Opinion Magazine
Number of visits: 9446880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ના.દે. વિશે પૌત્ર : દીવા તળે અંધારું?

સંજય શ્રીપાદ ભાવે|Gandhiana|12 May 2016

કદર અને નિસબત

ગાંધીકથાકાર નારાયણભાઈ દેસાઈના પૌત્ર અને ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’(અમદાવાદ)ના ચીફ કૉપી એડિટર સુકરાત દેસાઈએ તેમના દાદાનું લખેલું ચરિત્ર ‘ધ લાસ્ટ ઑફ ધ ગાંધીયન્સ’ (નોશન પ્રેસ, ચેન્નાઈ રૂ. ૨૩૦/-) તાજેતરમાં બહાર પડ્યું છે. ‘ઍન અન ઑથોરાઇઝ્‌ડ બાયોગ્રાફી ઑફ નારાયણ દેસાઈ’ એવું પેટાશીર્ષક ધરાવતા આ પુસ્તકને ઊતાવળે જોઈ ગયા પછી તેના વિશેનો પ્રાથમિક પ્રતિભાવ એવો કે એ રસપ્રદ, અસરકારક લેખનના અનેક ઝબકારાવાળું, વિવાદનો અવકાશ ધરાવતું પુસ્તક છે. આ પુસ્તકમાં સુકરાતનો સૂર, અને કેટલેક અંશે એ લખવા પાછળનો હેતુ, ‘દીવા તળે અંધારું’ એવી વ્યથા વ્યક્ત કરવાનો છે. સુકરાત નારાયણભાઈ સાથેના તેના સંબંધને ગાંધીજી અને હરિલાલ ગાંધી વચ્ચેના જાણીતા તણાવયુક્ત સંબંધની સાથે સરખાવે છે. લેખક શરૂઆતની નોંધમાં લખે છે :

એમની લોકપ્રિયતા આસમાનને અડે છે. અને હું એમનો પૌત્ર સુકરાત દેસાઈ અંધકારમાં ડૂબું છું … ગાંધીવાદી વારસાના બધાં સંતાનોને – નહેરુ પરિવારના સોનિયા અને રાહુલ, ગાંધી પરિવારના રાજમોહન અને તુષારને – રાજકારણી, લેખક કે બૌદ્ધિક તરીકેની કારકિર્દી ઊભી કરવા માટે વારસામાં એક પરફેક્ટ પ્લૅટફૉર્મ મળ્યું છે. પણ ગાંધીનો એક બદકિસ્મત બેટો હતાશામાં સરી ગયો. એ દારૂ પીએ છે અને વ્યભિચાર કરે છે. એ સાવ મામૂલી માણસ તરીકે એકલવાયી દશામાં મૃત્યુ પામે છે. ગાંધીજન એવા ઇતિહાસકાર ચંદુલાલ ભગુભાઈ દલાલે લખેલું હરિલાલનું જીવનચરિત્ર મેં વાંચ્યું. મારામાં પણ હરિલાલનાં લક્ષણો હતાં. નારાયણભાઈ ગાંધીને જીવી ગયા, ગાંધીની લઘુપ્રતિમા (મિનિએચર) બન્યા. એમની છાયામાં હું ઓઝપાઈ ગયો, અજાણતા જ હું હરિલાલની જેમ જીવવા લાગ્યો.

દાદાજીની અનેક મુલાકાતોમાંની પહેલી મુલાકાતને ટાંકીને સુકરાત લખે છે : નારાયણભાઈ ઉપરાંત મારે મારા વિશે લખવું છે – આજના જમાનાના હરિલાલ વિશે, એની આપઓળખની મથામણ (આઈડેન્ટિટી ક્રાઇસિસ), એની હતાશા, નારાયણભાઈ સાથેની એની લવ-હેઇટ રિલેશનશીપ વિશે લેખકના વ્યથાજનક અનુભવોનું વર્ણન ‘મેમરિ લેન્સ ઑફ વારણસી  એન્ડ જિનેસિસ ઑફ મૉડર્ન ડે હરિલાલ’ અને ‘ગાંધી = ત્યાગ, હરિલાલ = સ્વાર્થ’ પ્રકરણોમાં છે. સુકરાતે નારાયણભાઈના જન્મથી લઈને એકંદર જીવનકાર્યનું ગૌરવપ્રેરક  નિરુપણ પચીસેક પ્રકરણોમાં કર્યું છે. જેમાં આઝાદીની લડતના તબક્કા ઉપરાંત ભૂદાન, શાંતિસેના, નયી તાલીમ, બાંગ્લાદેશ, જયપ્રકાશ આંદોલન,સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, સાહિત્યસર્જન, આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ ઇત્યાદિનો સમાવેશ થાય છે. પુસ્તકની શરૂઆત ગોધરાકાંડને પગલે થયેલા હિંસાચાર અને તેના ઓસડ તરીકે નારાયણભાઈને સૂઝેલી ગાંધીકથાથી કરી છે. પુસ્તકમાંથી  ઝડપથી પસાર થતાં ય બે પ્રકરણો બિનજરૂરી જણાય છે. વ્યાવસાયિક અંગ્રેજી લેખનપ્રણાલીને અનુસરીને હકીકતોના બયાનમાં માત્ર ‘નારાયણ’ નામ જ વપરાયું છે, ‘ભાઈ’ એવો ઉપસર્ગ નથી. અભિવ્યક્તિ અનેક જ્ગ્યાએ અસરકારક તો ક્યારેક ખરબચડી પણ લાગે છે. સુકરાતમાં આક્રોશ છે, ક્યાંક અપશબ્દોય છે. પણ તેનાથી છળી ઊઠવાની જરૂર નથી. વેદનાને વાચા આપવામાં નારાયણભાઈની મૂર્તિ ખંડિત થાય છે એવું જણાય. પણ બધાએ મૂર્તિને જોયા કરવી કે પૂજવી એવું ય ક્યાં છે? નારાયણભાઈના ચાહકો-અભ્યાસીઓ આ મૂર્તિભંજકતા પરત્વે પ્રતિભાવ-બચાવ-પ્રતિક્રિયા આપે એમ થવું જોઈએ. સુકરાતનો આક્રોશ કેટલે અંશે સાચો અને ન્યાયોચિત (જેન્યુઇન ઍન્ડ જસ્ટિફાયેબલ) છે તેનું વિશ્લેષણ પણ થઈ શકે.

છેલ્લેથી બીજા પ્રકરણ ‘લાસ્ટ ડાયલૉગ્સ’ને અંતે સુકરાતે નારાયણભાઈને ટાંક્યા છે :

આપણે વારાણસીમાં પહેલી વાર મળ્યા ત્યારે મારા તરફની તારી નકારાત્મકતા તે બતાવી હતી. મને ખ્યાલ આવ્યો કે ગાંધીવાદી તરીકેના મારા અહમને કારણે કદાચ એ લાગણી ઊભી થઈ હોય. તારા આરોપ મુજબનો કોઈક પ્રકારનો અન્યાય પણ મેં તને કર્યો હોય. હજુ પણ તને એવું લાગતું હોય તો માફી માગવા સિવાય બીજું હું શું કરી શકું ? બેટા, મહેરબાની કરીને મને માફ કરી દે. અને અહીં હું એ બધાની માફી માગવા ઇચ્છું છું કે જેમને મેં અભાનપણે, શરતચૂકથી પણ દૂભવ્યાં હોય …

છેલ્લા તેંત્રીસમા પ્રકરણને છેડે લેખક નોંધે છે : ‘નારાયણભાઈ કે એમના ગાંધી મને ક્યારે ય ગમ્યા ન હોવા છતાં મને તેમની વાત માંડવાની અદમ્ય ઇચ્છા જાગે છે. એવી વાત કે જેના થકી આવતી પેઢીઓ એમના ગાંધીમાં રસ લેતી થાય.’ પુસ્તકના આખરી  વાક્યમાં લેખક કહે છે કે એમનો નાનો દીકરો અંગ્રેજી કક્કો વાંચતાં ‘જી ફૉર ગન’ બોલતો હતો, એમણે એને અટકાવીને કહ્યું ‘જી ફૉર ગાંધી!

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2016; પૃ. 20

Loading

12 May 2016 admin
← ઐતિહાસિક અવલોકન
આર્થિક વિકાસ એટલે સ્વતંત્રતા? અમર્ત્ય સેનને પૂછો ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved