Opinion Magazine
Number of visits: 9449585
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક દુજે કે લિયે : કેવી રીતે સુપરફ્લોપમાંથી બચીને સુપરહિટ થઇ ગઈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 July 2024

રાજ ગોસ્વામી

તમિલ સુપરસ્ટાર કમલ હાસનની સિનેમાઈ કારકિર્દી પર ‘કમલ હાસન : અ સિનેમેટિક જર્ની’ નામનું એક નવું અને રસપ્રદ પુસ્તક પ્રકટ થયું છે. કે. હરિહરન નામના લેખકે તેમાં કમલ હાસનની બાળપણની ભૂમિકાઓથી લઈને બ્લોકબસ્ટર ફિલ્મો સુધીની તેમની અભિનય યાત્રાએ કેવી રીતે તમિલ અને અન્ય ભાષી સિનેમાની પ્રગતિમાં યોગદાન આપ્યું છે તેનું ગહન વિવરણ આપ્યું છે.

હિન્દી સિનેમાના દર્શકો કમલને તેમની પહેલી ફિલ્મ ‘એક દુજે કે લિયે’થી ઓળખે છે. આ ફિલ્મ 1981ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. તેણે તે વર્ષે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી રાતોરાત હિન્દી ફિલ્મ ચાહકોમાં લોકપ્રિય થઇ ગયાં હતાં. ફિલ્મને શ્રેષ્ઠ ગીતકાર (આનંદ બક્ષી), શ્રેષ્ઠ પટકથા (કે. બાલાચંદર) અને શ્રેષ્ઠ એડિટિંગ(એન.આર. કીત્તુ)નો ફિલ્મફેર અને એસ.પી. બાલાસુબ્રમણ્યમ્‌ને (તેરે મેરે બીચ મેં માટે) શ્રેષ્ઠ ગાયકનો રાષ્ટ્રીય પુરષ્કાર મળ્યો હતો.

‘એક દુજે કે લિયે’ આજે પણ હિન્દી સિનેમાની એક શ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. ફિલ્મ આમ તો એક સાદી પ્રેમ કહાની હતી, પરંતુ નિર્દેશક કે. બાલાચંદરે તેમાં શેક્સપિયરીય નાટક રોમિયો એન્ડ જુલિયેટની ટ્રેજેડી અને ઉત્તર ભારત – દક્ષિણ ભારતના ભાષાકીય વિભાજન અને વિવાદને ઉમેરીને ફિલ્મને તમામ લોકો જુવે તેવું સ્વરૂપ પ્રદાન કર્યું હતું.

ફિલ્મની ટ્રેજેડી એટલી અસરકારક હતી કે 80ના દાયકામાં ઘણાં પ્રેમી યુગલોએ આ ફિલ્મ જોઇને આત્મહત્યાઓ કરી હતી. આપણે તેના વિશે આ સ્થાનથી “વી આર મેડ ફોર ઈચ અધર સમજે?” નામના લેખમાં લખી ગયા છીએ. એટલે આ લેખ ફિલ્મની વાર્તા વિશે નથી, પરંતુ તેની રિલીઝ પાછળની વાર્તા વિશે છે.

લેખક કે. હરિહરને આ પુસ્તકમાં રસપ્રદ વાત લખી છે કે ‘એક દુજે કે લિયે’ હિન્દીમાં તૈયાર થઇ ગઈ પછી કોઈ વિતરક હાથ અડાડવા નહોતા. તેમને લાગતું હતું કે આ ફિલ્મ તમિલ અને હિન્દી ભાષાના સ્ફોટક ઝઘડા પર છે અને હિન્દી દર્શકો તેને જોવા માટે નહીં આવે. પછી કેવી રીતે ફિલ્મના નિર્માતા એલ.વી. પ્રસાદે ધક્કા ખાઈને, વિનંતીઓ કરીને ફિલ્મ રિલીઝ કરાવી અને કેવી રીતે તે માલામાલ થઇ ગયા તે જાણવું મજા પડે તેવું છે. તમે પણ વાંચો.

‘એક દુજે કી લિયે’ 1978માં આવેલી કે. બાલાચંદરની જ તેલુગુ ફિલ્મ ‘મારો ચારિત્ર્ય’ની હિન્દી રીમેક હતી. મૂળ ફિલ્મમાં કમલ હાસન, સરિતા અને માધવી મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મમાં તમિલ છોકરા અને તેલુગુ છોકરીને રોમાન્સની વાર્તા હતી. ફિલ્મ દક્ષિણમાં જબરદસ્ત હિટ સાબિત થઇ હતી.

તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મ નિર્માણમાં જેમનું નામ બહુ મોટું છે તેવા એલ.વી. પ્રસાદે આ ફિલ્મને હિન્દીમાં બનાવવા માટે પૈસા રોક્યા હતા. પ્રસાદજીને વિશ્વાસ હતો કે હિન્દી દર્શકો આ ફિલ્મ પસંદ કરશે, તેમણે ચાર મહિનામાં ફિલ્મ તૈયાર કરાવી હતી.

ફિલ્મનું ટેકનિકલ કામ મદ્રાસમાં થયું હતું અને તેની તૈયાર પ્રિન્ટ મુંબઈ આવી એટલે પ્રસાદજી તેમના ઓળખીતા વિતરકો માટે એક શો યોજ્યો. વિતરકોનું કામ નિર્માતા પાસેથી ફિલ્મ ખરીદીને તેને અલગ અલગ શહેરોમાં રિલીઝ કરવાનું હોય છે. એટલે વિતરકોની અનુભવી આંખને સૌથી પહેલાં ખબર પડે કે કોઈ ફિલ્મ ચાલશે કે નહીં ચાલે.

પ્રસાદજીના ભાઈબંધ વિતરકોએ ‘એક દુજે કે લિયે’ જોઇને કહ્યું કે આનો તો ધબડકો થશે. આ ફિલ્મને કોઈ હાથ નહીં અડાડે. એક તો તમિલ ભાષી – હિન્દી ભાષી છોકરા-છોકરીના રોમાન્સનો વિષય જોખમી હતો અને ન તો કમલ હાસનને હિન્દી દર્શકો જાણતા હતા કે ન તો પંજાબી છોકરી રતિ અગ્નિહોત્રી જાણીતી હતી. પ્રસાદને એવું લાગતું નહોતું. તેમણે કમલ હાસનને મુંબઈ બોલાવ્યો અને કહ્યું કે ફિલ્મને પ્રમોટ કરવા માટે તારે મુંબઈના ફિલ્મ જગત સાથે પરિચય કેળવવો પડશે.

કમલને એક નાનકડી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. તે સાંજે તે પ્રસાદજીની એક સીધી સાદી ઓફિસમાં ગયો. તેમની ઓફિસમાં નોકર પણ ન હતો. ચા-પાણી પીધા પછી, પ્રસાદજીએ એક ખૂણામાં ‘એક દુજે કે લિયે’નાં 14 રીલ્સનું બોક્સ બતાવીને કમલને કહ્યું કે તારે મને મદદ કરવી પડશે, મને તું આ ઊંચકીને લિફ્ટ સુધી મૂકી આપ. બુઝુર્ગ અને ગુરુ સમાન પ્રસાદજીને મદદ કરવા માટે કમલે 30 કિલોનું બોક્સ ત્રીજા માળેથી લિફ્ટ મારફતે નીચે લાવીને એમ્બેસેડર કારમાં મૂકી આપ્યું.

પ્રસાદજીએ દિલ્હીના એક વિતરક માટે ફિલ્મનો શો યોજ્યો હતો. તે અને કમલ પ્રિવ્યુ થિયેટર પર આવ્યા. પ્રસાદજીએ વિતરકે કમલનો પરિચય કરાવ્યો અને ફિલ્મ ચાલુ થઇ પછી તે ઊઠીને બહાર ગયા અને કમલને કહેતા ગયા કે ઇન્ટરવલમાં ‘શેઠ’ સેન્ડવિચ – ચા લાવી આપજે. કમલના આશ્ચર્ય વચ્ચે ફિલ્મની પાંચમી રીલ પછી શેઠ ઊંઘી ગયા!

આવી રીતે ચાર-પાંચ વિતરકોને મનાવાના નિષ્ફળ પ્રયાસ પછી નિરાશ કમલ મદ્રાસ ચાલ્યો ગયો. બીજી બાજુ, પ્રસાદજીએ હિન્દી ફિલ્મોના દિગ્ગજ વિતરક ગુલશન રાયની મદદ માંગી અને કહ્યું કે તમારી કંપની એકવાર ફિલ્મ રિલીઝ કરે તો સારું. 

એવું કહેવાય છે કે ફિલ્મમાં પ્રેમી યુગલ આત્મહત્યા કરે છે તે જોઇને વિતરકો ઘા ખાઈ ગયા હતા. હિન્દી ફિલ્મોનો અંત હંમેશાં ખાધું-પીધું ને મોજ કરવાનો હોય છે. નિર્માતા-નિર્દેશક રાજ કપૂરે પણ પ્રસાદજીને ફિલ્મનો અંત બદલવા સલાહ આપી હતી. પ્રસાદજી એ માનવા તૈયાર નહોતા.

ગુલશન રાયને પણ એ જ વાંધો હતો. તેમણે કોઈ જ પબ્લિસિટી વગર ફિલ્મને એક જ થિયેટર, રોક્સીમાં રિલીઝ કરવા તૈયારી બતાવી. પ્રસાદજી પ્રતિભાવ જોવા માટે શનિ-રવિના દરેક શોમાં દર્શકો વચ્ચે બેઠા હતા. તેમણે જોયું કે દર્શકો રડતા રડતા બહાર આવતા હતા. 

પ્રસાદજીની એક શંકા દૂર થઇ ગઈ : ફીલિંગની કોઈ ભાષા નથી, હિન્દી ભાષી દર્શકોને પણ આ ટ્રેજેડી એટલી જ સ્પર્શી હતી જેટલી તમિલ દર્શકોને સ્પર્શી હતી. તેમનામાં હિમ્મત આવી. તેમણે તેમના મદ્રાસમાં તેમના દીકરા રમેશ પ્રસાદને તાબડતોબ ફોન કર્યો અને કહ્યું કે હવે પછીના શુક્રવાર સુધીમાં બીજી 40 પ્રિન્ટ આખા દેશમાં મોકલે. એલ.વી. પ્રસાદ હવે જાતે જ ફિલ્મનું વિતરણ કરવાના હતા.

તહેલકો મચી ગયો. જેણે આ ફિલ્મ જોઈ તેણે બીજા પાસે તેનાં મ્હોં ફાટ વખાણ કર્યા. વખાણ તો બનતાં જ હતાં. એક તો તેની વાર્તા જકડી રાખે તેવી હતી. લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને આનંદ બક્ષીએ જબરદસ્ત ગીતો રચ્યાં હતાં. કમલ હાસનનો નિર્દોષ અભિનય અને તેની અનોખી ડાન્સ સ્ટાઈલ અને રતિ અગ્નિહોત્રીની તાજગી દર્શકો માટે નવો જ અનુભવ હતો. 

ફિલ્મ સળંગ 50 સપ્તાહ સુધી ચાલી. મુંબઈના નોવેલ્ટી સિનેમામાં તેનું સેલિબ્રેશન હતું. કમલ તેમાં ભાગ લેવા ફરી મુંબઈ આવ્યો હતો. તે હવે સુપરસ્ટાર હતો. પ્રસાદજી સહજ રીતે જ કમલને નોવેલ્ટી સિનેમાની લોબીમાં કહ્યું હતું, “ફર્શ ચોખ્ખી અને ચમચમાટ છે, નહીં?” 

કમલને આશ્ચર્ય થયું, “હા, છે ને, પણ એમાં ખાસ શું છે?” 

પ્રસાદજીએ કહ્યું, “હું તારી જેમ 26 વર્ષનો હતો, ત્યારે અહીં નોકરી કરતો હતો અને રોજ ફર્શ વાળતો હતો. મને આનંદ છે કે હજુ પણ એ જ પરંપરા ચાલુ છે.”

થોડાં વર્ષો પછી, કમલ ચેન્નાઈમાં પ્રસાદ સ્ટુડિયોમાં એલ.વી. પ્રસાદને મળવા ગયો હતો. ત્યાં તેમણે 70 એમ.એમ.નો રેકોર્ડિગ અને મિક્ષિંગ તોતિંગ સ્ટુડિયો બાંધ્યો હતો. એશિયામાં એ પ્રકારનો તે પહેલો સ્ટુડીઓ હતો.

પ્રસાદજી સ્ટુડીઓ બતાવતાં કમલને કહ્યું હતું, “તું આ મોટો સ્ટુડિયો જુવે છે એ તારા અને બીજા લોકોના પ્રતાપે છે જેમણે એક દુજે કે લિયેમાં કામ કર્યું હતું. ફિલ્મ જગતને તો સફળ ફિલ્મ આપવાની મારી ક્ષમતામાં વિશ્વાસ નહોતો, પણ એ ફિલ્મની તમામ કમાણી મેં આ સ્ટુડિયો પાછળ ખર્ચી નાખીને તેમના માટે જ એક નવી સુવિધા ઊભી કરી છે.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 17 જુલાઈ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

18 July 2024 Vipool Kalyani
← લોકોને મોંઘવારીથી મુક્તિ જોઈએ છે
ગુજરાતી બાળકો શીખશે ‘અ’ અહિંસાનો ‘અ’ →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved