Opinion Magazine
Number of visits: 9449557
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વીસે વાન’ ના તબક્કા પૂર્વે આંકડા લટકા કરે આંકડા સામે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

વેંકય્યા નાયડુને ટાંકવામાં જોખમ છે : તેઓ ભાજપના પ્રમુખ હતા ત્યારે એમણે એક વાર વાજપેયીને વિકાસપુરુષ અને અડવાણીને લોહપુરુષરૂપે વર્ણવીને એક અર્થમાં વાજપેયીને શેહ આપવાની કોશિશ કરી હતી. પણ બહુ ઝડપથી એમણે લાળા ચાવવા પડ્યા હતા, અને દુત્તા વાજપેયી એમની હંમેશની હાજરજવાબી સાથે ‘ન કોઈ ટાયર્ડ, ન કોઈ રિટાયર્ડ’ કહેતાંકને ભાજપકારણ પર છાઈ ગયા હતા. પણ પંદરમી લોકસભા માટેના મતદાનના આખરી દોર વખતે લાગે છે કે હાલને તબક્કે નાયડુને ટાંકવામાં જોખમ નથી પણ ટાંકવા લાયક અવતરણ (ક્વોટેબલ ક્વોટ) નો સમયસરનો ઉપયોગ છે. જેવી ચૂંટણીની જાહેરાત થઈ કે તરત સુદૂર બેંગલોરથી દેવે ગૌડાએ ત્રીજા મોરચાનું એલાન કર્યું હતું અને મામલો કેવળ પહેલા અને બીજા મોરચાઓ એટલે કે કૉંગ્રેસ વગેરે તેમજ ભાજપ વગેરે વચ્ચેનો નથી તે વરતાવા લાગ્યું હતું. તરત જ ડાબેરીઓએ કૉંગ્રેસ અને ભાજપ સિવાયની સરકારનો કનકવો ચગાવવા માંડ્યો હતો. એ દિવસોમાં, વેંકય્યા નાયડુએ ત્રીજા મોરચાને અંગે ‘પાર્કિંગ પ્લોટ’ જેવી ચિત્રાત્મક ટિપ્પણી કરી હતી. દસમી મેની લુધિયાણા રેલીમાં તેલંગણ રાષ્ટ્ર સમિતિના કે. ચંદ્રશેખર રાવે જે સ્ફૂર્તિથી ઉપસ્થિત થઈ ‘લોહપુરુષ’ અડવાણી સમક્ષ હાજરી ભરી એ જોતાં તેઓ ત્રીજા મોરચાના પાર્કિંગ પ્લોટમાંથી પોતાની ગાડી એનડીએના કાફલા સાથે જોડાવા માટે બહાર કાઢી લાવ્યા એમ જ કહેવું જોઈશે.

ત્રીજા મોરચાની પાર્કિંગ પ્લોટ સંભાવનાઓનો કસ કાઢવાનું વલણ કૉંગ્રેસ પક્ષે મહામંત્રી રાહુલ ગાંધીની પાંચમી મેની પત્રકાર પરિષદ વાટે પ્રગટ કર્યું જ હતું : એમણે બિહારમાં નીતિશકુમારની કામગીરીનાં વખાણ કરીને તેમ ચંદ્રાબાબુ નાયડુએ હૈદરાબાદને વિકસાવ્યાના ઉલ્લેખ સાથે અમારી અને ડાબેરીઓ વચ્ચે મતભેદો છતાં, ભાજપથી વિપરીત, કૉંગ્રેસ-ડાબેરી વિચારોમાં ઘણું સામ્ય છે એમ કહીને ચૂંટણીપશ્ચાત સમજૂતીના સંકેતો આપ્યા હતા.

એક રીતે, ચૂંટણીપૂર્વ નહીં પણ ચૂંટણીપશ્ચાત જોડાણનો આ ખયાલ, મેના બીજા અઠવાડિયામાં ડાબેરીઓનો પ્રિય અભિગમ જણાય છે. એક પા પ્રકાશ કરાત કૉંગ્રેસને અંગે ટેકો આપવાલેવાની વાત ખોટી એમ કહે છે ; બીજી પા સીતારામ યેચુરી અને બુદ્ધદેવ ભટ્ટાચાર્ય કૉંગ્રેસ સાથે ‘બિઝનેસ’ થઈ શકે એમ કહેવાની કાળજી લે છે. બુદ્ધદેવના કહેવા મુજબ એમનાં અને કરાતનાં વિધાનોમાં આંતરવિરોધ ન જોવો જોઈએ ; કેમ કે કરાતે પક્ષની નિર્ધારિત ભૂમિકા (કૉંગ્રેસ અને ભાજપ સિવાયની સરકાર માટેની) વ્યક્ત કરી છે જેમાં ચોક્કસ મતદાનીય રૂખ અપેક્ષિત છે. જો 16 મેનાં પરિણામો આ અપેક્ષાથી જુદા આવ્યાં તો ભાજપને સત્તાની બહાર રાખવા માટે કૉંગ્રેસસાપેક્ષ વિચારણાનો તબક્કો શરૂ થઈ શકે છે.

એનડીએને માટે જો બીજુ જનતા દળનું અલગ થઈ જવું એ આકરો આરંભિક આંચકો હતો તો લુધિયાણા રેલીમાં તેલંગણ રાષ્ટ્ર સમિતિની હાજરી અને નીતિશ – નમોનું એકમંચ હોવું એ વાજીકરણનો મામલો છે. અલબત્ત, બીજી પાસ પોતે ન તો ગુજરાત ગયા છે, ન તો નમોને બિહાર બરક્યા છે એવી સ્પષ્ટતા કરીને નીતિશકુમારે સલામત અંતરનો ખયાલ બરકરાર દાખવ્યો છે. પણ આ ક્ષણે તેઓ સૂચિત ત્રીજા મોરચા સાથે નથી અને ભાજપ જોડે મળીને પટણામાં સરકાર ચલાવવા બાબતે બિહારની જનતા પરત્વે પ્રતિબદ્ધ છે એમ કહેવામાં એમણે કોઈ કસર છોડી નથી.

દરમ્યાન, નવા સાથીઓ ન મળે એ સંજોગોમાં કૉંગ્રેસનું વલણ સ્વાભાવિક જ જૂના સાથીઓના પુનઃ એકત્રીકરણનું છે. લાલુ-મુલાયમ તેમજ કૉંગ્રેસ એકમેકને છૂટાં મેલતાં જણાયાં હતાં એમણે વળી નજીક આવવાનું જરૂરી લેખ્યું છે.

સરવાળે, જોકે, જે સાર નીકળે છે તે એ છે કે મતદાનના પહેલાબીજા તબક્કા લગી જે મામલો કૉંગ્રેસ ગઠબંધન, ભાજપી ગઠબંધન અને ત્રીજા મોરચા વચ્ચેનો લાગતો હતો તે ત્યારે ઝાંખોપાંખો પણ કંઈકે સુરેખ હશે તો હશે ; અત્યારે તો માહોલ ને મામલો ખુલ્લા ખેલ ફરુખાબાદી યાને ‘ફ્રી ફૉર ઑલ’ તરેહનો છે. કોણ કેટલાં માથાંનો મતાદાર છે એ મુદ્દો જ પરિણામ પછી મહત્ત્વનો બની રહેવાનો છે. આદર્શો નહીં પણ આંકડાનો ખેલ એ હોવાનો છે.

આનો અર્થ એ નથી કે 1989ની વીપી ચૂંટણીનાં વીસે વરસે વાનનો જે ખયાલ હતો તે પરવારી ગયો છે. માત્ર, આ વાન મે 2009માં પૂરો નયે ઊઘડે – પણ ઊઘડવાની શરૂઆત જરૂર થઈ ચૂકી છે. આ પ્રક્રિયા – બને કે એમાં યુપીએ અને એનડીએ નયે હોય અને નવાં નામો તેમજ નવી જમાવટો હોય, શરૂ થઈ ચૂકી છે. આવતાં પાંચ વરસમાં (વચમાં એકબે ચૂંટણીદાવ સાથે) એનો વાન ઊઘડીને રહેશે.

સ્વતંત્ર નાગરિક શક્તિએ પ્રજાના બળ તરીકે આ પ્રક્રિયામાં અંદરબહાર દખલ દેવાનું ને દરમ્યાન થવાનું કૌવત, કળા તેમજ કસબ (અને કમિટમેન્ટ) અવિશ્રાંત દાખવવાં રહેશે.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved