Opinion Magazine
Number of visits: 9449163
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક દિવસ તમે તમારો મૂળ ચહેરો જ ગુમાવી બેસો કે તમે તમને જ ન ઓળખી શકો

રમેશ ઓઝા|Opinion - Opinion|20 November 2022

‘દિવ્ય ભાસ્કર’ની મુંબઈની આવૃત્તિ શરૂ થઈ ત્યારે તેની એક નાનકડી લોન્ચિંગ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં બી.જે.પી.ના નેતા પ્રમોદ મહાજન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જાત સાથે સંવાદ કરતા હોય એવા અંદાજમાં કહ્યું હતુ કે હમ કહાં જાને નિકલે થે ઔર હમ પહુંચે કહાં. એ પછી તેમણે કહ્યું હતું કે ભારતના સત્તાકીય સંસદીય રાજકારણમાં ટકી રહેવા માટે સામાધાનો કરવા પડે છે અને એ એવો કૂવો છે જેને તળિયું જ નથી. એક દિવસ તમે તમારો મૂળ ચહેરો જ ગુમાવી બેસો તે ત્યાં સુધી કે તમે તમને જ ન ઓળખી શકો. આ વાત તેમણે મીડિયાને તેનો ધર્મ યાદ કરાવવા માટે કરી હતી. મીડિયાએ નેતાઓને યાદ દેવડાવતા રહેવું જોઈએ કે સાહેબ, તમે શું કહેતા હતા અને અત્યારે શું કરો છો.

પ્રમોદ મહાજનને સાંભળ્યા એ પછી અત્યાર સુધીમાં અનેકવાર તેમના કથનની યાદ આવતી રહી છે. આજકાલ અરવિંદ કેજરીવાલને જોઈને તેની વધારે યાદ આવે છે. ઊલટું મનમાં એક બીજો જ પ્રશ્ન પેદા થયો છે. અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન અને તેનું આંદોલન મૂળમાં જ પ્રજાકીય છેતરપીડીનું કાવતરું હતુ કે પછી મહાજને કહ્યુ હતું એમ ટકી રહેવા માટે અનિચ્છાએ કરવા પડેલાં સમાધાનોનું પરિણામ છે? આ પહેલાં ૧૯૭૭માં જનતા પાર્ટી વખતે અને ૧૯૮૯માં વી.પી. સિંહના જનતા દળ વખતે પણ દેશને આવો જ અનુભવ થયો હતો. આ સિવાય રાજ્યોમાં એન.ટી. રામારાવ, રામકૃષ્ણ હેગડે જેવાઓ સાથે પણ પ્રજાના નસીબે છેતરાવાનું આવ્યું હતું.

તો પ્રશ્ન એ છે કે જે લોકો મૂલ્યોની મોટીમોટી વાતો કરીને પ્રજાનો વિશ્વાસ રળીને સત્તા સુધી પહોંચે છે એ મૂળમાં જ પ્રજાકીય છેતરપિંડી હોય છે કે પછી સત્તાના પ્રત્યક્ષ રાજકારણમાં અટવાઈ પડેલા હોય છે? બન્ને બાબત ગંભીર છે. ગણતરીપૂર્વકની છેતરપીંડી ગંભીર છે જ પણ સારા માણસને ધરાર સમાધાનો કરવાં પડે એવી રાજકીય સંસ્કૃતિ પણ એક ગંભીર રાષ્ટ્રિય બીમારી છે.

મારું એવું માનવું છે કે ૧૯૭૭નો જનતા પાર્ટીનો પ્રયોગ એક વિશિષ્ઠ પરિસ્થિતિનું પરિણામ હતું. લોકોને ઇન્દિરા ગાંધીની કાઁગ્રેસ સામે લોકતાંત્રિક વિકલ્પ જોઇતો હતો અને સમય ઓછો હતો. જનતા પાર્ટીના નેતાઓએ લોકતંત્રનાં રક્ષણ સિવાય બીજા કોઇ વાયદા નહોતા કર્યા અને લોકતંત્રનું રક્ષણ તેમણે કર્યું પણ હતું. પરંતુ જનતા પાર્ટી વિવિધ અને પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા પક્ષોનો મેળો હતો અને ઉપરથી પોતાની મૂળ જગ્યા પકડી રાખવાની અને બને તો બીજાના ભોગે પોતાની જગ્યા બનાવવાની રાજકીય પક્ષો પ્રયાસ કરતા હતા. આને કારણે જનતા પાર્ટીનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો હતો. એ પૂર્વઆયોજિત પ્રજાકીય છેતરપિંડી નહોતી.

વિશ્વનાથ પ્રતાપસિંહની મૂલ્યો પ્રત્યેની ખેવના શંકાસ્પદ હતી. શબ્દપ્રયોગ તરફ ધ્યાન આપવામાં આવે; શંકાસ્પદ હતી. એક જમાનામાં તેઓ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં સક્રીય હતા. પોતાની જમીન દાનમાં આપી દીધી હતી. પ્રજાકીય અને માનવતાના પક્ષે ઊભા રહેતા હતા. બહુ સારા કવિ અને ચિત્રકાર હતા જેમાં તેમની સંવેદના પ્રગટ થતી હતી. પણ વી.પી. સિંહ હતા ચાલાક. તેઓ કાઁગ્રેસની સામે પડ્યા ત્યારે જ ચંદ્રશેખર જેવા લોકો કહેવા માંડ્યા હતા કે આ માણસ શિયાળને શરમાવે એવો ચતુર છે. એક દિવસ તમારી આંખ ઊઘડશે પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. વિશ્વનાથ પ્રતાપ સિંહની બાબતમાં પણ પ્રજાને છેતરાવાનું આવ્યું હતું.

અરવિંદ કેજરીવાલ અને તેમના ખેલ વિશે મને પહેલેથી જ શંકા હતી અને એ મેં ત્યારે લખ્યું પણ હતું. અત્યારે આમ આદમી પાર્ટી કોઇ પણ દૃષ્ટિએ અનોખી પાર્ટી રહી નથી. દેશના અર્થતંત્રને પાટે ચડાવવા દેવદેવીઓના ફોટા ચલણી નોટ ઉપર છાપવા જોઇએ એમ કહીને તેમણે સાબિત કરી આપ્યું છે કે તેને લાજશરમ નથી. બી.જે.પી.ની જેમ કોઈ પણ ભોગે સત્તા જોઇએ છે. ખેડૂત આંદોલન, દિલ્હીમાં કોમી હિંસા, બળાત્કાર જેવી બર્બર ઘટનાઓ, બિલ્કિસ બાનુના બળાત્કારીઓ અને તેનાં પરિવારના સભ્યોના હત્યારાઓની મુક્તિ જેવી ગમે તેવી વ્યથિત કરી મૂકે એવી ઘટના હોય, એ ભાઈ મૂંગા રહી શકે છે. દસ વર્ષ પહેલાં એ ભાઇ જે કહેતા હતા એ બધું જ ભૂલાઈ ગયું છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે ૨૦૧૧ અને એ પછીની ઘટનાઓ કાઁગ્રેસને બદનામ કરવાનું કાવતરું હતું. એમાં બાબા રામદેવ અને ઓડિટર ઍન્ડ કન્ટ્રોલર જનરલ વિનોદ રાય પણ ભાગીદાર હતા. બાબા કાળું નાણું ભૂલી ગયા છે અને વિનોદ રાયનો એક પણ આરોપ સાબિત થયો નથી. ૧૯૮૯માં ટી.ઈન. ચતુર્વેદી નામના સી.એ.જી.એ પણ આ જ રીતે રાજીવ ગાંધીની સરકારના ભ્રષ્ટાચારના આંકડા વધારીને આપ્યા હતા. નિવૃત્તિ પછી બી.જે.પી.માં જોડાયા અને ગવર્નર તરીકે લાભ લીધા હતા. અરવિંદ કેજરીવાલ અને એ સમયના ભ્રષ્ટાચાર વિરોધીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવેકાનંદ ફાઉન્ડેશનમાં મળતા હતા અને ત્યાં જ તેમની મિટીંગો થતી હતી. આ બાજુ નરેન્દ્ર મોદીએ પોતાની ઇનિંગ શરૂ કરી હતી. ટીમ ‘એ’ અને ટીમ ‘બી’ એમ બન્નેને મેદાનમાં ઉતારામાં આવી હતી. ગમે તે જીતે ટીમ.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 નવેમ્બર 2022

Loading

20 November 2022 Vipool Kalyani
← ‘ઊંચાઈ’ : શિખર પર પ્રગટતી સાંસારિક ઉદાસીની રળિયામણી ફિલ્મ
ક્રિપ્ટોની કરન્સીઃ નિયમન વિનાનું, લાલચ જગાડે એવું ભ્રામક વિશ્વ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved