Opinion Magazine
Number of visits: 9448806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભ્રષ્ટાચાર અને દેશની સંપત્તિની લૂંટ ‘વ્યક્તિગત બાબત’ છે?

રમેશ સવાણી|Opinion - Opinion|16 February 2025

ભારતના વડા પ્રધાન મોદીજીની એક જ લાયકાત છે કે તેઓ કોર્પોરેટ કંપનીઓની ચોકીદારી ઉત્તમ રીતે કરી શકે છે ! એટલે જ અદાણી / અંબાણીની માલિકીના મીડિયા મોદીજીની સતત સ્તુતિ કર્યા કરે છે. જ્યાં પણ આલોચના કરવાની ફરજ પડે ત્યાં ‘તંત્ર’ પર દોષનો ટોપલો ઢોળીને મોદીજીને દેવદૂત સાબિત કરે છે ! આ કોર્પોરેટ મીડિયા તથા ગોદી મીડિયા મોદીજીને દેશની સમસ્યાઓ અંગે પ્રશ્નો પૂછવાને બદલે ‘તમે ખિસ્સામાં પાકીટ રાખો છો કે નહીં? કેરી કાપીને ખાવ છો, કે ચૂસીને? આટલી ઊર્જા ક્યાંથી મેળવો છો?’ એવા એવા સાવ વાહિયાત સવાલો પૂછે છે. દેશની આર્થિક કમ્મર તોડનાર નોટબંધી હોય કે કોરોના દરમિયાન 40 લાખથી વધુ મોત થયા હોય, એક સાદી પ્રેસ કોન્ફરન્સ કરી નથી, એક તરફી મન કી બાત જ કરી છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીના વડા પત્રકારોથી ડરે છે કેમ? 

‘મોદી હૈ તો મુમકિન હૈ / નોન બાયોલોજીકલ / અવતારી / વિશ્વના સૌથી લોકપ્રિય નેતા’ વગેરેની છાપ કોર્પોરેટ મીડિયાએ બનાવી છે. 13 ફેબ્રુઆરી 2025ના રોજ, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની હાજરીમાં અમેરિકન પત્રકારે ‘અદાણી સામે શું પગલાં લીધાં?’ આ પ્રશ્ન પૂછતાં કોર્પોરેટ મીડિયાએ બનાવેલ વડા પ્રધાનની કલઈ જ ઊખડી ગઈ !

‘અદાણી સામે શું પગલાં લીધાં’ આ પ્રશ્નનો જવાબ મોદીજીએ આપ્યો : ‘અમારા સંસ્કાર અને સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમ્‌ની છે. અમે આખા વિશ્વને પોતાનો પરિવાર માનીએ છીએ. દરેક ભારતીયને હું મારા પોતાના માનું છું. બીજું કે આવી વ્યક્તિગત બાબતો માટે બે દેશના વડા ન મળે છે, ન બેસે છે, ન તો વાત કરે છે !’

સવાલ એ છે કે અદાણી સામે શું પગલાં લીધાં તેમાં વસુધૈવ કુટુમ્બકમ્‌ કઈ રીતે આવે? સંસ્કાર અને સંસ્કૃતિ કેમ ઘૂસાડી દીધા હશે? અને વાસ્તવમાં ‘દરેક ભારતીયને પોતાના’ માનતા હોય તો સીધા પ્રશ્નનો જવાબ અસંબંધિત આપે? વિદ્યાર્થીઓને પરીક્ષા કેમ આપવી તેના ઉપદેશો આપનાર વડા પ્રધાન પોતે પ્રશ્નોના જવાબ કઈ રીતે ટાળે છે, એનું ઉદાહરણ પૂરું પાડતા નથી? અદાણી અંગેનો પ્રશ્ન કઈ રીતે ‘વ્યક્તિગત બાબત’ કહેવાય? એક જ પ્રશ્નએ, મોદીજીની લેંગ્વેજ અને બોડી લેંગ્વેજ બદલી નાખી ! ત્રણ ત્રણ ટર્મના શાસન છતાં મોદીજીને આ પ્રકારના સવાલનો સામનો કરવાની કોઈ પ્રેક્ટિસ જ નથી; કેમ કે ગોદી મીડિયાની સ્તુતિએ મોદીજીને દિવ્યાંગ બનાવી દીધા છે ! પત્રકાર તુષાર દવે કહે છે : ‘પત્રકારોએ કરોડરજ્જુ ભંગાવીને બંગલા બાંધ્યા છે, એન્કર્સ કરતાં સારા સવાલો કૉમેડિયનો ઉઠાવે છે !’

14 ફેબ્રુઆરી 2025ના રોજ, રાહુલ ગાંધીએ કહ્યું છે : “દેશમાં સવાલ પૂછો તો મૌન ! સવાલ પૂછનારને હેરાનગતિ / જેલ ! વિદેશમાં સવાલ પૂછો તો ‘વ્યક્તિગત બાબત’ ! મોદીજીએ અમેરિકામાં પણ અદાણીના ભ્રષ્ટાચારને ‘વસુધૈવ કુટુમ્બકમ્‌’ના પડદા હેઠળ ઢાંકી દીધો ! જ્યારે મિત્રનું ખિસ્સું ભરવું તે મોદીજી માટે રાષ્ટ્રનિર્માણ હોય ત્યારે ભ્રષ્ટાચાર અને દેશની સંપત્તિની લૂંટ ‘વ્યક્તિગત બાબત’ બની જાય છે !”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

16 February 2025 Vipool Kalyani
← અમારાં બા
હથકડી સાથે અમેરિકાથી આવેલા ગુજરાતીઓ ક્યાં ગૂમ થઈ ગયા છે? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved