Opinion Magazine
Number of visits: 9446367
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?

રમેશ સવાણી|Opinion - Opinion|11 September 2025

રમેશ સવાણી

હિટલરનું પતન થયું અને જર્મનીએ મે-1945માં આત્મસમર્પણ કર્યું, ત્યારે નાઝી રાજ્યના કેન્દ્રિય પોલીસ માળખાને નાબૂદ કરવામાં આવ્યું હતું. નાઝી ગુપ્ત પોલીસને ગુનાહિત સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. તેના ઘણા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી અને તેમને સજા કરવામાં આવી હતી. જ્યારે પણ તાનાશાહ / સરમુખત્યાર સત્તા પરથી હટે ત્યારે પોલીસનું આવી બને !

9 સપ્ટેમ્બર 2025ના રોજ નેપાળના કાઠમંડુમાં પોલીસ Riot shieldsની પાછળ છુપાઈને લોકોનો માર સહન કરી રહી છે. લોકો ઊછળી ઊછળી પોલીસ પર પ્રહાર કરે છે. નેપાળમાં ઠેરઠેર આ સ્થિતિ થઈ છે. પોલીસની આ સ્થિતિ એટલે થાય છે તેમણે લોકાની સેવા કરવાને બદલે સત્તાપક્ષની ચાપલૂસી કરી હોય છે. 

લોકતંત્ર હોય કે તાનાશાહી જ્યારે પોલીસ સત્તાપક્ષના એજન્ટ તરીકે ભૂમિકા ભજવે છે, ત્યારે લોકોના ગુસ્સાનો ભોગ સૌ પ્રથમ પોલીસ બને છે. 

પોલીસે કાયદા મુજબ કામ કરવાનું હોય છે, પણ સત્તાપક્ષની ઇચ્છા મુજબ કામ કરે છે. સત્તાના ઈશારે ભ્રષ્ટાચારી / બળાત્કારી / હત્યારાને છાવરે છે અને સત્તાનો વિરોધ કરનારાઓને ખોટા કેસમાં જેલમાં પૂરે છે. 

મોટાભાગે પોલીસ સત્તાપક્ષની કઠપૂતળી જેવી બની જાય છે. કાયદાને વફાદાર પોલીસ અધિકારી જૂજ હોય છે, જેઓ સત્તા માટે નહીં પણ લોકોના હિત માટે કામ કરતા હોય. આવા પોલીસ અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ મળે છે, પ્રમોશનમાં વિલંબ થાય છે, તુચ્છ બાબતોમાં ખાતાકીય તપાસ કરવામાં આવે છે. 

સૌથી ખરાબ બાબત એ છે કે સરકાર જેમને સાઈડ પોસ્ટિંગમાં મૂકે તે પોલીસ અધિકારી સાથે સત્તાનાં ચાટુકાર પોલીસ અધિકારીઓ અસ્પૃશ્યતા રાખે છે ! તેમને હલકી નજરે જોવામાં આવે છે. મોદીજીએ ગુજરાતના IPS અધિકારી સતીષ વર્મા / રાહુલ શર્મા / રજનીશ રાય / આર.બી. શ્રીકુમારને અસહ્ય ત્રાસ એટલે આપેલ કે તેમણે સત્તા સામે ઝૂકવાનો ઈનકાર કર્યો હતો. આ અધિકારીઓથી બીજા IPS અધિકારીઓ દૂર રહેતા હતા ! IPS સંજીવ ભટ્ટે મોદીજીની વિરુદ્ધ બોલવાને બદલે તેમની ચાપલૂસી કરી હોત તો તેઓ જેલમાં હોત?

લોકશાહીમાં દર પાંચ વરસે સત્તા બદલે છે, ત્યારે પોલીસ અધિકારીઓ પણ રાતોરાત પાટલી બદલી નાખે છે. નવા સત્તાપક્ષની ચાપલૂસી શરૂ કરે છે. પરિણામે લોકોને કાયદા મુજબ કામ કરતી પોલીસ મળતી નથી ! ગુજરાતમાં કેટલાક IPS અધિકારીઓ કાઁગ્રેસના શાસન વેળાએ તથા ભા.જ.પ.ના શાસન વેળાએ પણ મલાઈદાર પોસ્ટિંગ મેળવી શકતા હતા; તે તેમની લાયકાતના કારણે નહીં પણ ચાપલૂસીના કારણે ! સત્તા દર 5 વરસે બદલવી જોઈએ. કોઈ મુખ્ય મંત્રી / વડા પ્રધાનને ‘અવતારી’ માનવા તે લોકશાહીનું અપમાન છે. 

પોલીસ સત્તાપક્ષની ચાપલૂસી કરે તો લોકો પાસે કોઈ વિકલ્પ નથી. લોકો પોલીસનું ગેરવર્તન / નાલાયકી જોતા હોય છે. સત્તાના કારણે લોકો ચૂપ રહે છે. પરંતુ જો લોકોને મોકો મળે તો પોલીસને સસલા જેવી કરી મૂકે. જ્યારે લોકો બળવો કરી શાસક / તાનાશાહ બદલી નાખે ત્યારે લોકો પોતાની દાઝ કાઢતા હોય છે. કદાચ, એટલા માટે નેપાળના લોકો પોલીસને ઠમઠોરી રહ્યા છે ! 

10 સપ્ટેમ્બર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

11 September 2025 Vipool Kalyani
← એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 

Search by

Opinion

  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved