Opinion Magazine
Number of visits: 9617392
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સવાલ પૂછનાર નહીં, જવાબ નહીં આપનારા દેશદ્રોહી છે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|3 December 2025

હેમન્તકુમાર શાહ

‘દિશા’ દ્વારા સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના ખેડબ્રહ્મા, પોશીના, દાંતા, અમીરગઢ, મેઘરજ અને વિજયનગર એમ છ તાલુકાના લગભગ ૭૦ જેટલા યુવાન નાગરિકો માટે યોજાયેલી ‘નાગરિક શાળા’માં આજે ત્રણેક કલાક આપેલા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા આ રહ્યા :

(૧) લોકશાહી એ સૌથી વધુ મૂલ્યવાન વહીવટી વ્યવસ્થા છે. એનું કારણ એ છે કે એ વ્યવસ્થામાં જ નાગરિકોને અધિકારો હોય છે, બીજી કોઈ પણ વ્યવસ્થામાં એ મૂળભૂત માનવ અધિકારો હોતા નથી. એ અધિકારો ન હોય તો આપણે જંતુ જેવા થઈ જઈએ. 

(૨) રાજાઓ હતા ત્યારે આપણે પ્રજા હતા. હવે રાજાઓ નથી, માટે આપણે પ્રજા નથી. હવે લોકશાહી છે અને એમાં આપણે નાગરિકો છીએ, પ્રજા નહીં. પ્રજાને કોઈ હક હોતો નથી, નાગરિકોને હક હોય છે. આજે દુનિયામાં જ્યાં પણ રાજાશાહી કે તાનાશાહી છે ત્યાં હકીકતમાં લોકો પ્રજા છે, નાગરિકો નહીં. આપણે નાગરિક બની રહેવા માટે મહેનત કરવી પડશે. આપણે પ્રજાસત્તાક નથી, આપણે નાગરિકસત્તાક છીએ. 

(૩) આપણે ૧૯૫૦માં બંધારણ બનાવીને આપણી જાતને આપણે પ્રજામાંથી નાગરિક બનાવી છે. હવે આપણે ફરી પ્રજા થઈ જઈએ નહીં એનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી પોતાની છે. 

(૪) ભારતનું બંધારણ એક એવો કાયદો છે કે જેમાં આપણા અધિકારો આપણે લખેલા છે અને તેથી ચૂંટાયેલા લોકોની એ ફરજ છે કે તેઓ આપણા અધિકારોનું રક્ષણ કરે. આજકાલ આપણને આપણી ફરજોની યાદ અપાવવામાં આવે છે ત્યારે આપણે નેતાઓને આપણા અધિકારોનું રક્ષણ કરવાની એમની ફરજની યાદ આપવાની જરૂર છે.

(૫) રાજાઓ ગયા પણ ઘણા ચૂંટાયેલા નેતાઓ આજકાલ રાજાની જેમ વર્તે છે. અબજો રૂપિયાનો બેફામ ખર્ચ કરે છે. એ આપણા પૈસા છે. સરપંચ હોય કે વડા પ્રધાન, જે રાજાની જેમ વર્તે એને એમના ઘરમાં બેસાડી દેવાની નાગરિકોની ફરજ છે. એ ફરજ ચૂકીશું તો લોકશાહી સામે ખતરો ઊભો થશે. 

(૬) પંચાયતોમાં આપણે સ્વશાસન ઊભું કરવાનું છે. પંચાયતો એ સ્થાનિક સ્તરની સરકાર છે એમ બંધારણ કહે છે. જો ગ્રામ પંચાયતો લોકોની ભાગીદારીથી ચાલતી થશે તો જ લોકશાહી મજબૂત થશે. પણ ગુજરાત સરકાર ઇચ્છતી જ નથી કે સરપંચો એમ સમજે કે ગ્રામ પંચાયત એ ગામની સરકાર છે. એને ખરેખર સરકાર તરીકે કામ કરવા દેવામાં આવતું નથી. પંચાયતો રાજ્ય સરકારની ગુલામડી અને બિચારીબાપડી કરી દેવાઈ છે. 

(૭) આપણો હજારો વર્ષોનો ઇતિહાસ રાજાશાહીનો ઇતિહાસ રહ્યો છે. માત્ર ૭૫ વર્ષથી જ આપણે લોકશાહીમાં શ્વાસ લઈ રહ્યા છીએ. એ શ્વાસ રૂંધાઈ ન જાય તેની કાળજી રાખવાની છે. એ કાળજી ત્યારે જ રાખી કહેવાય કે જ્યારે આપણે સરકારને સવાલો પૂછીએ. સરકારને સવાલ પૂછનાર દેશદ્રોહી નથી, સવાલનો જવાબ ન આપનાર સરકાર દેશદ્રોહી છે. 

(૮) જે નાગરિક સરકારને સવાલ નથી પૂછતો, સરકારની ટીકા કરતો નથી, એ પ્રજા બની જાય છે, નાગરિક રહેતો જ નથી. ઘણી વાર તો એની ખબર એને પોતાને પણ પડતી નથી કે એ પ્રજા બની ગયો! સાચવો, આપણને નાગરિકમાંથી પ્રજા બનાવી દેવાનું મસમોટું કાવતરું ચાલી રહ્યું છે. 

તા.૦૨-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

3 December 2025 Vipool Kalyani
← તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
આખા ગુજરાતમાં દારુ-જુગારના અડ્ડા કેમ સંકેલાઈ ગયા હતા? →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—324
  • નરેન્દ્ર મોદી રજા મૂક્યા વિના જલસા કરે છે? 
  • ચુકાદો અને ચૂકવણી …
  • લાડુ અને ભૌતિકશાસ્ત્ર !
  • ગાંધી, લેનિન અને સામ્યવાદનાં 100 વર્ષ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • મુખોમુખ
  • ગઝલ
  • ગઝલ
  • આ જ વૃક્ષો હતાં
  • તારી યાદ નડે છે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved