Opinion Magazine
Number of visits: 9509746
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાઝા-ઇઝરાયલ સંઘર્ષઃ સામ્રાજ્યવાદના ઇરાદાનો ધાર્મિક સંઘર્ષને નામે ઢાંકપિછોડો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 May 2021

આ સંઘર્ષમાં ઇઝરાયલી સામ્રાજ્યવાદ, આંતકીઓ, રંગભેદ જેવા લેયર્સ છે. ઇઝરાયલ એક સ્થાપિત કોલોની છે જેનું કામ છે સામ્રાજ્યવાદના રૂપમાં સ્થાનિક વસ્તીઓને દૂર કરી સેટલર્સ – સ્થાપિત લોકોને સમાજ ખડો કરવો

એક તરફ વાઇરસે માથું ધુણવાનું હજી બંધ નથી કર્યું ત્યાં વિશ્વની ફલક પર યુદ્ધનાં બ્યૂગલ સંભળાવા લાગ્યા. ઇઝરાયલે મંગળવારની વહેલી સવારે દક્ષિણ-પશ્ચિમે આવેલી ગાઝા સ્ટ્રીપના મુખ્ય શહેર ગાઝાના વિસ્તારો પર એર સ્ટ્રાઇક કરી. ઇઝરાયલ સત્તાધીશોનો દાવો છે કે જે ઇમારતો પર હુમલો કરાયો ત્યાં આતંકીઓ રહે છે, એ હમાસ આતંકીઓ જેમની સાથે મળીને બીજા સશસ્ત્ર જૂથોએ ઇઝરાયલ પર રોકેટ્સ દ્વારા હુમલો કરાયો.

ઇઝરાયલ અને પેલેસ્ટિન વચ્ચેનો આ સંઘર્ષ નવો નથી, તે દાયકાઓથી આમ જ ચાલતું આવ્યું છે. જો કે તાજેતરમાં જે હિંસક ઘર્ષણ થયું તેના કારણે તાણની તીવ્રતા વધી ગઇ છે. રમાદાનના પવિત્ર મહિનામાં ગાઝામાં ૨૮ જણ મોતને ભેટ્યા. આ તરફ જેરુસલામમાં ઇઝરાયલી પોલીસે સ્ટન ગ્રેનેડ્ઝ, ટીયર ગેસ અને રબર બૂલેટ્સથી પવિત્ર મુસ્લિમ સ્થળ પર હુમલો કર્યો જેમાં ૩૦૦ પેલેસ્ટિનિયન્સને ઇજા થઇ. આ તાણ ઓછી હતી ત્યાં તો ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેત્યાનયાહુએ એવો હુંકાર કર્યો કે આવા હુમલાની તીવ્રતા વધારાશે. ઇઝરાયલીઓ અને હમાસ વચ્ચે સમયાંતરે ત્રણ યુદ્ધો થયા છે અને લડાઇ તો થતી આવી છે.

અહીં મુદ્દો જમીનનો છે, કે ધર્મનો કે પછી કંઇ બીજું? આ લખાઇ રહ્યું છે ત્યારે પણ ઇઝરાયલ ગાઝાનો સંઘર્ષ ચાલુ છે. રાજકીય શતરંજ પેચીદી અને સ્વાર્થી હોય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આ અઢી દાયકાથી ચાલી રહેલી ખેંચતાણ છે. સત્તાની સાઠમારીમાં સામાન્ય માણસના જીવ જાય છે. અહીં ન તો જમીનની માલિકીનો મુદ્દો છે, ન ધર્મનો. પેલેસ્ટિનિયન ક્રિશ્ચન્સ છે તો પેલેસ્ટિનિયન યહૂદીઓ પણ છે અને બંન્નેનું દમન ઇઝરાયલ કરી રહ્યું છે. આ સંઘર્ષમાં ઇઝરાયલી સામ્રાજ્યવાદ, આંતકીઓ, રંગભેદ જેવા લેયર્સ છે. ઇઝરાયલ એક સ્થાપિત કોલોની છે જેનું કામ છે સામ્રાજ્યવાદના રૂપમાં સ્થાનિક વસ્તીઓને દૂર કરી સેટલર્સ – સ્થાપિત લોકોને સમાજ ખડો કરવો. તેઓ પેલેસ્ટાઇન સાથે જે કરે છે તેમાં યુ.એસ.એ., ઑસ્ટ્રેલિયા, કેનેડા જેવા સ્થાપિત સામ્રાજ્યોનો તેમને ટેકો છે તો જે પહેલાં કોલોનાઇઝેશન – સામ્રાજ્યવાદી સત્તા હતા તેવા યુ.કે., ફ્રાંસ, બેલ્જિયમ જેવા રાષ્ટ્રો પણ તેમની પડખે છે. જો તેઓ ઇઝરાયલને પેલેસ્ટાઇન પર દમન કરતાં રોકે તો તેમણે ઇતિહાસમાં જે કર્યું છે તેના જવાબ આપવા પડે. ધાર્મિક સંઘર્ષનું નામ આપી ભૂતકાળમાં પેલેસ્ટાઇન પર થયેલા આતંકનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે તો સાથે પેલેસ્ટિનિયન્સની સ્વતંત્રતા તથા તેમને મળવા જોઇતા ન્યાય પર પણ છીબું મૂકી દેવાની દાનત પણ તેમાં રહેલી છે.

કોઇ પણ ભડકા પાછળ જેમ તણખો હોય તેમ આ ઘટના પાછળનું તાત્કાલિક કારણ હતું કે ઇઝરાયલી સત્તાધીશોએ રમાદાનની રાતની બંદગી માટે દમાસ્કસ ગેટ પાસે પેલેસ્ટિયન્સને ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો. ઇઝરાયલીઓનો ઇરાદો હતો કે પૂર્વ જેરુસલેમમાં વસેલા પેલેસ્ટિયન્સના ઘરો ખાલી કરાવવા અને એ જગ્યા યહૂદીઓને આપવી. ઇઝરાયલી કાયદા અનુસાર જો કોઇ યહૂદી પોતાનું ટાઇટલ ૧૯૪૮ના યુદ્ધ પહેલાથી હતું તે સાબિત કરે તો તે શહેરમાં પોતાની મિલકત પર પાછો દાવો કરી શકે. હવે જે પેલેસ્ટિયન્સને ઘર ગુમાવ્યાં છે તેમને માટે આવો કોઇ કાયદો નથી. યુનાઇટેડ નેશન્સમાં નાગરિક અધિકારના જાળવણી કરનારાઓને મતે બળજબરીથી ઘરો કે આખે આખી વસ્તીઓ ખાલી કરાવવાની દાનત – પહેલનાં પગલાંની સરખામણી વૉર ક્રાઇમ સાથે થાય. આ બધી હિંસાની સમાંતર રાજકીય કટોકટીના સંજોગો તો ચાલુ જ છે. નેતનયાહુ પોતાનું ઇન્દ્રાસન સાચવવામાં વ્યસ્ત છે જેમાં તેમના શત્રુઓ સાથે ગઠબંધનની વાત ચાલે છે તો ભ્રષ્ટાચારના આરોપાની ટ્રાયલ પણ થઇ રહી છે. આ તરફ પેલેસ્ટાઇનના પ્રમુખ મોહંમદ અબ્બાસે ચૂંટણીઓ અનિશ્ચિત મુદ્દત માટે પાછી ઠેલી દીધી છે.

ઇઝરાયલીઓ આખા જેરૂસલેમને પોતાની રાજધાની માને છે, આ વાત આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ માનતું નથી. પેલેસ્ટિનિયન્સને પૂર્વ જેરૂસલેમ ભાવિ રાજ્યની રાજધાની તરીકે જોઇએ છે જેને ૧૯૬૭માં ઇઝરાયલે કબ્જે કર્યું હતું. ૨૫ વર્ષથી શાંતિ માટેની વાટાઘાટો તો ચાલતી આવી છે પણ આ સંઘર્ષનો કોઇ છેડો હજી કોઇને ય જોવા નથી મળ્યો. પેલેસ્ટાનિયન રેફ્યુજીઝનું શું કરવું અને વેસ્ટ બેંકમાં ગોઠવાઇ ગયેલા યહૂદીઓને ત્યાં રહેવા દેવા કે ખસેડવા, આ બન્ને મોટા પડકાર છે. વળી જેરૂસલેમ બન્નેએ વહેંચી લેવું કે પછી જે બળૂકું હોય તે પોતાના તાબામાં રાખશેનો પ્રશ્ન પણ છે. જે ઇઝરાયલ અમેરિકાના દોરી સંચાર પર કામ કરનાર રાષ્ટ્ર છે તેની સમાંતર પેલેસ્ટિનિયન રાષ્ટ્ર ખડું થાય તો પણ કોકડું ગુંચવાય. ગાઝાના લોકો જાતભાતના પ્રતિબંધોની વચ્ચે હાલાકી ભર્યું જીવન જીવી રહ્યા છે.

ગાઝા પટ્ટીની પીડા અને આ ભડકા નવા નથી. અહીંના રહેવાસીઓ પાસે ન તો રોજગાર છે, ન તો વીજળી છે કે ન પીવાનું ચોખ્ખું પાણી છે. અહીં માથે એવી સરકાર છે જેને બધું નિયંત્રિત રાખવું છે, બધું તાબામાં રાખવું છે પણ કોઇ પ્રકારની સુરક્ષા નથી પૂરી પાડવી. ઇઝરાયલી સરકાર હોય કે પેલેસ્ટાઇનના આતંકીઓ હોય અહીં અગત્યનું છે કે નાગરિકોની જિંદગીઓને કોઇ આધાર, કોઇ સલામતી તો મળે.

બાય ધી વેઃ 

ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયન્સ કહે છે કે ઇઝરાયલીઓને કારણે પોતાને વેઠવું પડે છે તો ઇઝરાયલીઓ પોતે જે કરે છે તે પેલસ્ટિયનિયન્સની હિંસાના જવાબમાં કરે છે તેમ કહે છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ બેઠા હતા ત્યાં સુધી તેમણે નેતનયાહુને કંઇકને કંઇ મૂર્ખામી આચરવા સળી કર્યા કરી. ઇઝરાયલનું અસ્તિત્વ જ એટલા માટે છે કે યુ.એસ.એ. ચાહે ત્યારે આરબ દેશોમાં કાંકરી ચાળો કરાવવા માગે તો ઇઝરાયલને ખો દઈ દે. વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસમાં હવે એવી સરકાર છે જે ઇઝરાયલ – પેલેસ્ટાઇનના મુદ્દાઓ પર ગંભીરતાથી કંઇ પગલું ભરી શકે. આતંકી હુમલાઓની ટીકા કરવાનું તેમનું પગલું સાચું છે પણ ઇઝરાયલી સત્તાધીશોએ જે કર્યું તે માટે તેમના કાન આમળવામાં આવે તે પણ જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  16 મે 2021 

Loading

16 May 2021 admin
← દલા તરવાડીની વાડી
ભાગવતનું ભેંશ આગળ ભાગવત … →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved