Opinion Magazine
Number of visits: 9448995
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અકાદમી પુનઃ પ્રાણપ્રતિષ્ઠા : ક્યારે

ચંદ્રકાન્ત ટોપીવાળા|Opinion - Opinion|15 July 2021

આજના કોરોનાના કપરા આર્થિક કાળમાં સાવર્ત્રિક તંગી વચ્ચે કોઈ સંસ્થાનો અહેવાલ સળંગ આર્ટપેપર પર છપાઈને આવે તો એ અચરજનો વિષય છે. ખેર, એમાં ય એના અધ્યક્ષશ્રીનો થયેલો મહિમા પણ અચરજ ઉપજાવે એવો છે. ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષે ચાર વર્ષની પોતાની યશસ્વી કામગીરીનો એમાં અહેવાલ આપ્યો છે. એમણે ચાર વર્ષની સિદ્ધિઓ ગણાવી ત્યાં સુધી તો વાત બરાબર છે, પરંતુ સંસ્થાને સ્વાયત્તતાના મુદ્દા પર પ્રવેશ કરાવી સાથે-સાથે સદંતર અતાર્કિક મુદ્દાઓ ઉછાળ્યા છે જે તથ્ય અને સત્યથી વેગળા છે.

અહીં એમની ચાર વર્ષની કામગીરી ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે વર્ણવતાં તેઓ ભૂલી ગયા છે કે એમણે જે કામગીરી કરી છે તે ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના ચૂંટાયેલા નહીં, પણ નિમાયેલા અધ્યક્ષ તરીકે કરી છે, જે ગેરબંધારણીય છે. અગાઉની ગુજરાત સાહિત્ય અકાદમીની બબ્બે ચૂંટણીઓ દ્વારા મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને ભોળાભાઈ પટેલ ચૂંટાઈને આવ્યા અને એમ અકાદમી આકારિત થઈ હતી, એ વાત સ્પષ્ટ કરે છે કે ચૂંટણી હોવાને કારણે ગુજરાત સાહિત્ય અકાદમીનું કોઈ બંધારણ હશે. એક તબક્કે આ બંધારણને બાજુમાં મૂકીને કે  અવગણીને કેવળ ગુજરાત સરકારશ્રી તરફથી નિમાતા મહામાત્રથી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ ચાલી ય ખરી. પછી એવું શું બન્યું કે મહામાત્રની નિમણૂકની જગ્યાની ઉપર ચૂંટાયેલા પ્રમુખ કે અધ્યક્ષને બદલે નિમાયેલા પ્રમુખ કે અધ્યક્ષને ગુજરાત સરકારશ્રી તરફથી મૂકી દેવામાં આવ્યા અને બંધારણની બાબતને ગેરકાયદેસર રીતે ગર્તામાં ધકેલી દેવામાં આવી છે.

બંધારણને બાજુએ રાખી, પ્રમુખ કે અધ્યક્ષની ચૂંટણીને ચાતરીને ગુજરાત સરકારશ્રી તરફથી પ્રમુખ કે અધ્યક્ષની નિમણૂકો થતી રહી એ કેવળ ઉમાશંકર જોશી, દર્શકના પ્રયત્નોથી ગુજરાત એકમાત્રને મળેલા ગૌરવપૂર્વકના બંધારણીય માળખાની વિરુદ્ધની નિમણૂકો છે. ગુજરાત સરકારશ્રીએ જો બંધારણ નાબૂદ કર્યું હોય તો એવી કશી જાણ પ્રજાને થઈ નથી, એટલે બંધારણને બાજુમાં રાખી અધ્યક્ષોની નિમણૂકો થતી રહી છે એ ગેરકાયદેસર છે.

‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના અધ્યક્ષશ્રીએ પત્રમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી ભવન’ રચાય એમાં ગુજરાતી સાહિત્યનો મઘમઘતો ઉદ્યાન, દેશ આખાને પ્રેરણા આપે એવી મહેચ્છા દર્શાવી છે, તો એ બાબતે સ્પષ્ટ કરવું જોઈએ કે ગુજરાત સરકારશ્રી તરફથી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ને સમસ્ત ભારતમાં એક માત્ર લોકશાહી ઢબથી ચૂંટાયેલી અકાદમી તરીકે ભૂતકાળમાં દેશ આખાને ગુજરાતે પ્રેરણા આપી હતી. આજે એને બદલે ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના લોકશાહી માળખાને સદંતર અવગણી પોતાની જ પ્રતિષ્ઠાને ગુજરાતે હાનિ પહોંચાડી છે.

‘ગુજરાત સાહિત્ય અકાદમી’નું પોતાનું બંધારણ છે એ દીવા જેવી ચોખ્ખી બાબત છે. તો જ, બબ્બેવાર ચૂંટણીઓ થઈ છે. બબ્બે વાર પ્રમુખો વરાયા છે. આ પછી ગુજરાત સરકારશ્રીએ પોતે જ પોતાની લોકશાહી પરંપરા પર કુઠારાઘાત કરી, ભારતના એકમાત્ર મઘમઘતા ઉદાહરણને નષ્ટ કરી દીધું છે.

આ બંધારણની અત્યારે શી સ્થિતિ છે, એ ગુજરાત સરકારશ્રીએ જાહેર કરવું પડે અને જો બંધારણ ચાલુ હોય તો છેલ્લી વારના બબ્બે અધ્યક્ષશ્રીની નિમણૂકો અવશ્ય ગેરકાયદેસર ઠરે છે અને તો આજના અધ્યક્ષનો મહિમા માત્ર પણ સદંતર ગેરકાયદેસર ઠરવો જોઈએ.

ગુજરાત સાહિત્યનો મઘમઘતો ઉદ્યાન, દેશ આખાને પ્રેરણા આપે એવી ઇચ્છા જો હોય, તો વહેલી તકે સમસ્ત દેશમાં અપવાદરૂપ પોતાના સ્વતંત્ર બંધારણ પર ર્નિભર ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ને મુક્ત કરવામાં આવે અને ‘ગુજરાત સાહિત્ય અકાદમી ભવન’માં લોકશાહી સ્રોત સાથે એની પુનઃપ્રાણપ્રતિષ્ઠા થવી જોઇએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 02

Loading

15 July 2021 admin
← તન અથવા મન કે તનમન બંને ?
વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગની ભલાઈ પર અને શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓની મલાઈ પર નભે છે … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved