Opinion Magazine
Number of visits: 9447116
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોહનમાંથી મહાત્મા

નારાયણ દેસાઈ|Gandhiana|8 March 2025

ગાંધીજી અને નારાયણ દેસાઈ

એક માનવી તરીકે ગાંધીજીને હું જોઉં છું ત્યારે તેમનું સતત વિકાસ પામતું વ્યક્તિત્વ મને સૌથી વધુ અસર કરે છે. સત્યના આ પ્રયોગી વીર હંમેશાં એક સત્યથી બીજા સુધી સમૃદ્ધ થતા રહ્યા છે અને તે વાત જાહેર કરવામાં ક્યારે ય જડ રહ્યા નથી. જ્યારે જ્યારે તેમને સમજાયું છે કે એમનાં બે નિવેદનો એકબીજાથી વિરુદ્ધ થયાં છે, ત્યારે ત્યારે એમણે લોકોને એમના છેલ્લા નિવેદનને જ સ્વીકારવા કહ્યું હોવાનું નોંધાયું છે. જેમ કે :

‘મારાં લખાણોના ખંતીલા વાચકને અને બીજાઓ, જેમને એમાં રસ છે, તેમને હું કહેવા માંગું છું કે સત્યની મારી ખોજમાં જડભરત દેખાવા હું જરા પણ વ્યાકુળ નથી. મેં ઘણા વિચારો ફગાવ્યા છે અને ઘણી નવી વાતો શીખી છે. ભલે વયમાં હું વધતો હોઉં પણ મારો આંતરિક વિકાસ રુંધાયો છે યા તો મારી સ્થૂળ હયાતી સાથે મારો વિકાસ પણ અટકી જશે, એમ હું માનતો નથી. મારી ચિંતાનો વિષય મારા ઇશ્વર એવા સત્યના સાદને સમયે સમયે સાંભળી શકવાની મારી તૈયારી અંગેનો છે. અને એટલે જ કોઈને મારાં બે લખાણોમાં વિસંગતતા જણાય અને જો એને મારી વિવેકબુદ્ધિમાં થોડી પણ શ્રદ્ધા હોય તો બહેતર છે કે તેણે એક જ વિષય પરનાં મારાં બે લખાણોમાંથી છેલ્લાને પસંદ કરવું.’ (‘હરિજન’, તા. ૨૯-૪-૩૩, પૃ.૨)

એકથી વધારે વિષયોમાં તેમના સતત સમૃદ્ધ થતાં દૃષ્ટિકોણનો હું સાક્ષી છું. ક્યારેક એમણે તાડનાં વૃક્ષોને કાપી નાંખવાના કાર્યક્રમોને ટેકો આપેલો કેમ કે એમાંથી નીકળતા રસમાં આથો લાવી નશીલું પીણું (તાડી) તૈયાર કરાતું. પણ જ્યારે તેમણે જાણ્યું કે એ જ તાજા રસમાંથી સારી જાતનો ગોળ (તાડગોળ) તૈયાર કરી શકાય છે ત્યારે તેમણે ગોળ બનાવવાના ગ્રામોદ્યોગને પોત પૂરો ટેકો જાહેર કર્યો. હું નાનો હતો ત્યારે ગાંધી એક જ જ્ઞાતિમાં પરણતા યુગલને આશીર્વાદ આપતા. પણ જ્યારે મારા લગ્નનો પ્રસંગ આવ્યો, ત્યારે એમના વિચારો ધરમૂળથી બદલાયા હતા.

અસ્પૃશ્યતા અને વર્ણાશ્રમમાંના અનિષ્ટને ઓળખી તેમણે એવાં યુગલોને આશીર્વાદ નહીં આપવાનું નક્કી કર્યું, જેમાં એક સવર્ણ હોય અને બીજું ‘હરિજન’ ન હોય. મારા કિસ્સામાં તેઓ લગ્નને ‘બીજી કક્ષા’નું જ ગણવા રાજી થયા કેમ કે મેં જુદી જ્ઞાતિ અને ભાષાની કન્યા પસંદ કરી હતી. છતાં હું અને મારી પત્ની – અમે બન્ને ‘સવર્ણ હિંદુ’ હતાં. એટલે અમારાં લગ્નમાં સામેલ થવા તેમણે ઈન્કાર કર્યો હતો, જો કે મારાં એ ‘દ્વિતીય કક્ષા’નાં લગ્ન હોવાને કારણે મને એમના પત્રરૂપી આશીર્વાદ મેળવવાનો હક મળ્યો અને મારે મારાં લગ્નમાં એમની હાજરીની અપેક્ષાએ એટલાથી જ સંતોષ માનવો પડ્યો.

સત્ય અને અહિંસા પરત્વે જ ગાંધીની એકવાક્યતા રહી, પણ આ સિદ્ધાંતોનાં પાલન સુધ્ધાંમાં તેઓ દરેક સત્યના સ્તરે સ્તરે વિકસતા રહ્યા. પૂણે નજીકના આગાખાન પેલેસની એમની છેલ્લી જેલયાત્રા દરમિયાન તેઓ ‘અનશન’ પર હતા ત્યારે એમના ભક્ત એવા બીજા મંત્રી પ્યારેલાલે ‘ભારત છોડો’ આંદોલનમાં અહિંસા બાબતે એમની સાથે ચાલતા મારા સતત સંવાદ વિશે ગાંધીને જાણ કરી. ઉપવાસના સાતમા કે આઠમા દિવસે શય્યા પર સૂતેલા ગાંધીજીએ મને નજીક બોલાવ્યો અને છેક નિર્બળ સ્વરે વાત શરૂ કરી, “પ્યારેલાલ પાસેથી જાણતાં મને આનંદ થયો કે તું અહિંસાના પ્રશ્ન પર ગંભીર વિચાર કરી રહ્યો છે.” આરોગ્યની એવી નબળી હાલતમાં પણ અઢાર વર્ષના એક યુવાનને વધાવવાની તક ગાંધી ખોવા માગતા નહોતા.

“જ્યારે અહિંસા વિશે તું વિચારે છે,” તેમણે કહ્યું, “ત્યારે હંમેશ ધ્યાનમાં રાખજે કે અહિંસા વિશેની મારી સમજ સમયની સાથે સાથે વધતી જ રહે છે. ૧૯૨૨માં ચૌરીચૌરામાં હિંસા થઈ ત્યારે મેં બારડોલીમાં કરવા ધારેલી સવિનય કાનૂનભંગની ચળવળ મોકૂફ રાખી હતી. કેમ કે મને લાગ્યું હતું કે દેશ હજી અહિંસક સવિનય કાનૂનભંગ આંદોલન માટે તૈયાર નહોતો. પણ હવે મને લાગે છે કે આપણી આજુબાજુના હિંસાના વંટોળ વચ્ચે પણ અહિંસાની મશાલ સળગતી રહેશે.”

જિંદગીના દરેક ક્ષેત્રમાં ગાંધીવિચાર સતત ખીલતો જ રહ્યો છે. હકીકતમાં, ભૂલો કરતા એક સામાન્ય ‘મોહન’માંથી મહાત્માપદ સુધીના એ ઉદય પાછળ એ જ એક રહસ્ય હતું.

08 માર્ચ 2025 
‘મારા ગાંધી’
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 248

Loading

8 March 2025 Vipool Kalyani
← શું મહિલા સશક્તિકરણની જરૂર છે ખરી? 
સૌમ્ય અને ભવ્ય … પ્રિય માતૃભાષા ગુજરાતી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved