Opinion Magazine
Number of visits: 9448781
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશપ્રેમીઓ એકબીજાના ખમીસની સફેદી વિશે પ્રશ્ન નથી ઊઠાવતા

રમેશ ઓઝા|Opinion - Opinion|29 February 2024

રમેશ ઓઝા

બધા જ દેશપ્રેમીઓ છે. તેમની રગરગમાં દેશપ્રેમ છલકે છે. દેશની પ્રજા (બીજી નહીં હોં, માત્ર હિંદુ), દેશની સંસ્કૃતિ, દેશનો ભવ્ય વારસો, સોનેરી શબ્દોમાં લખાયેલો હિંદુઓનાં પરાક્રમોનો, શહીદીનો તેમ જ ત્યાગનો ઇતિહાસ વગેરે જોઇને તેઓ પોરસાય છે. ગદગદિત થઈ જાય છે અને આપણને ગદગદિત કરે છે. આપણે એટલા બધા રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનાં કેફમાં, નહીં  ટ્રાન્સમાં જતા રહીએ છીએ કે આપણને તેમનાં ગોરખધંધા નજરે નથી પડતા. હકીકતમાં આ બધું ગોરખધંધા કરવા માટે જ કરવામાં આવે છે. પ્રજા કેફમાં રહેવી જોઈએ અને આપણે સીટી વગાડીએ ત્યારે પોતાનું અને દેશનું હિત ભૂલીને ગેલમાં આવીને સાથે સાથે સીટી વગાડે. દેશપ્રેમનો એવો કેફ ચડાવો કે પોતાનું નુકસાન કરીને આપણી સાથે સીટી વગાડે! આવું સર્વહારાને પ્રેમ તેમ જ ન્યાયને નામે સામ્યવાદી દેશોમાં બન્યું હતું અને આવું જ ઇસ્લામના દુ:શ્મનોથી ઘેરાયેલા રાંક બિચારા મુસલમાનને બચાવવા મુસ્લિમ દેશોમાં બની રહ્યું છે. આપણે મહાન છીએ, પણ દુ:શ્મન આપણને સુખે જીવવા દેતા નથી! માટે અમારે સંન્યાસ છોડીને સંસારી પ્રપંચમાં પડવું પડે છે. બાકી અમે તો વૈરાગી છીએ.

લોકોને મૂરખ બનાવવામાં સૌથી પ્રબળ અને હાથવગો દેશપ્રેમ છે એમ ૧૮મી સદીમાં થયેલા બ્રિટિશ રાજકારણી અને વિચારક સેમ્યુઅલ જોહ્નસને કહ્યું છે. તેમણે ૧૭૭૫માં એક ભાષણમાં કહ્યું હતું કે patriotism is the last refuge of the scoundrel. તેમણે કહ્યું હતું કે દેશપ્રેમ કોઈ ખરાબ ચીજ નથી, પરંતુ જો કોઈ છાપરે ચડીને દેશપ્રેમના બરાડા પાડતો હોય તો સાવધાન થઈ જવું જોઈએ. એ જરૂર ગોરખધંધા કરવા માટે અને ગોરખધંધા છૂપાવવા માટે દેશપ્રેમનો ઉપયોગ કરી રહ્યો છે. પ્રેમ એ કરવાની ચીજ છે, બતાવવાની નથી.

બાબા રામદેવ આવો એક દેશપ્રેમી માણસ છે. આર્ય સંસ્કૃતિ, ભારતની પ્રાચીન પરંપરા, ભારતની ભૂમિમાં અને પરંપરામાં વિકસેલાં અને નજરે નહીં પડતાં અમૂલ્ય રત્નો તે શોધી શોધીને દેશપ્રેમી જનતા સમક્ષ મૂકે છે. દેશપ્રેમી જનતા ગદગદ છે. તે લીમડાનું દાતણ કરવાની જગ્યાએ પતંજલિનાં ટૂથબ્રશ વાપરે છે, કારણ કે દેશપ્રેમી ઋષિએ તે બનાવ્યાં છે અને વેચે છે. ઋષિ ભગવાં કપડાં પહેરે છે, કારણ કે ભગવો રંગ પૂજાય છે, બાકી ઋષિ માત્ર દસ વરસમાં અબજો રૂપિયા કમાયા છે. દેશમાં જેટલી દૂઝણી ગાયો છે અને કૂલ મળીને જેટલું દૂધ આપે છે એના કરતાં વધુ તે ગાયનું સ્વાસ્થ્યવર્ધક ઘી વેચે છે. માત્ર ભારત નહીં, ભારતીય ઉપખંડમાં જેટલી ગાયો છે અને જેટલું દૂધ આપે છે એનાં કરતાં પણ વધુ માત્રામાં બાબા ગાયનું ઘી વેચે છે. આર્યાવર્ત ગાયો ખરી ને!

હદ તો ત્યારે જેવા મળી જ્યારે ૨૦૨૧માં કોવીડના બીજા અને ખતરનાક જુવાળ વખતે જ્યારે ઉત્તર ભારતમાં શબો નદીઓમાં વહેતાં હતાં અને સ્મશાનોમાં દહનક્રિયા માટે જગ્યા અને લાકડાં નહોતાં, ત્યારે બાબાએ દાવો કર્યો હતો કે તેમણે કોરોનાનો ઈલાજ શોધી કાઢ્યો છે. પત્રકાર પરિષદ બોલાવીને કેમેરાની સામે તેમણે દવા બતાવી હતી અને એ પણ કેન્દ્રના આરોગ્ય પ્રધાનની હાજરીમાં. પાછા એ સમયના કેન્દ્રના આરોગ્ય પ્રધાન પોતે એક એલોપથીની પ્રેક્ટીસ કરી ચૂકેલા તબીબ છે. બાબાએ તેમની હાજરીમાં પોતે પ્રાચીન આયુર્વિજ્ઞાનના આધારે દવા શોધી કાઢી હોવાનો દાવો કર્યો હતો અને ઉપરથી પાશ્ચાત્ય ઉપચાર પદ્ધતિ (એલોપથી) પર અને ડોકટરો પર આકરા પ્રહાર કર્યા હતા. આરોગ્ય પ્રધાને ઈલાજ શોધી કાઢ્યો હોવાના બાબાના દાવા વિષે અને તેઓ જે ભણ્યા (એલોપથી) એની ઉપયોગિતા વિષે બાબાએ કરેલા પ્રહારો વિષે એક શબ્દ પણ બોલ્યા નહોતા.

કેમ કેન્દ્રના આરોગ્ય પ્રધાન બુદ્ધુ હતા? ના બુદ્ધુ નહોતા. બન્ને દેશપ્રેમી છે એટલા માટે. દેશપ્રેમીઓ એકબીજાના દેશપ્રેમના ખમીસની સફેદી વિષે પ્રશ્ન નથી ઊઠાવતા. જાહેરમાં જો એમ કરે તો દેશપ્રેમી પ્રજાના ઘેનમાં ખલેલ પડે. પાછળથી કદાચ એ સમયના કેન્દ્રના આરોગ્ય પ્રધાને કહ્યું પણ હશે કે બાબા થોડા કમ ફેંકો તો અચ્છા હૈ! અને બાબાએ ફેંકવા વિષે વળતો જવાબ શું આપ્યો હશે? કલ્પના કરી જુઓ! દેશમાં લોકો મરી રહ્યા છે ત્યારે આરોગ્ય જેવી ગંભીર અને સંવેદનશીલ બાબતે દેશ સાથે અને પ્રજા સાથે છેતરપિંડી? પ્રાચીન વિદ્યા સાથે છેતરપિંડી? પતંજલિ, સુશ્રુત અને ચરકને બજારમાં વેચવા માટે ઊભા રાખી દીધા? અને એ પણ કેન્દ્રના આરોગ્ય પ્રધાનની હાજરીમાં જે પોતે એક તબીબ છે? પૈસાની આવી ભૂખ? માટે સેમ્યુઅલ જોહન્સને કહ્યું હતું કે patriotism is the last refuge of the scoundrel. ધૂતારાઓ માટે દેશપ્રેમ ભાવતી વસ્તુ છે.

સર્વોચ્ચ અદાલત ત્રણ વરસથી બાબાની પાછળ છે અને બાબા હમસફર દેશપ્રેમઓની સહાયથી ક્યાં ય આગળ છે. છેવટે કંટાળીને મંગળવારે અદાલતે કહેવું પડ્યું કે હો ક્યા રહા રહા હૈ? સરકારને પૂછ્યું કે આ માણસ કોઇને ગાંઠતો કેમ નથી? એની આટલી બધી ગુસ્તાખી?

વાત એમ છે કે બાબા રામદેવ જેનો એલોપથી પાસે ઈલાજ નથી એવી બીમારીઓની દવાઓ ખોટા દાવાઓ કરીને વેચે છે. અખબારોમાં અને ટી.વી. પર જાહેરાત કરે છે. આની સામે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને અદાલતમાં કેસ કર્યૉં છે. માગણી એવી છે કે છે કે કાં દાવાને સિદ્ધ કરવામાં આવે અથવા પ્રજાને ગેરમાર્ગે દોરતી જાહેર ખબર આપવાનું બંધ કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતે વારંવાર બાબાને કહ્યું છે કે કાં દાવાને સિદ્ધ કરો કાં જાહેર ખબર બંધ કરો. બાબા બેમાંથી કાંઈ કરતા નથી. શું બગાડી લેવાની છે સર્વોચ્ચ અદાલત જ્યારે આપણું રાજ છે! અને હવે તો સર્વોચ્ચ અદાલતમાં પણ દેશપ્રેમીઓને પ્રવેશ આપવાનું શરૂ થયું છે. ન રહે બાંસ ન રહે બાંસુરી.

દરમિયાન દેશપ્રેમી મૂરખરાજ, થોડો સમય ખમી જા. જો કોઈ નવાજૂની નહીં થઈ તો તને દેશપ્રેમની મીઠી નિંદરમાં ખલેલ પાડનાર કોઈ નહીં બચ્યું હોય!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ફેબ્રુઆરી 2024

Loading

29 February 2024 Vipool Kalyani
← લીલી યાદ
પુસ્તક નિર્દેશ : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved