Opinion Magazine
Number of visits: 9448066
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસંત-રજબ બેલડીની વિરાસતને વંદન

પીયૂષ મુકુન્દ પારાશર્ય|Opinion - Opinion|3 July 2015

પહેલી જુલાઈનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોમી એકતા માટે બલિદાન આપનાર બેલડી વસંત-રજબની યાદ તીવ્ર રીતે મનનો કબજો લઈ રહી છે. માત્ર ૬૯ વર્ષમાં જ આ દેશે જે પરિવર્તન અને બરબાદી જોયાં છે એવાં ભાગ્યે જ અન્ય કોઈ દેશે જોયાં હશે. વૈશ્વિક શાંતિ માટે ગાંધીજી આપણા સમગ્ર દેશ માટે એક આદર્શ રહ્યા અને શાંતિના પ્રચાર માટે અને આધ્યાત્મિક શાંતિ માટે મોટી અપેક્ષા સાથે ભારત દેશ તરફ સહુ જોતાં રહ્યાં છે.

પણ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ ઍન્ડ પીસ’ના તાજેતરનાં તારણો પ્રમાણે અને તેણે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે શાંતિના સૂચિતાંકમાં વિશ્વના ૧૬૨ દેશોમાં ભારત છેક ૧૪૩માં સ્થાને છે. અહીં શાંતિ અને સુરક્ષાનો સ્તર ખૂબ જ નીચો છે અને દક્ષિણ એશિયાના સાત દેશોમાં ભારત પાંચમાં સ્થાને છે. બ્રિટનની ઉત્તર પશ્ચિમે આવેલો આયર્લેન્ડ સૌથી વધુ શાંતિમય દેશ છે. તો સીરિયા આ યાદીમાં છેલ્લા, ૧૬૨માં ક્રમાંકે છે.

ગાંધીજીએ કલ્પેલા અખંડ ભારતના સીમાડાઓ તો ક્યાં ક્યાં સુધી વિસ્તરેલા હતા! આજનું પાકિસ્તાન, બાંગ્લાદેશ તો ભારતનો જ ભાગ હોત અને તેમાં પડોશનો દેશો પણ ભળ્યા હોત, એવા અખંડ ભારતના દેશની કુલ વસતીનો વિચાર કરીએ તો સહેજે તે આજે ૧૮૦થી ૧૯૦ કરોડની વસતી ધરાવતો દેશ બની જાત. વર્ષ ૨૦૧૪ દરમિયાન વિશ્વમાં છ કરોડ લોકો વિસ્થાપિત થયા પણ ધર્મના આધારે એકબીજાને ધિક્કારતા રહેવાની અને ઝનૂનપૂર્વક લડવાની વૃત્તિએ એવું નથી થવા દીધું, એ એક વાત.

પણ રજબઅલી લાખાણીની વાત જ્યારે મારા વડીલ મિત્ર યોગેન્દ્રભાઈ વાસા (જેમને ૮ જૂનના દિવસે ૯૪મું વર્ષ બેઠું.) પાસેથી જાણું છું ત્યારે થાય છે કે આદર્શવાદી અને ગાંધીજીના આદર્શો ઉપર જીવનભર નિષ્ઠાથી ચાલનારા રજબઅલી લાખાણી અને તેમના કુટુંબીજનોની લોકપ્રિયતા કેટલી અનન્ય હતી! પરમ શ્રદ્ધેય એવા યોગેન્દ્રભાઈ કહે છે કે ભાવનગરના રસ્તા ઉપર રજબઅલી ચાલ્યા જતા હોય અને સામે કોઈ ઓળખીતો સાયકલ સવાર નીકળે તો તે તરત ઊતરી જઈને રજબઅલીને વંદન કરતો. સરકારી નોકરીનો ત્યાગ કરવાની ગાંધીજીની એક જ હાકલને માન આપીને પોસ્ટ ઑફિસમાં નોકરીનો ત્યાગ કરેલો. ઘરની આર્થિક સ્થિતિનો વિચાર પણ તેમણે નહોતો કર્યો. તે પછી રજબઅલી અમદાવાદ સ્થાયી થયા, મોટા ફલક ઉપર કોમી એકતા સ્થાપવાના ઉચ્ચ આદર્શો લઈને જીવ્યા અને શહાદત વહોરી લીધી. રજબઅલી જ્યારે ભાવનગરમાં હતા ત્યારે તેમને ભાવનગર રાજ્યનું પૂરું રક્ષણ હતું. જેવી રીતે સરદાર પૃથ્વીસિંહ આઝાદને ભાવનગરમાં આશ્રર્ય આપીને રક્ષા-કવચ પૂરું પાડવામાં આવ્યું હતું તેવી જ રીતે ભાવનગર રાજ્યે બ્રિટિશ સરકારોને જણાવી દીધું હતું કે ભાવનગર રાજ્યમાં સરકાર વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી રહી નથી. તેથી સરકારે ભાવનગર રાજ્યમાં કોઈ તપાસ કરવાની જરૂર જ નથી. યુવાનોનું શરીર સૌષ્ઠવ સુધારવાનું અને ચારિત્ર્ય ઘડતર કરવાનું કામ ક્રાંતિવીર પૃથ્વીસિંહને સોંપાયું. જે ભાવનગરના શ્રીગણેશ ક્રીડા મંડળમાં ૧૯૨૪થી રહીને જીવનના અંતિમ શ્વાસ સુધી તેમણે ચાલુ રાખ્યું. સ્વામીરાવના છદ્મનામે રહ્યા.

તેવી જ રીતે રજબઅલી લાખાણી અને તેમના સાથીદાર મિત્રો ચિંતનરંજનભાઈ પાઠક, અનિલભાઈ શાહ, પુષ્પેન્દ્રભાઈ ત્રિવેદી, રાવતભાઈ મહેતા, મહેન્દ્રભાઈ મહેતા તથા અન્ય મિત્રો ભાવનગરમાં સત્યના રાયકા રોડ ઉપર આવેલા દક્ષિણામૂર્તિના મકાનમાં (જ્યાં આજે ‘કલાક્ષેત્ર’ નામની નૃત્યસંસ્થા ધરમશીભાઈ શાહના – વય ૯૫ વર્ષ – માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીયનૃત્યશૈલીની તાલીમ આપે છે) રાષ્ટ્રીય ચળવળ અંગેની પત્રિકાઓ તૈયાર કરતા અને ત્યાં જ છાપતાં. પત્રિકાઓનું વિતરણ પણ સારી રીતે પાર પડાતું.

યોગેન્દ્રભાઈ વાસા કરતાં વયમાં રજબઅલી મોટા હતા. રાષ્ટ્રીય ચળવળના સમયમાં સરકારી જીપ નીચે બૉંબ ફોડેલો, પકડાયા નહોતા, જેલ પણ નહોતી થઈ, સરકારી દફતરે શંકાસ્પદ વ્યક્તિ તરીકે નામ નોંધાયેલું એટલે તે પછી સ્વાયંત્ર્ય સેનાનીના ખિતાબથી પણ દૂર રહ્યા જે વાતનું તેમને ગૌરવ આજે પણ છે. ભાવનગરમાં દેના બૅંકમાં યોગેન્દ્રભાઈ કલાર્ક તરીકે નોકરી કરતા હતા ત્યારે ૧૯૪૬માં તેમના એક મિત્રે મુંબઈથી તેમને પત્ર લખ્યો કે ગાંધીજીનું પ્રવચન મુંબઈમાં જુહુ ઉપર યોજાયું અને એ સ્થળ મારા ઘરની સાવ નજીક છે. ગાંધીજીને તારે નજીકથી જોવા હોય તો મુંબઈ આવ. યોગેન્દ્રભાઈએ રજાનો રિપોર્ટ મૂક્યો અને તેમાં મુંબઈ જવા પાછળનું સાચું કારણ લખ્યું. રજા મંજૂર થઈ એ કારણથી કે રજાના રિપોર્ટમાં ગાંધીજીને રૂબરૂ જોવા માટે જવું છે તેવું સાચું કારણ જણાવેલું. દેના બૅંકના શેઠ પ્રાણાલાલભાઈએ આ વાતને ખૂબ જ બિરદાવેલી.

યોગેન્દ્રભાઈ આજે ભાડાના મકાનમાં એકાકીજીવન વ્યક્તિ કરે છે, આધારકાર્ડ નથી, રાંધણગેસથી વંચિત છે. ગાંધીમૂલ્યોને વરેલા યોગેન્દ્રભાઈ, ગાંધીયુગના એ સુવર્ણ દિવસોને યાદ કરે છે, રજબઅલી જેવા સન્માન્ય શહીદને યાદ કરે છે, પોતે તેમની સાથે જીવ્યા છે તેના સંતોષ વ્યક્ત કરે છે. રજબઅલીના એક સમકાલીન આજે પણ ગાંધીમૂલ્યોને કેવાં જતનપૂર્વક યાદ કરે છે અને નિષ્ઠાપૂર્વક આજે પણ એ રીતે જીવનમાં સંતોષ માને છે. પોતે કોઈ રાષ્ટ્રીયપક્ષની કંઠી પણ પહેરી નથી. ધન્ય છે વસંત-રજબ અને ગાંધીમૂલ્યોને વરેલા આવા થોડાએક બચેલા સત્પુરુષોને.

વસંત-રજબ ! આ ક્ષણે તમને શત્ શત્ પ્રણામ. પણ વિશાળફલક ઉપર તમારી વિરાસતને અમે જતનપૂર્વક જાળવી નથી શક્યા, માફ કરશો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 16

Loading

3 July 2015 admin
← વાત આપણા સૌની
VVIP કલ્ચર : બહુ અસંભવ છે નેતા ને નમ્રતાનું સહઅસ્તિત્વ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved