Opinion Magazine
Number of visits: 9449077
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અયોધ્યા રામ મંદિરમાં સક્રિય ભૂમિકા ભજવનાર નેતાઓની બાદબાકી કેમ કરાઈ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 December 2023

રમેશ ઓઝા

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને બોલાવવામાં આવ્યા નથી. તેમને કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં ઠંડી બહુ હશે અને તમે સહન નહીં કરી શકો. આ જોઈને ઘણા ઉદારમતાદીઓ દુઃખી થઈ ગયા છે. જ્યારથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમની ઉપેક્ષા કરી રહ્યા છે ત્યારથી લિબરલો તેમના માટે આંસુ સારી રહ્યા છે.

જાણીતા પત્રકાર કરણ થાપરે હમણાં સુહેલ સેઠ સાથેની એક મુલાકાતમાં લાલકૃષ્ણ અડવાણીની શાલિનતા વિશે કહ્યું હતું કે ૧૯૯૮માં તેમણે (કરણ થાપારે) અડવાણીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને તેમાં બી.જે.પી.એ અપનાવેલી નવી ઉદાર નીતિ વીશે પૂછ્યું હતું કે આ તો રાક્ષસના માથેથી શિંગડા હટાવીને તેના ચહેરા પર સ્મિત ઉમેરવા જેવું થયું. પ્રશ્ન ખરેખર સોંસરવો હતો. અડવાણી થોડા વિરામ માગીને બહાર ગયા. કરણ થાપરને લાગ્યું કે વોશ રૂમમાં ગયા હશે. પાંચ મિનિટ પછી પણ તેઓ આવ્યા નહીં ત્યારે કરણ થાપર શું થયું એ સમજવા બહાર ગયા તો જોયું કે અડવાણી કાઈંક વિચારતા ઊભા હતા. કરણ થાપરે શું થયું એમ પૂછ્યું ત્યારે અડવાણીએ ખિન્ન વદને કહ્યું હતું કે તમે જ્યારે મને રાક્ષસ તરીકે ઓળખાવે છો ત્યારે તમને મુલાકાત આપવાનો શો અર્થ એવું હું વિચારી રહ્યો છું. કરણ થાપરે કહેવત વિષે સ્પષ્ટતા કરી ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ તેમની સાચા હૃદયથી માફી માંગી અને મુલાકાત આપી. મુલાકાત પૂરી થઈ ત્યારે ફરી એક વાર કરણ થાપરની તેમ જ સમગ્ર કૃ મેમ્બર્સની માફી માંગી. શાલિનતાનો આવો જ એક બીજો પ્રસંગ પણ કરણ થાપરે નોંધ્યો છે જે ‘ધ વાયર. ઇન’ નામના ન્યુઝ પોર્ટલ પર વાંચવા મળશે. કરણ થાપર અડવાણીની શાલિનતાથી અભિભૂત થઈ ગયા તેનું એક કારણ આનાથી બિલકુલ ૧૮૦ ડિગ્રી વિપરિત અનુભવ નરેન્દ્ર મોદી સાથે થયો હતો એ છે. નરેન્દ્ર મોદીએ બી.જે.પી.ના નેતાઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઈએ કરણ થાપરને મુલાકાત કે બાઈટ આપવી નહીં. ક્ષમા અને ઉદારતા એ બે શબ્દો નરેન્દ્ર મોદીના શબ્દકોશમાં નથી.

શું લિબરલો ૧૯૯૦-૧ ૯૯૨નાં વર્ષો ભૂલી ગયા છે? હા. નરેન્દ્ર મોદીનો અભદ્ર વ્યવહાર જોઇને તેઓ અડવાણી માટે અને ખાસ કરીને અડવાણીની અંગત વ્યવહારમાંની શાલિનતા જોઇને સહાનુભૂતિ ધરાવતા થઈ ગયા છે. આવું જ અટલ બિહારી વાજપેયીનું હતું. તેઓ પણ અંગત વ્યવહારમાં ખૂબ જ શાલિન હતા. એક વાર લોકસભામાં તેમણે સામ્યવાદી પક્ષના નેતા સોમનાથ ચેટર્જી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાત્રે વાજેયીએ સોમનાથ દાદાને ફોન કર્યો અને રાજકીય મજબૂરીના ભાગરૂપે ટીકા કરવા માટે માફી માંગી.

ઘણાં લોકો અંગત વ્યવહારમાં શાલિન હોય છે. એ શાલિનતાની કદર કરવી જ જોઈએ પણ એ ન ભૂલવું જોઈએ કે તેમણે જીવનમાં શું કર્યું છે અથવા કરે છે. દલાઈ લામાએ તેમની આત્મકથામાં ચીનના નેતા માઓ વિષે લખ્યું છે કે માઓની શાલિનતા, આદર આપવાની તેમની રીત, માઓના ચહેરા પર તેમ જ વ્યવહારમાં પ્રગટ થતું વાત્સલ્ય જોઈને વિશ્વાસ જ ન થાય કે આ માણસ તિબેટ સાથે અને તિબેટની પ્રજા સાથે વિશ્વાસઘાત કરશે. દલાઈ લામા માઓને મળવા બીજિંગ ગયા ત્યારે તેઓ પુખ્ત વયના પણ નહોતા. માઓ દલાઈ લામાને બાજુમાં બેસાડે અને ક્યારેક જમાડે પણ ખરા. કોઈ વિદેશી મહેમાન માઓની મુલાકાતે આવે તો માઓ દલાઈ લામાને ખાસ બોલાવે અને બાજુમાં બેસાડે. દલાઈ લામાના વાંસા પર હાથ ફેરવતા જાય અને વાત કરતા જાય. દલાઈ લામાએ તેમની આત્મકથામાં લખ્યું છે કે નિર્ભિક થઈને માંઓના ખોળામાં માથું મૂકી દેવાનું ત્યારે મન થતું હતું અને આજે પણ એ વાત્સલ્ય વેરતા માઓ જૂઠા અને દંભી હતા એમ માણવાનું મન થતું નથી. ૨૦૦૭માં દલાઈ લામાને મળવાનો મને અવસર મળ્યો ત્યારે મેં પવન પાવન દલાઈ લામાને પૂછ્યું હતું કે માઓ વિષેની દુવિધા શું આજે પણ અનુભવો છો? દલાઈ લામાએ હકારમાં જવાબ આપ્યો હતો. પણ એ જ ચીને માઓનાં નેતૃત્વમાં તિબેટ સાથે અને દલાઈ લામા સાથે જે વ્યવહાર કર્યો એ નજર સામે છે.

અંગત વ્યવહારોમાં શાલિનતાનો કોઇ અર્થ નથી જો એમની જાહેર પ્રવૃત્તિ માનવીય મૂલ્યોથી વિપરિત હોય. લાલકૃષ્ણ અડવાણીએ ભારતનાં સામાજિક પોતને ઊતરડી નાખવાનું કામ કર્યું હતું. ભારતનાં સામાજિક પોતને વિદીરણ કરવાનું કામ કર્યું હતું. અયોધ્યા આંદોલનના તેઓ નાયક હતા જેમાં પાંચેક હજાર અને કદાચ એનાથી પણ વધુ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે.

હકીકતમાં ભારતનાં સમાજિક પોતને ઉતરડવાનું ૧૯૨૫માં સંઘની સ્થાપના થઇ ત્યારથી શરૂ થયું છે અને તેમાં અત્યાર સુધી અનેક એક્ટરરોએ ભાગ લીધો છે. દરેકે પોતપોતાની અથવા આપવામાં આવેલી ભૂમિકા ભજવી છે.  બાબરી મસ્જિદ તૂટી એ મારાં જીવનની સૌથી દુઃખદ અને શરમજનક ઘટના છે એમ અડવાણીએ અનેક વખત કહ્યું છે અને પોતાની આત્મકથામાં પણ લખ્યું છે. પણ તેમણે કયારે ય એમ નથી કહ્યું કે પ્રાયશ્ચિત રૂપે બાબરી મસ્જિદની જમીન મુસલમાનોને પાછી આપવામાં આવે. જો મસ્જિદ તોડવી નહોતી અને તોડવામાં આવી એ માટે શરમ અનુભવો છો તો શરમ દૂર કરી શકાઈ હોત! એની જગ્યાએ જો આમંત્રણ અને ઈજ્જત મળે તો અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનમાં જવું છે. આ બધા એક જ વેલાના તુંબડાઓ છે અને દરેકનું એક જ લક્ષ છે; હિન્દુ રાષ્ટ્રની સ્થાપના. એમાં વાજપેયીનો પણ સમાવેશ થાય છે. દરેકે સમય અને સંજોગોની માગ અનુસાર એક જ નાટકની ભૂમિકા ભજવી હતી અને ભજવે છે. માટે અંગત વ્યવહારમાં શાલિનતા જોઇને ગદગદ થઈ જવાની જરૂર નથી.

ગુજરાતી સાહિત્ય પરિષદનાં ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રકાશ ન. શાહ ઇમરજ્સીમાં વડોદરાની જેલમાં હતા. તેમની સાથે સંઘના એક સિનિયર નેતા ચીમનભાઈ શુક્લ પણ હતા. એક દિવસ અચાનક ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી ઊઠાવી અને જેલમાં પૂરેલા રાજકીય કાર્યકર્તાઓને મુક્ત કર્યા, ત્યારે ચીમનભાઈ શુક્લએ પ્રકાશભાઈને કહ્યું હતું કે આ બાઈ (ઇન્દિરા ગાંધી) મૂર્ખ છે. અમે હોઈએ તો તમને (સેક્યુલર ઉદારમતાદીઓ) ન છોડીએ. દોસ્તી દાવે તમને સુવિધા આપીએ એ જૂદી વાત છે પણ છોડીએ નહીં. આ ૧૯૭૭ની વાત છે.

ટૂંકમાં અંગત વ્યવહારમાં શાલિનતા અને માનવીય મૂલ્યો માટીની પ્રતિબદ્ધતા એ બે જૂદી વસ્તુ છે. અડવાણીએ દસ વરસમાં અસંમતિનો સૂર વ્યક્ત કર્યો છે? કેમ? કારણ કે જે બની રહ્યું છે એ તેમને સ્વીકાર્ય છે. વાજપેયી હોત તો તે પણ ન બોલત. જ્યારે પણ મૂલ્યો વિનાની શાલિનતા દેખાય ત્યારે દલાઈ લામાએ જોયેલા માઓને યાદ કરવા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ડિસેમ્બર 2023

Loading

24 December 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—228
સાંસદોનું સસ્પેન્શનઃ બંધારણીય ઇમારતમાં લોકશાહીનાં અપમાન સાથે કેન્દ્ર સરકારની તુમાખીનું પરિણામ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved