૫૭ વર્ષથી અસંખ્ય જીવનને માર્ગદર્શન આપતી સંસ્થા.
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા એક સામાજિક અને માનવસેવા સંસ્થા છે. આ સંસ્થા બાળકલ્યાણ, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને નિઃશુલ્ક નેત્રયજ્ઞ (આંખની સારવાર) જેવાં લોકઉપયોગી કાર્યો માટે લોકપ્રિય છે.
સંસ્થાના સ્થાપક (૧૯૩૯) : કર્મયોગી માનભાઈ ભટ્ટ. ચક્ષુદાન, સાહિત્ય અને સાંસ્કૃતિક તેમ જ અનેક સેવા અને સમાજ સુધારક પ્રવૃત્તિઓના પ્રણેતા. 1908-2002.
Shishuvihar in Krishna Nagar, Bhavnagar, is broadly recognized and highly rated as a prominent social, educational institution/NGO rather than just a standalone conventional school.
શિશુવિહાર સંસ્થામાં થઈ રહેલી પ્રવૃત્તિઓઃ
શિક્ષણઃ Educatuion: 38,328+
સાહિત્યિકઃ Literature activities: 6992+
વડીલ વર્ગઃ Gerontology. 6,693+
કામધંધાને લગતું: Vocational and life skills: 9,41,213+
આરોગ્યઃ Health: 8,90,240 +

માનભાઈ ભટ્ટ
માનભાઈ અને ડો.અધ્વર્યુના પ્રયાસથી ૧૯૬૮થી, પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 20,000થી વધુ મફત શસ્ત્રક્રિયા ભાવનગરની શિશુવિહાર સંસ્થાએ ‘દર્દી દેવો ભવઃ’-ના પવિત્ર સૂત્ર સાથે છેલ્લાં અગણિત વર્ષોથી નેત્રયજ્ઞ દ્વારા માનવસેવાની અનોખી પરંપરા જાળવી રાખી છે. સેવા યજ્ઞ માત્ર આંખની શસ્ત્રક્રિયાઓ પૂરતો નથી, પણ જરૂરિયાતમંદ દર્દીઓને નિદાન, સારવાર, ચશ્માં, ગરમ કપડાં અને ભોજનની સહાય પૂરી પાડે છે.
ડૉ. નાનકભાઈ માનશંકર ભટ્ટની કુશળ વ્યવસ્થા, સ્વયંસેવકો અને બહેન ઈંદાબહેનની જીવન સમર્પિત કાર્યદક્ષતાથી શિશુવિહાર સંસ્થા અનેકને માટે સહાયરૂપ બની રહી છે.
ભાવનગરમાં નૃત્ય-સંગીત, નાટક અથવા તો કોઈ પણ ઉત્સવ શિશુવિહારના મંચ પર જ હોય. અમે સૌ દરેક કાર્યક્રમમાં ઉત્સાહથી જતાં. એ જમાનામાં માનભાઈએ એક કવિ સંમેલનમાં કવિઓનું હારતોરા સાથે સન્માન કર્યું હતું જેમાં મારાં કવયિત્રી મા પણ હતાં. આ રીતનું કવિઓનુ સન્માન અદ્વિતીય હતું. વર્ષોથી બુધસભા અને સાહિત્યકારોને સન્માન આપતા પ્રેરણાત્મક કાર્યક્રમો થયાં છે.
અન્ય પ્રવૃત્તિઓની ઝાંખી…
કુદરત સાથેનો સંવાદ: વિદ્યાર્થીઓના નાના હાથે મોટો બદલાવ!!
લેખક : ડો.નાનક ભટ્ટ, સુરેશ ભટ્ટ.
માટીનો સ્પર્શ, પાણીની તાજગી અને પાંદડાંની હરિયાળી સાથે બાળકોને ફરી પ્રકૃતિની ગોદમાં લઈ જતી શિશુવિહાર સંસ્થાની અનોખી પહેલ માત્ર એક શૈક્ષણિક પ્રવૃત્તિ નથી, પરંતુ જીવનમૂલ્યોના સંવર્ધનનું સશક્ત અભિયાન છે. રોજિંદા જીવન સાથે સંકળાયેલી ત્રીસ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના, સામાજિક જવાબદારી, પ્રયોગાત્મકતા અને જીવનકૌશલ્યોનું સંવર્ધન કરવાનો પ્રયાસ જીવન શિક્ષણની દિશામાં એક અર્થપૂર્ણ પગલું બને છે.
પર્યાવરણ સંરક્ષણનો વિષય આજે માત્ર વૈજ્ઞાનિકોની ચર્ચાનો નહીં, પણ દરેક ઘરના રસોડા, અને વર્ગખંડનો વિષય બની ગયો છે. રોજ બ રોજની ટેવોને જ તપાસી, પર્યાવરણને મિત્ર બનાવતી ૩૦ સરળ પ્રવૃત્તિઓની એક યાદી બનાવી છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને ભાવનગરની શિશુવિહાર સંસ્થાએ ૬,૦૦૦ વિદ્યાર્થીઓ માટે શરૂ કરી છે. સારી ટેવો બાળકોને મોબાઇલ અને ઈન્ટરનેટના વિશ્વમાંથી બહાર કાઢીને પ્રાકૃતિક સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રતિ દોરી જશે.
શિશુવિહાર સંસ્થા સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોના વિકાસ માટે વર્ષ દરમ્યાન ૪૦૦થી વધુ ઉપક્રમો અને સામાજિક જાગૃતિ અભિયાનો, થકી પ્રતિવર્ષ ૩,૫૦,૦૦૦ નાગરિકોને શિક્ષણ સાથે જોડે છે.
પર્યાવરણ જાગૃતિ માટે ૩૦ પારિવારિક પ્રવૃત્તિઓની વિગતો અત્યંત વિચારપૂર્વક ગોઠવવામાં આવી છે. શિશુવિહારથી પાણી અને પ્લાસ્ટિકના ઉપયોગ અંગે પણ સ્પષ્ટ માર્ગદર્શન મળે છે. પ્લાસ્ટિકનો બોજો ઘટાડે તેવી જીવનની રોજ બ રોજની પ્રવૃત્તિઓમાં સભાન ફેરફારોની જરૂર છે. જાગૃતિ અભિયાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જયદેવ દીપકભાઈ ઉનડકટનો પણ સહયોગ મેળવ્યો છે, જે યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. પર્યાવરણની સમસ્યા કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે સરકારની એકલી જવાબદારી નથી, પરંતુ તે સામૂહિક પ્રયાસ છે. સૌ પોતાના સ્તરે જળ-જમીનની જાળવણી કચરાનું વર્ગીકરણ, પ્લાસ્ટિકનો ત્યાગ અને વૃક્ષારોપણ જેવી ટેવો અપનાવીશું, તો સાંકળ પ્રત્યેક ઘર, શાળા અને શહેરને જોડતી જશે. આવનારી પેઢી માટે એક ટકાઉ, સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત પૃથ્વીનું સ્વપ્ન સાકાર થઈ શકશે. — વર્તમાન શિશુવિહાર સંચાલક, ડૉ. નાનક મા. ભટ્ટના લેખને અહીં સંક્ષિપ્તમાં મુક્યો છે. ઘણાં સન્માનોથી નવાજીત નાનકભાઈના વિવિધ વિષયના વિચારશીલ લેખો પ્રસંશનીય છે.
વાર્ષિક કાર્યક્રમ …
જાહ્નવી સ્મૃતિ, માતૃભાષા સંવર્ધન, કિસ્મત કુરેશી. બુધસભા કવયિત્રી અને કવિ સન્માન સંમારંભ નવેમ્બર ૨૧ના રોજ યોજાશે.
સરનામું : Shishuvihar, plot# 507 N. Krishna Nagar, Bhavnagar, Gujarat 364001.
phone# +91 70433 32100
e.mail : shishuviharbhavnagar@gmail.com
જરૂર મુલાકત લેશો… https://www.shishuvihar.in/
![]()

