Opinion Magazine
Number of visits: 9891464
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વરોજગાર વધ્યા પણ કમાણી વધી નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 June 2026

ચંદુ મહેરિયા

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(ILO)ના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં સ્વરોજગારીનો દર ૪૨.૫ ટકા છે. જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અમેરિકામાં ૧૬.૩ મિલિયનથી વધુ લોકો સ્વરોજગારથી રોજી મેળવતા હતા. ભારતમાં સ્વરોજગારથી રોજી મેળવતા અસંગઠિત અને નાના વ્યવસાયોની સંખ્યા ૨૦૨૩-૨૪માં ૭.૩૪ કરોડ હતી. ૨૦૨૫માં તે વધીને ૭.૯૨ કરોડ થઈ છે. એટલે એક જ વરસમા સ્વરોજગારના ક્ષેત્રમાં  ૫૮ લાખ નાના અને સૂક્ષ્મ વ્યવસાયો વધ્યા છે.

જે લોકો બીજા પાસેથી  પગાર કે વેતન મેળવવાને બદલે પોતાનો ધંધો કે વ્યવસાય કરીને કમાણી કે આવક મેળવે છે તે સ્વરોજગાર (Self Employment) છે. નાનકડી દુકાન, ખુમચો, લારી, ફેરી, જાહેર સડકો અને સ્થળો પર ફરસાણ બનાવી વેચે, શાકભાજી, ફળો અને દૂધની ફેરી કરે, અગરબત્તી બનાવે, બીજાના ઘરના કામો કરે, કપડાં કે ઘરની મરામતનું કામ, સ્થાનિક સેવાઓ આપે, આઈસ્ક્રીમ, ગોળા, બરફ અને કુલ્ફી વેચે, રમકડાં અને ફુગ્ગા વેચે – આવા  બીજાં અનેક કામો સ્વરોજગાર ગણાય. સ્વરોજગાર કરનાર વ્યક્તિ કામ શોધનાર મટી બીજાને કામ આપનાર બને છે. તે માલિક કે નોકરીદાતાને બદલે ગ્રાહકો પાસેથી વેતન કે પગાર મેળવે છે. 

સ્વરોજગાર કરનાર વ્યક્તિ સાહસિક ગણાય કે લાચાર તે વિશે મતમતાંતર પ્રવર્તે છે. જો કે સ્વરોજગાર કરનાર વ્યક્તિમાં કેટલાક ગુણ કે લાયકાત હોવા જરૂરી છે. જેમ કે તે વ્યક્તિ સ્વતંત્ર વિચારો ધરાવતી હોવી જોઈએ અને કોઈના તાબામાં કામ કરવા રાજી ન હોય તેવા સ્વભાવની હોવી જોઈએ. તેનામાં કૌશલ્ય, અથાક મહેનત, મજબૂત પ્રતિભા અને સેવાના ગુણ હોવા આવશ્યક છે. સ્વરોજગાર કરતી વ્યક્તિની આવક કે કમાણી બજારની માંગ પર નિર્ભર હોય છે અને તે અનિશ્ચિત હોય છે તેથી તેની આવક પણ નિશ્ચિત હોઈ શકતી નથી. સ્વરોજગારના આરંભે જોખમ અને અનિશ્ચિતતા હોય છે. બચત અને મૂડી જરૂરી છે. જે વ્યક્તિમાં કોઈના પ્રત્યે ઉત્તરદાયી હોવાનું વલણ ન હોય તે સ્વરોજગારમાં સફળ થઈ શકે નહીં. 

લાભદાયક વ્યવસાયનો વિચાર ધરાવતી અને સફળ વ્યવસાયી બનવા માંગતી વ્યક્તિ બાંધ્યા પગારની સલામત નોકરી છોડીને સ્વરોજગાર અપનાવે તો તે સાહસ છે, પરંતુ બધા સ્વરોજગારને સાહસ માનવા તે ભ્રામક છે. અન્ય રોજગારની તકના અભાવે સ્વરોજગાર કરવો તે વ્યક્તિની મજબૂરી છે. સલામત અને ચોક્કસ વેતનની નોકરીઓ ઓછી છે તેના કારણે લોકો સ્વરોજગાર કરે છે તે સચ્ચાઈ સ્વીકારવી રહી. એક અંદાજ પ્રમાણે પોણા ભાગના લોકો અન્ય રોજીનો સારો વિકલ્પ ન મળતાં સ્વરોજગાર કરે છે તે હકીકત કડવું સત્ય છે. 

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હસ્તકની નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફિસ(NSO)નો તાજેતરનો અહેવાલ “અસંગઠિત ક્ષેત્રના ઉધ્યમોનું વાર્ષિક સર્વેક્ષણ ૨૦૨૫” નાના વ્યવસાયો અને સ્વરોજગારની વાસ્તવિક આર્થિક સ્થિતિની વિસ્તૃત જાણકારી આપે છે અને કેટલીક ચોંકાવનારી સચ્ચાઈ ઉજાગર કરે છે. જાન્યુઆરી ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન હાથ ધરાયેલ આ સર્વેક્ષણ ઘણું વ્યાપક હતું. દેશભરના કુલ ૬,૭૦,૬૫૦ વ્યવસાયો તેમાં આવરી લીધા હતા. તેમાં શહેરોના ૩.૭૬ લાખ અને ગામડાનાં ૨.૯૪ લાખ વ્યવસાયોને સામેલ કર્યા હતા. 

દેશમાં સૂક્ષ્મ અને નાના વ્યવસાયો તથા સ્વરોજગારમાં વધારો થયો છે અને લગાતાર વધારો થતો રહે છે, પરંતુ સ્વરોજગાર કરનારની કમાણી લઘુતમ વેતન કરતાં પણ ઓછી છે તે સત્ય આ સરકારી સર્વેક્ષણમાં જાણવા મળે છે. રોજગાર અને વેપારમાં વૃદ્ધિ આર્થિક ગતિવિધિનો સંકેત માની શકાય પરંતુ NSOનો રિપોર્ટ દર્શાવે છે કે નાના વેપારની આવક, ઉત્પાદકતા અને સામાજિક સલામતી ખૂબ જ નબળી છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દરેક ધંધા દીઠ સરેરાશ કુલ મૂલ્યવર્ધન (GROSS VALUE ADDED-GVA) વાર્ષિક રૂ. ૨.૫ લાખ છે. તે માસિક રૂ. ૨૦,૮૮૦ અને દૈનિક રૂ. ૬૮૫ થાય છે. કામદારદીઠ GVA  રૂ. ૧.૬ લાખ છે. એ હિસાબે દર મહિને રૂ. ૧૩.૩૦૦ અને રોજના રૂ.૪૪૦ થાય છે. પરંતુ રૂ. ૪૪૦ પણ સ્વરોજગાર કે નાનો ધંધો કરનાર વ્યક્તિની રોજની વાસ્તવિક કમાણી નથી. તેમાં કાચો માલ, ધંધાની જગ્યાનું ભાડુ, વીજળી, પરિવહન અને બીજા ખર્ચ સામેલ છે તે બાદ કરતાં તેની રોજની આવક રૂ. ૪૪૦ થતી નથી. દેશના મોટા ભાગના રાજ્યોમાં બિનખેતીક્ષેત્રના અસંગઠિત શ્રમિકોનું માસિક રૂ. ૧૫,૦૦૦ કે તેથી વધુ લઘુતમ વેતન નક્કી કરેલ છે. એટલે સ્વરોજગાર કરનાર કે નાના ધંધા કરનાર વ્યક્તિને લઘુતમ વેતનથી પણ ઓછી આવક થાય છે. 

આ સ્થિતિનો ખ્યાલ આવતા એવો સવાલ થવો સ્વાભાવિક છે કે જો આટલી ટૂંકી કમાણી હોય તો લોકો નાનો ધંધો કે સ્વરોજગાર શા માટે કરે છે? તેનો સરળ જવાબ તો બેઠા કરતાં બજાર ભલી છે. ગરીબો માટે પર્યાપ્ત કમાણી કરવાની પૂરતી તકો નથી. પર્યાપ્ત રોજગારની તકોના અભાવે તે સ્વરોજગાર તરફ વળે છે અને ભવિષ્યમાં સ્થિતિ સુધરશેના આશાવાદમાં જીવે છે. અધિકતર ગરીબો તો બીજાં કામના અભાવે લાચારીથી સ્વરોજગાર કરે છે સ્વરોજગાર છોડવાનો તેમનો વિચાર બેરોજગાર રહેવાનો કે કશું ન કમાવાનો, તેથી ભૂખે મરવાનો છે એટલે તે સ્વરોજગારને પકડી રાખે છે. 

અસંગઠિત ક્ષેત્રના નાના વેપારીઓ, સ્વરોજગાર કરનાર માટે વેપારનો વિસ્તાર કરવો કઠિન છે. નવી મશીનરી ખરીદવા તે સક્ષમ નથી. આધુનિક મશીનો માટે તે રોકાણ કરી શકે તેમ નથી. ધંધાના વિકાસ માટે તેમને બેન્કોનું ધિરાણ સરળતાથી મળતું નથી. મર્યાદિત પૂંજી અને પૂરતી નાણાકીય સહાયતાનો અભાવ તેમના માર્ગની મુખ્ય અડચણો છે. સીમિત મૂડી, નબળી સામાજિક સલામતી, ઓછી આવક અને ઓછું ઉત્પાદન આ ક્ષેત્રના મુખ્ય પડકારો છે. 

સ્વરોજગાર અને સૂક્ષ્મ તથા લઘુ વેપારના વિકાસ માટે સરકારે સરળ અને સસ્તી બેન્ક લોન ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમના ઉત્પાદનને બજાર સુધી કે ગ્રાહકની માંગ સુધી લઈ જવાના માર્ગો ખોળવા જોઈએ. નવી ટેકનિક્ની સહાયતા, ધંધાનો પ્રચાર, કૌશલ્ય વિકાસ અંગેની તાલીમ – જેવી સુવિધાઓ ઊભી કરવાથી નાના વ્યવસાયીઓને રક્ષણ મળશે. રોજગારની તકો કાયમી બનશે. નવા રોજગાર પેદા થઈ શકશે. દેશની આર્થિક વૃદ્ધિ, નવી રોજગારીનું નિર્માણ અને આત્મ નિર્ભરતાનો આધાર સ્વરોજગાર અને નાના ધંધા બની શકે તેમ છે. આજે સ્વરોજગારનો વિકાસ થયો છે હવે તેમાં કમાણી કઈ રીતે વધી શકે તેમ છે તેના રસ્તા શોધવાના છે. જો દુનિયામાં સ્વરોજગારનું પ્રમાણ કુલ રોજગારમાં ૪૦ ટકા કરતાં પણ વધુ હોય અને કેટલાક સ્વરોજગાર સારી કમાણી આપતા હોય ત્યારે સ્વરોજગારને રોજગારની સશક્ત તક અને આર્થિક વૃદ્ધિનો મજબૂત આધાર માનીને તેને પ્રાથમિકતા આપવી જોઈએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

4 June 2026 Vipool Kalyani
← ગઝલ
ઝૂમતી ચલી હવા, યાદ આ ગયા કોઈ … →

Search by

Opinion

  • ઝૂમતી ચલી હવા, યાદ આ ગયા કોઈ …
  • મિલતી હૈ ઝિંદગીમેં મુહબ્બત કભી કભી
  • સ્ત્રીઓ સાથેનો ઘરેલુ વર્તાવ ને તેનો ઈલાજ 
  • ચાલો …… ગઝલ
  • સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved