Opinion Magazine
Number of visits: 9449012
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૈશ્વિક મહામારીના સમયમાં શિક્ષણ : ડિગ્રી મહત્ત્વની કે જીવન?

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|29 July 2020

કોરોના મહામારીના સમયમાં શાળાકૉલેજો ખોલવી જોઈએ કે કેમ તે બાબતે અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. અનેક ખાનગી શાળાઓ ઑનલાઇન શિક્ષણનાં નામે નિયમિત હોય તેના કરતાં પણ વધુ ફી વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી ઉઘરાવી રહી છે. તો બીજી બાજુ UGCની નવી ગાઇડલાઇન પણ સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો આદેશ આપે છે. જો કે જ્યારે પરીક્ષા લેવાનો આદેશ અપાઈ રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાના કેસ 11 લાખ સુધી પહોંચવાની તૈયારીમાં છે. તો મૃત્યુનો આંકડો 26 હજાર કરતાં પણ વધુ છે. દેશમાં રોજ સરેરાશ 35 હજાર સંક્રમણના કેસ અને 500 મૃત્યુ નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં પણ આ જ પરિસ્થિતિ છે. ટ્રમ્પ સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે જે શાળાઓ શરૂ કરવામાં નહીં આવે તેમની ગ્રાન્ટ કાપી લેવામાં આવશે. (એ જુદી વાત છે કે તેમનો પુત્ર જે શાળામાં ભણે છે ત્યાંના સંચાલકોએ જ શાળા શરૂ કરવાની ના પાડી દીધી છે.)

આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના અતિ વિકાસની વચ્ચે જીવી રહ્યા છે. તેમ છતાં અનેક વાર માનવસભ્યતા સામે અનેક પડકારો આવતા રહે છે. હાલમાં જ્યારે આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે વિશ્વએ અગાઉ મહામારી અને અન્ય કટોકટીનો સામનો કેવી રીતે કર્યો હતો, તે પણ જાણવું જોઇએ.

વિશ્વની મહાસત્તા ગણાતો દેશ અમેરિકા આજે કોરોના સંક્રમણ અને કોરોનાથી મૃત્યુમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે. 2009માં જ્યારે A/h1n1નું સંક્રમણ અમેરિકામાં ફેલાયું હતું, ત્યારે એ સમયે પણ અમેરિકામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ વાઇરસની મહત્તમ અસર હતી ત્યારે મે, 2009માં અમેરિકાની 726 જેટલી શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી, જેથી આ સંક્રમણ વધુ ફેલાય નહીં.

સ્પેનિશ ફ્લૂનો આતંક

1918 અને 1919 દરમિયાન સમગ્ર વિશ્વ સ્પેનિશ ફ્લૂનું સાક્ષી બન્યું હતું. એ સમયે સમગ્ર વિશ્વમાં 5 કરોડ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. અમેરિકામાં એ સમયે આશરે 6 લાખ 75 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. એક તરફ પ્રથમ વિશ્વયુદ્ધની તારાજી અને બીજી તરફ આ મહામારીનો ભરડો. એ સમયે પણ અમેરિકામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ સરેરાશ લગભગ છ મહિના સુધી બંધ રાખવામાં આવી હતી. નવેમ્બર 1918ના મધ્યમાં ઉતાવળે શાળાઓ ખોલવામા આવી અને વિદ્યાર્થીઓ શાળામાં પરત ફર્યા ત્યારે એ જ મહિનાના અંતમાં સ્પેનિશ ફ્લૂનું સંક્રમણ વધી જતા ફરીથી શાળાઓ બંધ કરવી પડી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધમાં રોકાયેલા સૈનિકો થકી સ્પેનિશ ફ્લૂનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાયું હતું. ભારતમાં પણ મે, 1918માં સૈનિકોને લઈને  ઇરાનથી એક જહાજ મુંબઈ આવ્યું, ત્યારે આપણા દેશમાં પણ સ્પેનિશ ફ્લૂનો ફેલાવો શરૂ થયો. જૂન મહિના સુધીમાં તો તેનું સંક્રમણ દિલ્હી, મેરઠ અને સિમલા સુધી પહોંચી ગયું હતું. એ સમયે જ્યાં પણ સ્પેનિશ ફ્લૂના સંક્રમણના કેસો મળી આવ્યા ત્યાં અને ખાસ કરીને મુંબઈમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી.

અન્ય આફતો

1957માં એશિયન ફ્લૂથી ઓળખાતા h2n2 વાઇરસનું સંક્રમણ અને તેનાથી સર્જાયેલી તારાજી વિશ્વએ જોઈ હતી. સંક્રમણને અટકાવવા ત્યારે પણ આપણા દેશ સહિત અનેક દેશોમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી. સતત બૉમ્બમારાના કારણે આ યુદ્ધ દરમિયાન અનેક શાળાઓ કોલેજો પણ પડી ભાંગી હતી. સમગ્ર વિશ્વની મહત્તમ ભાષામાં જેનો અનુવાદ થયો છે તે 'તોત્તો ચાન'માં આવતી જાપાનની શાળા પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન બૉમ્બમારાથી નાશ પામી હતી. માત્ર વિશ્વયુદ્ધ નહીં, 1929ની મહામંદી દરમિયાન પણ શાળાઓ બંધ રહી હતી. અમેરિકામાં આ મહામંદી દરમિયાન લગભગ 10 મિલિયન બાળકોને ભણાવતી 20,000 જેટલી શાળાઓ એ સમયે બંધ રાખવામાં આવી હતી.

કોરોના વાઈરસના ઉદ્ભવસ્થાન તરીકે આપણે ચીનના વુહાન શહેરને ગણી રહ્યા છીએ. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના સંક્રમણના કેસો રોજે રોજ લાખોની સંખ્યામાં વધી રહ્યા છે, ત્યારે ચીન કોરોનાના સંક્રમણ પર નિયંત્રણ મેળવી ચૂક્યું છે. કોરોના વાઇરસ સામેની લડાઈના અગત્યના પગલારૂપે ચીને પણ વુહાનમાં સૌથી પહેલાં શાળાઓ બંધ કરી હતી.

ભૂતકાળના અનુભવો અને વર્તમાનમાં પણ થઈ રહેલા અનુભવોથી વિપરીત આપણે શા માટે પરીક્ષા લેવા માટે ઉતાવળા છીએ? ફ્રાન્સ, ચીન, ઈટાલી, યુનાઇટેડ કિંગ્ડમ, સહિત અનેક દેશોએ કોરોના સંક્રમણની વચ્ચે જ શાળાઓ ખોલવાની ઉતાવળ કરી. પરંતુ સંક્રમણ વધતાં ફરીથી શાળાઓ બંધ કરી દેવી પડી હતી. આપણા દેશમાં આ અનુભવોમાંથી શીખ લેવાના બદલે સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. અલબત્ત, યુ.જી.સી.એ કહ્યું છે કે સંપૂર્ણ કાળજી અને તકેદારી સાથે પરીક્ષા લેવામાં આવશે. જો કે આપણી પાસે એ પ્રમાણેની માળખાકીય સુવિધાઓ જ નથી કે શારીરિક અંતરનું વર્ગખંડમાં પાલન થઈ શકે. ઉપરાંત અનેક હૉસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યા છે, અનેક હૉસ્ટેલ બંધ છે. ત્યારે અન્ય વિસ્તારોમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન રહેવાની વ્યવસ્થા ક્યાં કરવામાં આવશે? જે વિદ્યાર્થીના કુટુંબમાં કોઈ કોરોનાથી સંક્રમિત થયું છે અથવા તો કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલાં હોય, તે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ શું પરીક્ષા આપવા માટે સ્વસ્થ હોઈ શકે ખરી? આવા પ્રશ્નોના જવાબ પરીક્ષા લેવા માટે ઉતાવળા તંત્ર પાસે નથી.

e.mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 11-12

Loading

29 July 2020 admin
← એકાકી રહેવું
હિંદુ રાષ્ટૃવાદે દેશ અને દેશની વિદેશનીતિને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved