Opinion Magazine
Number of visits: 9447157
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિમલામાં સાહિત્યનો મહાસંગમ

મેહુલ દેવકલા|Opinion - Opinion|22 July 2022

અવસર

૫૦ કરતાં વધુ ભાષાના ૪૨૫ કરતાં વધુ સાહિત્યકારોનો જમાવડો

આઝાદીનાં પંચોતેરમા વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે કેન્દ્રિય સાહિત્ય અકાદમી અને ભારતના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય લિટરેચર ફૅસ્ટિવલ, ‘ઉન્મેષ’, શિમલા ખાતે ૧૬થી ૧૮ જૂન દરમિયાન યોજાઈ ગયો. લગભગ પંદર દેશોમાંથી આમંત્રિત પચાસ કરતાં વધુ ભાષાઓના ૪૨૫ કરતાં વધુ સાહિત્યકારો અને નામાંકિત હસ્તીઓનો આ સંગમ સાહિત્યજગત માટે યાદગાર ઘટના બની રહ્યો. કુદરત પણ જાણે હરખભેર સૌને વધાવતી હોય એમ શિમલાના મૉલ રોડ પર વાદળો ઊતરી આવ્યાં હતાં. ઘડીક ઝરમર વરસાદ તો ક્યારેક નમણા તડકામાં રમતું આ ગિરિમથક જાણે કવિઓ અને લેખકોની ચહલપહલથી રોમાંચિત થઈ ઊઠ્યું હતું.

૧૩૫ વર્ષ જૂના ગેઈટી થિયેટરનાં વિવિધ સભાગૃહોમાં સમાંતર કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ દિવસની શરૂઆતમાં જ ‘સિનેમા અને સાહિત્ય’ પરનો સંવાદ ખાસ્સો નાટ્યાત્મક અને ઉત્તેજનાપૂર્ણ બની રહ્યો. પીઢ ફિલ્મકાર સાંઈ પરાંજપે, નિરૂપમા અને પ્રબોધ પરીખ વચ્ચે રસપ્રદ ચર્ચાઓ થઈ. શ્રોતામાં બેઠેલાં ગુલઝારે અને મંચ પરથી પરાંજપેએ જૂના દિવસોના પ્રસંગો વાગોળી સૌને રસતરબોળ કરી દીધાં. સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પદ્મભૂષણ સોનલ માનસિંગ દ્વારા ભરતનાટ્યમ્‌ની પ્રસ્તુતિ મનમોહક રહી.

ફૅસ્ટિવલના બીજા દિવસની સવારે ઐતિહાસિક વાઇસરૉય સભાગૃહમાં બહુભાષી કવિસંમેલન યોજાયું. સાહિત્ય અકાદમી પુરસ્કૃત તેલુગુ કવિ એન. ગોપી, પંજાબી કવિ નિરૂપમા દત્તે અને અન્ય ભાષાનાં કવિઓ સાથે ગુજરાતી ભાષાના પ્રતિનિધિ કવિ તરીકે મારું કાવ્યપઠન યોજાયું હતું. ભરચક સભાગૃહમાં અનેક ભાષાઓના મૂર્ધન્ય સાહિત્યકારો અને નામાંકિત હસ્તીઓ સમક્ષ મારાં ગુજરાતી કાવ્યોના હિન્દી અને અંગ્રેજી અનુવાદોનું પઠન એક યાદગાર અનુભવ બની રહ્યો. સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ માધવ કૌશિકે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.

આ જ સભાગૃહમાં બપોર પછી ગીતકાર ગુલઝાર અને વિશાલ ભારદ્વાજની ‘ફિલ્મી ગીતોમાં સાહિત્યિક સૌંદર્ય’ વિષય પર રસપ્રદ ગુફ્તેગો યોજાઈ હતી. તો સાંજે વિવિધ દેશોમાંથી આવેલા કવિઓ અને લેખકો સાથે ડાયસ્પોરા સાહિત્ય અને અભિવ્યક્તિ વિશે અમેરિકન કવિ વિજય શેષાદ્રિની અધ્યક્ષતામાં સાહિત્યિક ચર્ચા અને કાવ્યપાઠ યોજાયાં. વિજય શેષાદ્રિ વિશ્વપ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ જીતનારા એશિયન મૂળના પ્રથમ કવિ છે. તેઓ પૅરિસ રિવ્યૂ મૅગેઝિનના પ્રથમ અશ્વેત સંપાદક પણ છે. વિજય સાથે કૉફી પીતાં-પીતાં સંવાદનો સેતુ રચાયો અને કવિતા વિશે લંબાણથી ઑફ સ્ટેજ વાતો થઈ.

માડાગાસ્કરમાં ભારતના રાજદૂત અને અંગ્રેજી કવિ અભયકુમાર સાથે ઑનલાઇન મિત્રતા તો ખરી, પરતુ રૂબરૂમાં પહેલી વાર મળવાનું બન્યું. ફૅસ્ટિવલના ત્રણે દિવસો તેમની સાથે સારી ગોઠડી જામી. જામિયા મિલિયા ઇસ્લામિયામાં અંગ્રેજીના પ્રાધ્યાપક અને કવિ રૂમિ નકવી સાથે શિમલા પહોંચતાં પહેલાં જ ચંડીગઢ ઍરપૉર્ટથી તે છેક ફૅસ્ટિવલ પતાવ્યા પછી પરત દિલ્હી ફરતાં સુધીનો સતત સાથ મળતો રહ્યો.

ફૅસ્ટિવલના બીજા દિવસે જ દીપ્તિ નવલે તેમની આત્મકથાના પ્રસંગોનું વાંચન કર્યું હતું. અમૃતસરમાં તેમનું બાળપણ વીત્યું છે ને જલિયાંવાલા બાગને સેલ્ફી-પોઇન્ટ બનાવી દેવા પર એમણે નારાજગી પ્રગટ કરી હતી.

કાર્યક્રમના અંતિમ દિવસે ‘ભારતીય ભાષાઓમાં મહિલાલેખન’ વિષય પર બોલતાં ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ વિજેતાં ગીતાંજલીશ્રીએ જણાવ્યું હતું કે હમણાં ટૉર્ચનો પ્રકાશ મારા પર પડ્યો છે, પરંતુ ટૉર્ચ તરફ જોવાને બદલે પ્રકાશ તરફ જોશો તો જણાશે કે બીજાં પણ ઘણાં સારા લેખકો આપણી ભાષાઓમાં કામ કરી રહ્યાં છે. ભારતીય ભાષાઓમાં પરસ્પર અનુવાદની પ્રક્રિયા વેગીલી બનવી જોઈએ એવો મત તેમણે પ્રગટ કર્યો હતો. મૃદુલા ગર્ગે સ્ત્રીલેખન વિશે આવા પરિસંવાદોના આયોજન તરફ અણગમો પ્રગટ કર્યો હતો. તેમણે ભાર દઈને કહ્યું હતું કે લેખકને સ્ત્રીપુરુષ એવા ચોકઠાંમાં બાંધી શકાય નહીં અને લેખિકા કે કવયિત્રી નહીં પણ લેખક અને કવિ શબ્દો જ પ્રયોજવા જોઈએ. આપણાં પોતીકાં વર્ષા અડાલજાએ પણ આ ચર્ચામાં પોતાનો મત મૂક્યો હતો. રઘુવીર ચૌધરીએ નવોદિત લેખકો, સિતાંશુ યશશ્ચંદ્રે સ્વતંત્રતા ચળવળમાં પુસ્તકોનું પ્રદાન અને કાનજી પટેલે આદિવાસી સાહિત્ય અંગેના કાર્યક્રમમાં અધ્યક્ષતા કરી હતી. વિનોદ જોષીએ કાવ્યપઠન કર્યું હતું.

ફૅસ્ટિવલ દરમિયાન, જ્ઞાનપીઠ પુરસ્કૃત કોંકણી ભાષાના લેખક અને મારા જૂના મિત્ર દામોદર માઉઝોને મળવાનું બન્યું. ઘણા જૂના મિત્રો કોવિડ પછીના કાળમાં પ્રથમ વાર મળ્યાં તો સાહિત્ય અકાદમી પુરસ્કૃત હિન્દી કવિ અનામિકા, ઓડિયાકવિ પ્રવાસિની મહાકુડ, અનુવાદક કલ્યાણ રમણ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચર્ચિત તમિળ લેખક સલમા જેવાં નવા મિત્રો પણ બન્યાં. શિમલા ખાતે યોજાયેલો આ અભૂતપૂર્વ ઇન્ટરનેશનલ લિટરેચર ફૅસ્ટિવલ આવનારા ઘણા સમય સુધી સાહિત્ય જગતમાં ચર્ચાતો રહેશે.

E-mail : mehul.41@gmail.com 
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2022; પૃ. 08

Loading

22 July 2022 Vipool Kalyani
← ઢળતી સાંજે સૂર્યએ મને પૂછેલો પ્રશ્ન …  ઉત્તર મળ્યો મને મધરાતે …
કવિશ્રી વિનોદ જોશીના ગીત “બહુ એકલવાયું લાગે ….” — આસ્વાદ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved