Opinion Magazine
Number of visits: 9461559
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દરબારી અર્થશાસ્ત્રીઓને મોદીની રેવડી કદાચ નોન-બાયોલોજિકલનો પ્રસાદ લાગતી હશે!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|27 September 2025

હેમન્તકુમાર શાહ

નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ના જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં, દિલ્હીમાં અરુણ જેટલી સ્મારક વ્યાખ્યાન આપતી વખતે, સૌ પ્રથમ વાર ગરીબોને જે સબસિડી વસ્તુ, સેવા કે રોકડ રકમ સ્વરૂપે આપવામાં આવે છે તેને માટે “રેવડી” શબ્દ વાપરીને ગરીબોને બદનામ કર્યા હતા. 

પછી તો દેશના લગભગ બધા દરબારી અને મોદીભક્ત અર્થશાસ્ત્રીઓ કહેવાતી “રેવડી” પર તૂટી પડ્યા હતા અને તેઓ એમ કહેતા હતા કે આવી “રેવડી”થી સરકારના બજેટની દશા બગડે છે, બજેટમાં ખાધ ઊભી થાય છે, ગરીબોને મફતિયું ખાવાની ટેવ પડે છે, દેશનું અર્થતંત્ર ખાડે જાય છે, વગેરે. અંગ્રેજી છાપાં એમનાં આવાં મંતવ્યો ધરાવતા લાંબાલચ લેખોથી અનેક સપ્તાહો સુધી ભરાઈ ગયાં હતાં. મોદીની “રેવડી” મોંમાં લોલીપોપની જેમ ચગળાવતાં તેઓ થાકતા નહોતા. 

નરેન્દ્ર મોદીએ પોતે આજે બિહારની ૭૫ લાખ મહિલાઓને ₹ ૧૦,૦૦૦ની રોકડ રેવડી આપી છે. પેલા “રેવડી”નો વિરોધ કરનારા અને મોદીની”હા”માં “હા” કહેતા દરબારી અર્થશાસ્ત્રીઓના મોંમાં અત્યારે મગ ભરેલા છે કે શું? 

અને જુઓ તો ખરા. આ રકમ તેમણે બિહારની સરકારની ‘મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના’ હેઠળ બિહારની મહિલાઓને આપ્યા! નરેન્દ્ર મોદી બિહારના મુખ્ય મંત્રી છે? ના. નીતીશ કુમાર મુખ્ય મંત્રી છે? હા. આ એમની યોજના હેઠળ મોદી પૈસા વહેંચે છે તો પણ નીતીશ કુમાર કશું બોલી શકે છે? ના. એને કહેવાય તાનાશાહી. 

નરેન્દ્ર મોદી તેમની પોતાની સરકાર કે ભા.જ.પ.ની રાજ્ય સરકારો હેઠળ ગરીબોને જે સબસિડી કે રોકડ રકમ જુદી જુદી યોજનાઓ હેઠળ અપાય છે તે જુલાઈ-૨૦૨૨ પછી બંધ કરવામાં આવી? ના. તો પછી એમણે “રેવડી” શબ્દ પોતાના ભાષણમાં વાપર્યો કેમ? એટલે કે, દેશના અર્થશાસ્ત્રીઓ એ શબ્દને લઈને બોલ્યા કરે અને લખ્યા કરે માટે. ખરેખર એવું? હાસ્તો. દરબારી અને ભક્ત અર્થશાસ્ત્રીઓને મોદીનું ચપ્પણિયું ચાટવામાં અપાર આનંદ આવતો હોય છે. 

અર્થશાસ્ત્રીઓને ગરીબો પ્રત્યે સ્વાભાવિક રીતે જ ધિક્કાર હોય છે. તેમને માણસની ચિંતા નથી હોતી, તેમને અર્થતંત્ર અને વિકાસની ચિંતા હોય છે. મોદી તેમના આ ધિક્કારને પોષે છે એટલે એમને મોદી બહુ પ્યારા લાગે છે. 

આ તો ભલું થજો આપણા બંધારણનું કે એમાં દર પાંચ વર્ષે આવતી ચૂંટણીની જોગવાઈ છે. એવું ન હોત તો શું થાત એની કલ્પના કરવી અઘરી છે. ચૂંટણી આવે છે એટલે મોદીને ગરીબો યાદ આવે છે. બિહારની વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે જ મોદીને જી.એસ.ટી.માં ઘટાડો કરવાનું સૂઝ્યું છે. નહીં તો સૂઝત ખરું?

૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવી ત્યારે ઉત્તર પ્રદેશમાં યોગીની સરકારે ૪૬ લાખ યુવાનોને મફતમાં ટેબ્લેટ અને સ્માર્ટ ફોન આપેલા! ગુજરાત સરકારે પણ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના ચલાવી જ છે! 

આવી તો બધી બહુ “રેવડી” ભા.જ.પ.ની રાજ્ય સરકારોએ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી વેળા વહેંચી હતી. પણ ત્યારે મહાન અર્થશાસ્ત્રીઓએ “રેવડી”ની ટીકા કરવા મગનું નામ મરી પાડ્યું નહોતું!

મહાત્મા ગાંધીનું આ એક વાક્ય યાદ રાખવાની જરૂર છે : “ગરીબોની ગરીબી દૂર કરવી હોય તો એમાં અર્થશાસ્ત્ર કે અર્થશાસ્ત્રીઓ બેમાંથી એકેયની જરૂર નથી.”

તા. ૨૬-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

27 September 2025 Vipool Kalyani
← ગરબો : ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય
જી.એસ.ટી. ૨.૦ : થોડા આવકારદાયી સુધારા … પણ  ઘણા બાકી  →

Search by

Opinion

  • દલિત ઓળખ વિષે આનંદ તેલતુંબડે
  • જી.એસ.ટી. ૨.૦ : થોડા આવકારદાયી સુધારા … પણ  ઘણા બાકી 
  • ગરબો : ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય
  • राहुल गांधी से मत पूछो !
  • ઝુબીન જુબાન હતો …

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved