Opinion Magazine
Number of visits: 9446519
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આત્મવંચના નહીં રાષ્ટૃવંચના કરતા શાસકો

રમેશ ઓઝા|Opinion - Opinion|12 June 2022

અરુણ શૌરી જ્યારે નરેન્દ્ર મોદીના મોટા સમર્થક હતા ત્યારે તેમણે, ૨૦૧૩ની સાલમાં, ભારતની ચીન વિશેની નીતિ ઉપર એક પુસ્તક લખ્યું હતું જેનું શીર્ષક હતું ; ‘સેલ્ફ-ડીસેપ્શન : ઇન્ડિયાઝ ચાઈના પોલિસી.’ એ પુસ્તકના મુખપૃષ્ટ ઉપર તેમણે તે સમયના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને ચીનના પ્રમુખ હુ જિન્તાઓને ઝૂકીને અભિવાદન કરતા બતાવ્યા છે. પુસ્તકનું શીર્ષક. ‘સેલ્ફ-ડીસેપ્શન’ તો બોલકું છે જ પણ મુખપૃષ્ટ પરની તસ્વીર વધારે બોલકી છે. તેમણે પોતે ‘મંથન’ નામના થીંક-ટેંક પ્લેટફોર્મ પરથી બોલતા કહ્યું હતું કે તેમણે મનમોહન સિંહની ચીનના નેતાને ઝૂકીને અભિવાદન કરતી તસ્વીર ચાહી કરીને મૂકી હતી કે જેથી વાચકને ખબર પડે કે ભારતના શાસકો (કાઁગ્રેસ વાંચો) કેટલા બુઝદિલ છે. લળીલળીને ચીનના નેતાઓના ઓવારણા લેવામાં આવે છે અને ચીનના નેતા જુઓ, એક સેન્ટીમીટર પણ ઝુકતા નથી. તેમનું કહેવાનું એમ હતું કે દેશને એવા નેતાની જરૂર છે જે ચીનના નેતાઓ સામે ટટ્ટાર ઊભા રહે અને આંખમાં આંખ મેળવીને વાત કરી શકે. માટે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીએ ત્યારે એવો દાવો પણ કર્યો હતો.

એ સમયે ચારેકોરથી ડૉ. મનમોહન સિંહ ઉપર બાણવર્ષા થતી હતી. દેશને સિંહની જરૂર છે ત્યારે સસલું શાસન કરે એ કેમ ચલાવી લેવાય! દેશને મોટાં સપનાં જોઈ શકનારા અને બુલંદ ઈરાદો ધરાવનારા, કૃતનિશ્ચયી સ્વચ્છતાની મૂર્તિ સમાન નેતાની જરૂર છે ત્યારે ડૉ. મનમોહન સિંહ નામના શિયાળવાને કેમ ચલાવી લેવાય જે પડકારો ઝીલી શકતા નથી! ઔર તો ઔર જેની રાજકીય સમજ ગામડાના સરપંચ જેટલી પણ નથી અને સવારે પૂર્વ દિશામાં જાય અને સાંજે પશ્ચિમ દિશામાંથી નીકળે એ અણ્ણા હજારેએ ડૉ. મનમોહન સિંહ જેવા આંતરરાષ્ટ્રીય કીર્તિ ધરાવનારા અર્થશાસ્ત્રી ઉપર બાણવર્ષા કરી હતી. ત્યારે ડૉ. મનમોહન સિંહે માત્ર એટલું જ કહ્યું હતું કે મને ભરોસો છે કે સમય મને ન્યાય આપશે.

અરુણ શૌરીના પુસ્તક ઉપરનું કવર ડૉ. મનમોહન સિંહને અન્યાય કરનારું છે, કારણ કે ડૉ. મનમોહન સિંહે ચીનના ડરથી દલાઈ લામાને મળવાનું ટાળ્યું નથી. ખરું પૂછો તો ભારતનો ૨૦૧૪ સુધીનો એક પણ વડા પ્રધાન એવો નથી જેણે ચીનના ડરથી દલાઈ લામાને મુલાકાત ન આપી હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા અને એક માત્ર વડા પ્રધાન છે જે ચીનના ડરથી દલાઈ લામાને મળતા નથી. દલાઈ લામાને આઠ વરસમાં એક પણ મુલાકાત આપી નથી. દલાઈ લામા માત્ર તિબેટી નેતા નથી, આખા જગતમાં આદરણીય પુરુષ છે.

ખેર, અરુણ શૌરીનાં ચીન વિશેના પુસ્તક ઉપરની તસ્વીર ડૉ. મનમોહન સિંહને અન્યાય કરનારી છે એમાં ના નહીં, પણ શીર્ષક સાચું છે અને અત્યારના શાસકો માટે તે વધારે સાચું છે. સેલ્ફ-ડીસેપ્શનનો અર્થ થાય છે, આત્મવંચના. પોતાની જાતને છેતરવી અથવા ખોટા ભ્રમમાં રહેવું. જવાહરલાલ નેહરુ ચીન વિષે ખોટા ભ્રમમાં રહ્યા હતા અને ચીન ઉપર ભરોસો કરવાની ભૂલ કરી હતી એ એક હકીકત છે. પણ અત્યારના શાસકો તો તેમનાથી એક ડગલું આગળ ગયા છે. તેઓ માત્ર આત્મવંચના નથી કરતા, રાષ્ટ્રવંચના પણ કરે છે. નહીં બોલીને, આંખ આડા કાન કરીને, મોઢું ફેરવી લઈને પ્રજાને પણ ભ્રમમાં રાખે છે કે ચીનની સરહદે બધું સમુસૂતરું છે, જ્યારે કે સ્થિતિ બિલકુલ ઊલટી છે.

ચીનની સરહદે શું ચાલી રહ્યું છે એના સમાચાર આપણને અમેરિકા આપે, યુરોપિયન યુનિયન આપે, સેટેલાઈટ તસ્વીરો આપે, ‘ઈકોનોમિસ્ટ’ અને એવાં બીજાં જાગતિક પ્રતિષ્ઠા ધરાવનારાં સામયિકો આપે, બી.બી.સી. અને અલ ઝઝીરા જેવી પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલો આપે, વિશ્વની પ્રતિષ્ઠિત થીંક-ટેન્કો આપે, સ્વતંત્ર રાજકીય નિરીક્ષકો આપે અને આપણા શાસકો? આપણા શાસકો મૂંગા રહે અને રાફેલ વિમાનને કોઈની નજર ન લાગે એ માટે તેના પૈડાંને લીંબુ-મરચાં બાંધે. વાહરે, ચીન વિશેની નીતિ. અરુણ શૌરી અત્યારે મરવા જેવી લાજ અનુભવી રહ્યા છે એનું કારણ આ છે.

બુધવારે અમેરિકન લશ્કરના કમાન્ડીંગ જનરલ ચાર્લ્સ એ. ફ્લીને દિલ્હીમાં (આય રિપીટ દિલ્હીમાં) કહ્યું છે ચીન ભારતની સરહદે લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે એ જોતા સરહદે સ્થિતિ ચિંતાજનક છે. આવું અમેરિકાએ પહેલીવાર નથી કહ્યું. સૌથી પહેલાં આપણા વડા પ્રધાનના નાદાન અમેરિકન મિત્ર અને એ સમયના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીને ભારતની ભૂમિ ઉપર કબજો જમાવ્યો છે અને તેને કારણે મારા મિત્ર નરેન્દ્ર મોદી હતપ્રભ અને દુઃખી છે. દોસ્ત હો તો ઐસા. એ પછી વખતોવખત અમેરિકા ચીનની લશ્કરી તૈયારીઓ વિષે નિવેદન કરતું રહ્યું છે અને ભારતને ચેતવણી આપતું રહ્યું છે. વચ્ચે અહેવાલ આવ્યા હતા કે ચીનની સરહદે પહેલા આઠ હજાર ચીની સૈનિકો હતા જે હવે પચાસ હજાર છે. આ વખતે પહેલી પંક્તિના લશ્કરી અધિકારીએ દિલ્હીમાં આવીને કહ્યું એ ઓછી ગંભીર તાકીદ નથી. પણ ભારતના શાસકો ચૂપ છે. મોઢું ખોલે એ બીજા. અમંગળ વાસ્તવિકતાઓ જોવાની જ નહીં ને!

હજુ હમણાં પખવાડિયા પહેલાં યુરોપિયન સંઘના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત રશિયાની યુક્રેન ઉપરની ચડાઈની બાબતે ચૂપ એટલા માટે છે કે તેને ચીનનો ડર છે. રશિયા રશિયન રાષ્ટ્રવાદથી પ્રેરાઈને જેમ યુક્રેન ઉપર દાવો કરે છે એમ ચીન પણ ભારતના કબજા હેઠળની ભૂમિ ઉપર દાવો કરી રહ્યું છે. રશિયાની જેમ ચીન જો એ ભૂમિ કબજે કરવા આક્રમણ કરે તો રશિયા ભારતને મદદ કરશે એવી ભારતની અપેક્ષા છે. ચીન ભારત સાથેની સરહદે જે રીતે લશ્કરી તૈયારીઓ કરી રહ્યું છે એ જોતાં આવી શક્યતા ઘણી મોટી છે. ટૂંકમાં ચારે તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ચીન લશ્કરી જમાવટ કરી રહ્યું છે અને ભારત સામે ખતરો છે. રાહુલ ગાંધીએ પણ આમ કહ્યું હતું ત્યારે ગોદી મીડિયાએ અને બી.જે.પી.ના સાયબર સેલે તેમને ચીનના પ્રવક્તા તરીકે ઓળખાવ્યા હતા.

પણ ભારતના શાસકો ચીનની દિશામાં નજર સુદ્ધાં કરતા નથી. આ આત્મવંચના નથી રાષ્ટ્રવંચના છે. ડૉ. મનમોહન સિંહ ઝુકીને અભિવાદન કરતા હતા એ તેમની ખાનદાની હતી. અદના માણસને પણ ડૉ. મનમોહન સિંહ આદર આપે છે અને પૂરા આદર સાથે ગંભીરતાપૂર્વક તેની વાત સાંભળે છે એમ નોબેલ પુરસ્કૃત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને તેમનાં સંસ્મરણો વાગોળતા કહ્યું છે. એમાં આત્મવંચના નહોતી અને રાષ્ટ્રવંચના તો જરા ય નહોતી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જૂન 2022 

Loading

12 June 2022 admin
← ચલ મન મુંબઈ નગરી—149
કમ સે કમ સુરતને કોમી આગમાં ના ઝોંકશો … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved