોલકત્તા: 250 કરોડ રૂપિયા  

રામકૃષ્ણ મિશન: 200 કરોડ રૂપિયા

જગન્નાથ પુરી: 160 કરોડ રૂપિયા

અયોધ્યા રામ મંદિર: 140 કરોડ રૂપિયા

શિરડી સાંઈબાબા: 100 કરોડ રૂપિયા

દ્વારિકાધીશ: 50 કરોડ રૂપિયા

વૈદ્યનાથધામ: 40 કરોડ રૂપિયા

અંબાજી ગુજરાત: 40 કરોડ રૂપિયા

ત્રાવણકોર: 35 કરોડ રૂપિયા

સિદ્ધિ વિનાયક: 27 કરોડ રૂપિયા  

પદ્મનાભન: 5 કરોડ રૂપિયા

નીચેની એક વીડિયો કલીપ કઇંક એવી જ વાત કહી જાય છે તે જોઈએ:

https://www.youtube.com/watch?v=QyeqvfTCznM

આ યાદી હજુ લાંબી હોઈ શકે. આ સિવાય ભારતનાં નાનાં મોટાં મંદિરોની કુલ મળીને વાર્ષિક આવક 280 લાખ કરોડ જેટલી થવા જાય છે. જેની સામે ભારતનું કુલ અંદાજી ખર્ચ 15 લાખ કરોડ છે. હવે જો દરેક ભક્ત મંદિરોમાં આ ચઢાવો ન આપે અને કોઈ ગરીબ અસહાય વ્યક્તિને મદદ કરે તો ભારતમાંથી માત્ર ત્રણ વર્ષમાં ગરીબી તડીપાર થઇ જાય. માન્યમાં ન આવે એવી હકીકત છે.

જોવાનું એ છે કે રોકડ નાણું, સોના-ચાંદીના ઘરેણાં, ફળ-ફૂલ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ ચડાવનારા ભક્તો ભજનમાં ગાય છે, “ભગવાન માત્ર કેવળ પ્રેમનો ભૂખ્યો છે, તેને પૈસાથી ખરીદી ન શકાય।” તો પછી આવા ચઢાવા શા કારણે? “તૂ હી દાતા, તુહી વિધાતા” એવું આંખો બંધ કરી ઝૂમી ઝૂમીને ગાતા દર્શનાર્થીઓ ઊભા થઈને પૈસા ધરીને ભગવાનને ભિખારી બનાવી દેતા ખચકાય નહીં. પોતાને સારી નોકરી મળે, પ્રમોશન મળે, બાળ-બચ્ચાંનો ધન ભંડાર ભર્યો ભર્યો રાખે એવી માંગણી કરી એ દાનેશ્વરીને જ ભોગ ધરવો એમાં કયો ન્યાય? વળી તમારા પૈસાથી ભગવાન નહીં, પૂજારી જ મોજ ઉડાવતા હોય છે, એ પણ બધા સારી પેઠે જાણે છે. તો પછી મંદિરોની મિલકતમાં દિન બ દિન વધારો કરવા પાછળ કઈ ધાર્મિક ભાવના કામ કરે છે?

વળી જો કોઈ ધારાસભ્ય કે મંત્રી અથવા કહો કે કોઈ મકાનના કોન્ટ્રક્ટરે પોતાની આવકમાંથી કર ન ભરીને નાણાંનો રંગ સફેદમાંથી કાળો કર્યો હોય એમ માલુમ થાય તો તેને પકડી પાડીને દંડ રૂપે સજા કરી શકાય. આ મંદિરની મિલકતો પર તો કોઈ પ્રકારનો કર ન લાગે, તેનો શો ઉપયોગ કે દુરુપયોગ થાય છે તેનો હિસાબ માંગવાનો કોઈને હક્ક નથી હોતો. તે ધનરાશિ કે આભૂષણોને કાળા નાણાં તરીકે નહીં પણ ભક્તોના શ્રદ્ધાથી કરેલ ‘ચઢાવા’ તરીકે જ ઓળખવામાં આવે તેથી એ કોઈ પણ સરકારની સત્તાથી પર રહેવાના.

આ તસ્વીરમાં અનેક દર્શનાર્થીઓ મંદિરના શિખર પાછળ અસ્ત થતા સૂર્યનું સૌંદર્ય ઝીલવા એકત્ર થયેલા જોઈ છે. તકલીફ એ છે કે આ જ યાત્રીઓ મંદિરમાં જઈને પોતાને થયેલ લાભ માટે અથવા અંગત માંગણીઓ સંતોષવા માટે મૂર્તિના ચરણે માથું ટેકવી એક મસ મોટી રકમ ધરશે અને બહાર નીકળે ત્યારે નીચેની તસ્વીરમાં દેખાય છે તેવું દ્રશ્ય નજરે પડે તો જોયું ન જોયું કરીને પોતાની કાર કે ટેક્સીમાં ઘર ભણી હંકારી જાય, એ પ્રજાના ધર્મ પ્રેમ માટે શું કહેવું?

જો આપણે સહુ ઈશ્વરના દર્શન કુદરત અને તેના તમામ માનવો સહિતના સર્વ પ્રકારના સર્જનમાં કરીએ તો મંદિરો પાસે આવી કોઈ મિલકત એકઠી થવાનો સવાલ જ ન રહે. કોઈ માઈનો લાલ પરીક્ષામાં પાસ થાય તો સત્ય સાંઈ બાબાનો આભાર માનવા મંદિરે રૂ. 1001 ચઢાવવાને બદલે જે માતા-પિતા પોતાના પુત્ર કે પુત્રીને પૂરતાં સાધનોના અભાવે ભણાવી ન શકતા હોય તેની ફીઝ ભરે તો ભગવાન કેટલો ખુશ થાય, એ કદી અનુભવી જોયું હોય તો ખબર પડે. દીકરાને ઘેર દીકરો આવે તો સોનાનું પારણું ચઢાવવાની ‘બાધા’ રાખે તેને બદલે બાળકો માટેની હોસ્પિસમાં એટલી જ રકમ આપીને મોતને સન્મુખ જોઈ રહેલ બાળક અને તેના માતા-પિતાના મુખ પર બે ઘડી આનંદ આપી શકીએ તો ભગવાનનો ખરો આભાર માન્યો કહેવાય એવું આપણો ધર્મ કેમ નથી શીખવતો?

આજે કાળા નાણાંનું પગેરું શોધતી સરકારને વિનંતી કે નાગરિકોને જેમ લક્ષ્ય બનાવે છે તેમ પવિત્ર ગણાતાં ધર્મસ્થાનોની તિજોરીને પણ પોતાની મિલકત જાહેર કરવાની અને તેના પર કર ભરવાની ફરજ પાડે, જે લોકહિત માટે આવશ્યક છે. જો સરકાર આવું ન્યાયી પગલું ભરવામાં પાછી પાની કરે તો સમાજના જાગૃત નાગરિકોએ આવું અભિયાન ઉપાડી લેવું રહ્યું. સાથે સાથે લોકોની ધાર્મિક શ્રદ્ધા અને ભગવાનને ખુશ કરવાનાં નામે ભોગ કે ચઢાવા ધરવાના માનસમાં પરિવર્તન લાવવાનું કામ કરશું તો જ મંદિરોમાં ધન વૈભવનો સંચય થતો અટકશે.

e.mail : 71abuch@gmail.com

Loading

13 December 2016 admin
← ડુડિયા
બ્રેકસીટ : વૈશ્વિક વંટોળિયાનો સંકેત ? →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved