Opinion Magazine
Number of visits: 9448326
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે ત્યાં પ્રગલ્ભ નાગરિકો સામેનો મોટો પડકાર

રમેશ ઓઝા|Opinion - Opinion|23 June 2022

આને કહેવાય પ્રગલ્ભ નાગરિક. ફ્રાંસમાં રાષ્ટ્રપતિપદ માટે યોજાયેલી ચૂંટણીમાં લોકતંત્રમાં નિષ્ઠા ધરાવતા ઉદારમતવાદી મતદાતાઓએ ફાસીવાદી વિચારધારા ધરાવનારાં સર્વેસર્વા મેરી દ પેનને સત્તા સુધી પહોંચતા અટકાવવા માટે સંગઠિતપણે અને વ્યૂહાત્મક ધોરણે મતદાન કર્યું હતું અને ઇમેન્યુઅલ મેક્રોનને ફરી વાર ચૂંટી આપ્યા, એ ઘટનાને હજુ બે મહિના પણ નથી થયા, ત્યાં ફ્રાંસના એ જ પ્રગલ્ભ મતદાતાઓએ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને સજા કરીને મજા પણ ચખાડી દીધી છે. ફ્રાંસમાં પ્રમુખપદની અને ત્યાંની લોકસભા(નેશનલ એસેમ્બલી)ની એમ બન્ને ચૂંટણી દેશના નાગરિકો મતદાન કરીને કરે છે. ફ્રાંસમાં પ્રમુખને ઘણી સત્તા છે, પણ એ સત્તા સાવ અબાધિત પણ નથી, તેમણે ત્યાંની લોકસભા પાસેથી કેટલીક મહત્ત્વની બાબતે મંજૂરી લેવી પડે છે.

૨૦૦૨ પછી મેક્રોન ફ્રાંસના પહેલા પ્રમુખ છે જેને મતદાતાઓએ બીજી મુદ્દત માટે ચૂંટી આપ્યા હતા. ૨૦૦૨ની સાલમાં જેક્સ ચિરાક બીજી મુદ્દત માટે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. નેશનલ એસેમ્બલીની કુલ ૫૭૭ બેઠકોમાંથી મેક્રોનના પક્ષને અને મોરચાને ૨૪૫ બેઠકો મળી છે. સાદી બહુમતીથી ૪૪ બેઠકો ઓછી મળી છે. ફ્રાંસના ડાબેરી મોરચાને ૧૩૧ બેઠકો મળી છે અને મેરી દ પેનના નેશનલ રેલી નામના પક્ષને ૯૦ બેઠકો મળી છે. ખાસ નોંધવા લાયક અને ચિંતાજનક બાબત એ છે કે પાછલી લોકસભામાં મેરીના પક્ષની માત્ર દસ બેઠકો હતી જે વધીને ૯૦ થઈ છે. દસ ગણો વધારો.

જગત આખામાં જમણેરી પ્રતિક્રિયાવાદી ઝનૂની લોકોની સંખ્યા વધી રહી છે. મુસ્લિમવિરોધ મુખ્ય પ્રેરકબળ છે, પણ ઝનૂની લોકો એ સમજતા નથી કે મુસ્લિમોને જગ્યા બતાવવી હોય તો કાયદાના રાજનો ત્યાગ કરવો પડે અને સરવાળે એ બહુમતી કોમને જ નુકસાન પહોંચાડે એમ છે. એકંદરે આ બહુમતી પ્રજા માટે ખોટનો સોદો છે. પણ જે ઝનૂની છે એને સમજાવવા મુશ્કેલ છે, કારણ કે તેમનામાં સમજશક્તિ નથી એટલે તો ઝનૂની છે. જ્યાં સમજ જ ન હોય ત્યાં સમજાવવા કેવી રીતે? માટે ઉપાય એક જ છે કે સમજદાર નાગરિકો લોકતાંત્રિક સેક્યુલર ફ્રાંસને બચાવવાનું બીડું ઝડપે અને લોકતંત્રમાં મત એક સાધન છે. જો એ સાધનનો ગણતરીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો દેશને ફાસિસ્ટોથી બચાવી શકાય. ૨૫મી એપ્રિલે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં સમજદાર નાગરિકોએ ગણતરીપૂર્વક મતદાન કરીને દેશને બચાવી લીધો હતો.

પણ એનો અર્થ એવો પણ નથી કે લોકતંત્ર અને સેક્યુલર શાસક સત્તામાં આવ્યા પછી હંમેશાં મર્યાદામાં રહેશે. આખા જગતનો અનુભવ એવો છે કે શાસકો છકી જતા હોય છે અને તેમને સખણા રાખવા પડતા હોય છે. આને માટે લોકતાંત્રિક સંતુલન જરૂરી છે. એપ્રિલ મહિનામાં જે પ્રગલ્ભ નાગરિકોએ મેક્રોનનો હાથ પકડ્યો હતો એ જ પ્રગલ્ભ નાગરિકોએ લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષોને બેઠકો આપીને હાથ બાંધી પણ લીધા છે. મેક્રોને હવે ડાબેરી પક્ષોની મદદ લેવી પડશે અને એમાં ફ્રાંસનું કલ્યાણ છે.

સત્તા સ્વભાવત: નશો પેદા કરે છે અને જો શાસકમાં વિવેક ઓછો પડતો હોય તો શાસક મર્યાદા ઓળંગવા લાગે છે. એમાં જો શાસક બહુમતી રાષ્ટ્રવાદી અર્થાત્ ફાસીવાદી હોય તો બંધારણીય લોકતાંત્રિક દેશનું આવી બન્યું સમજો. માટે ફ્રાંસના પ્રગલ્ભ મતદાતાઓએ પેન માટે દરવાજા બંધ કરી આપ્યા અને બે મહિનામાં મેક્રોનના હાથ બંધી આપ્યા.

આપણે જો લોકતંત્ર અને કાયદાનું રાજ બચાવવા માગતા હોઈએ તો ફ્રાંસના મતદાતાઓ પાસેથી ધડો લેવો જોઈએ. ઝનૂની ભક્તો સાથે માથાફોડી કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે તેમનો મુસ્લિમદ્વેષ એટલો તીવ્ર છે કે જો મુસલમાનનું બુરું થતું હોય તો તે પોતાનાં સંતાનોનું ભવિષ્ય રોળી નાખવા તૈયાર છે. તેમને બિચારાઓને શક્તિ (શક્તિ હંમેશાં સાચી જ હોય) અને માથાભારેપણાં વચ્ચેનો ફરક જ સમજાતો નથી. શક્તિ એકલવીર પેદા કરે અને માથાભારેપણું ટોળાં પેદા કરે અને ટોળાંમાં વિવેક નથી હોતો એ તો સનાતન સત્ય છે. માટે આપણે ત્યાં પ્રગલ્ભ નાગરિકો સામેનો પડકાર મોટો છે.

પહેલી જરૂરિયાત છે બહુપક્ષીય લોકતંત્ર અને સમવાય ભારતને બચાવવાની. લોકતંત્રમાં વિરોધ પક્ષો હોવા જરૂરી છે વિરોધ પક્ષોને સમાન રાજકીય જગ્યા (ઇક્વલ પોલિટીકલ સ્પેસ) મળવી જોઈએ. બી.જે.પી.ના નેતાઓ પૈસાના જોરે અને ડરાવીને પક્ષાંતર કરાવીને વિરોધ પક્ષોને કમજોર કરી રહ્યા છે. બીજું તેઓ એક પછી એક રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકારોને તોડી રહ્યા છે. કર્ણાટક અને મધ્ય પ્રદેશ પછી હવે મહારાષ્ટ્રનો વારો છે. રાજસ્થાનની સરકારને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. દેશમાં મતદાતાઓ સમક્ષ રાજકીય વિકલ્પ ન રહેવો જોઈએ. દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં બી.જે.પી.ને પ્રવેશ ન મળે તો પણ વાંધો નહીં. જ્યાં ઝનૂની હિંદુઓની સંખ્યા વધુ છે અને જેમાં લોકસભાની અંદાજે ૪૦૦ જેટલી બેઠકો છે ત્યાં વિરોધ પક્ષોને લકવાગ્રસ્ત કરી નાખવાના. વિરોધ પક્ષોના વિધાનસભ્યોને બને ત્યાં સુધી ખરીદીને વાડામાં પૂરો અને નહીં તો ડરાવીને વાડામાં લઈ આવવાના.

દેશનું લોકતંત્ર જ્યારે ખતરામાં છે ત્યારે ફ્રાંસની જેમ નાગરિકોએ સજ્જ થવું પડશે. જો કાયદાનું રાજ બચાવવું હશે તો સંતુલિત લોકતંત્ર અનિવાર્ય છે અને કાયદાના રાજમાં જ પ્રજાની સલામતી છે, પછી તમે લઘુમતીમાં હો કે બહુમતીમાં. જગતના જે જે દેશોમાં એકપક્ષીય રાજ છે એ દેશોની હાલત તપાસી જુઓ. ત્યાંની બહુમતી કોમની હાલત તપાસી જુઓ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2022

Loading

23 June 2022 admin
← ઉખાણું
વાઘ જો બકરી બને તો બકરી પણ વાઘ બનવા મથે જ ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved