Opinion Magazine
Number of visits: 9450689
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દરવાજા મોકળા અને ખાળે ડૂચા

અનિલ જોશી|Opinion - Opinion|21 November 2021

આજે સવારે એક મિત્રએ ફોન કરીને મને પૂછ્યું : કિસાન કાયદા રદ્દ થયા એ વિષે તમારો શું પ્રતિભાવ છે ? થોડીવાર અટકીને મેં કીધું : આપણા બાપદાદાઓ કહેવતો રૂપે પ્રતિભાવ આપી ગયા છે. ગુજરાતીમાં એક કહેવત છે : "વાર્યા ન વળે, પણ હાર્યા વળે”. એક કહેવત હિન્દીમાં પણ છે : "બુંદસે ગઈ વો હોજ સે નહીં આતી”.

આજે મારો ઈરાદો "ડ્રગ્સ" વિષે, આપ સહુ દોસ્તો સાથે, પચાસ ગ્રામ જેટલી વાતો કરવાનો છે. અમેરિકામાં ડ્રગના બંધાણીઓ માટે સરકાર રિહેબિટેશન સેન્ટરો ચલાવે છે. થોડાં વર્ષ પહેલાં મેં ફિલાડેલફિયામાં ચાલતા એક મોટા સેન્ટરમાં સૂચી વ્યાસ સાથે અર્ધો દિવસ વિતાવ્યો હતો. કવિતાઓ વાંચી હતી, સારી પ્રેરણાત્મક વાતો કરી હતી, એ સમયની અહીં તસ્વીર મૂકી છે. મારા શ્રોતાઓમાં ડ્રગ માફિયાઓ અને મોટા ક્રિમિનલો હતા. આ સેન્ટરનો એક માત્ર ઉદ્દેશ એટલો જ છે કે ડ્રગ માફિયાઓ સાથે પ્રેમપૂર્વક સંવાદ થાય તો ક્રિમિનલો બદલી શકે છે. અહીં શહેર કે ગામનાં નામ બદલવાની મૂર્ખતા નથી, પણ માણસ બદલવાની પ્રક્રિયા છે. મુદ્દો અહીં મનુષ્ય ગૌરવનો છે. અર્ધો દિવસ હું ડ્રગ માફિયા સાથે રહ્યો. વિદાય લીધી ત્યારે સહુ ઈમોશનલ થઇ ગયા. આપણે ત્યાં પણ જેલોમાં જઈને ક્રિમિનલો સાથે સત્સંગ કરવા અનેક મિત્રો જાય છે તે સરાહનીય છે. આ તો એક આડ વાત થઇ. મુદ્દો એ છે મનુષ્ય શા માટે ડ્રગનો બંધાણી થઇ જાય છે? કઈ લાચારી છે?

વિખ્યાત સર્જક કવિ એડગર એલન પો ખૂબ નશેડી હતા. કવિએ પોતે જ પોતાના નશા વિષે લખ્યું છે : "મને તે ઉત્તેજકોનો બિલકુલ આનંદ નથી કે જેમાં હું ક્યારેક ખૂબ જ પાગલ થઈ જાઉં છું. તે આનંદની શોધમાં નથી કે મેં જીવન અને પ્રતિષ્ઠા અને કારણને જોખમમાં મૂક્યું છે. ત્રાસદાયક યાદોમાંથી, અસહ્ય એકલતાની લાગણી અને કેટલાક વિચિત્ર તોળાઈ રહેલા વિનાશના ભયથી છટકી જવાનો તે ભયાવહ પ્રયાસ રહ્યો છે."

અહીં તમે જુઓ કે વ્યસનની શરૂઆત એવી આશા સાથે થાય છે કે જે કંઈક 'બહાર' છે તે તરત જ અંદરની ખાલીતાને ભરી શકે છે. એકદરે અંદરથી માણસ સાવ ખાલી ખાલી છે. ખાલીપાના ડબ્બામાં તમારે શું ભરવું એ તમારી વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે. કચરો પણ ભરી શકો છો અને ડ્રગના પેકેટ પણ ભરી શકો છો. આધુનિક સમાજ લોકોને હતાશ બનાવતી પરિસ્થિતિઓને દૂર કરવાને બદલે તેમને એન્ટીડિપ્રેસન્ટ દવાઓ આપે છે. વાસ્તવમાં એન્ટીડિપ્રેસન્ટ્સ એ વ્યક્તિની આંતરિક સ્થિતિને એવી રીતે સંશોધિત કરવાનું એક માધ્યમ છે કે જેથી તે સામાજિક પરિસ્થિતિઓને સહન કરી શકે, જે અન્યથા તેને અસહ્ય લાગે.ન શો અનેક પ્રકારનો હોય છે એ પછી શિવરાત્રીમાં પીવાતી ભાંગ હોય કે ચલમમાં પીવાતો ગાંજો હોય કે બારમા પીવાતો શરાબ હોય. એ સિવાય અંધભક્તિનો નશો હોય છે, સત્તાનો નશો હોય છે, માલિકીનો નશો હોય છે. આજકાલ અમારા મુંબઈમાં ડ્રગ્સ વિષે બહુ સમાચારો પ્રગટ થાય છે. એક બાજુ હજારો કરોડનું ડ્રગ્સ ગુજરાત અને બીજાં શહેરોમાંથી પકડાય છે એની કોઈ વાત કરતું નથી, અને બીજી બાજુ, પંદર વીસ ગ્રામ ડ્રગ વિષે આખા દેશમાં હો…હો… ગોકીરો થઇ રહ્યો છે. આનો જવાબ ગુજરાતી ભાષાની કહેવત આપે છે : "દરવાજા મોકળા અને ખાળે ડૂચા”.

સૌજન્ય : અનિલભાઈ જોશીની ફેઇસબૂક દિવાલેથી સાદર, 21 નવેમ્બર 2021

Loading

21 November 2021 admin
← રાજ્ય સંસ્થા દીનાનાથ બને
કૃષિ કાનૂન ન ખેંચાયા હોત, તો સરકાર ખેંચાઈ ગઈ હોત ! →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved