Opinion Magazine
Number of visits: 9552752
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકડાઉનમાં લોકો (ગો)ડાઉન?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 May 2020

લોકડાઉન 4 ગુજરાતમાં 19મીથી લાગુ કરવાની વાત છે. ગુજરાતી ન્યૂઝ રીડરો લોકડાઉન ફોર પોઇન્ટ ઝીરો એવું બોલે છે. એટલે એમ માનવું પડે કે લોકડાઉન ફોર પોઇન્ટ વન, ફોર પોઇન્ટ ટુ, ફોર પોઇન્ટ થ્રી એમ ડિગ્રીઓમાં લાગુ પડતું હશે. ઠીક છે, ગુજરાતી ચેનલો ગુજરાતી બોલતી થશે ત્યાં સુધીમાં ગુજરાતની માતૃભાષા અંગ્રેજી થઈ જશે.

વાત છે લોકડાઉન ફોરની. તે મોડું પડ્યું. મુખ્યમંત્રી મીટિંગમાં વ્યસ્ત હતા. એમણે ઘણી મીટિંગ કરી. આમ પણ એ મીટિંગ માટે જાણીતા છે. એ કોઈક જ વાર મીટિંગ નથી કરતા. એમણે લોકડાઉન 3, 17મીએ પત્યો તે પહેલાં મીટિંગ કરી હોત તો લોકડાઉન 19મીથી લાગુ કરવાની નોબત ન આવી હોત, પણ હશે, વળી કોઈ મીટિંગમાં રોકાયેલા હશે. એમને ઘણાં કામ હોય છે, આપણી જેમ થોડું છે, ચોવીસ કલાક ઘરમાં! એમણે તો વિપક્ષને ય સાચવવાના ને કોઈ મંત્રી ગેરરીતિથી ચૂંટણી જીતે તો તેનો ઊહાપોહ ન થાય તે પણ જોવાનું.

વારુ, વીસ લાખ કરોડનું પેકેજ જાહેર થયું ત્યારે આશ્ચર્ય થયું કે 20 લાખ કરોડની કમાણી સરકારે કરી ક્યાંથી? બધું બંધ છે, જી.એસ.ટી.ની આવક નથી તો આ પેકેજ જાહેર થયું કયા જોર પર? કોઈને કૈં ખટાવવાનું ન હોય તો ઘોષણા થાય તે સમજાય, પણ આ તો આપવાની વાત પણ લાગે છે. એમાંથી 12 લાખ કરોડ તો લોકડાઉન 3 સુધીમાં અપાઈ પણ ગયા છે. એ કોને અપાયા તે તો સરકાર જ કહી શકે. એ ગજું તો ઇશ્વરનું ય નથી. વેલ, તેમાંથી ગુજરાતને કેટલું પહોંચશે તેની ચિંતા પણ મુખ્યમંત્રીએ તો કરવાની જ ને. એ પણ જોવાનું કે કોના ખાતામાં કેટલું પહોંચશે ને ખાતાં વધશે પણ કે ઘટશે? કોઈ મિત્રે એમ પણ દાખલો ગણ્યો કે એકેએકના ખાતામાં સરકાર માઈબાપ એક એક કરોડ જમા કરાવે તો પણ 135 કરોડની વસતિ માટે 135 કરોડ જોઈએ. તો,વીસ લાખ કરોડ જેવી ગંજાવર રકમમાંથી તો લાખો કરોડ વધે. મેં એ મિત્રને સમજાવ્યું કે એ સરકાર છે. 135 કરોડ પણ ન આપવા પડે ને વીસ લાખ કરોડ પણ વપરાય એવું ન વિચારે તો અર્થશાસ્ત્ર અનર્થશાસ્ત્ર પુરવાર થાય. કેટલાં બધાં ખાતાં હોય એ બધાંને સાચવવાના નહીં?

મને તો એમ પણ લાગે છે કે લોકડાઉન દરમિયાન જ ઘણા સીધા આડા ટેક્સ આપણને પતાવી દે એમ બને. બધાંને ખવડાવનારી સરકાર પોતે થોડી જ ભૂખી રહેવાની હતી!

એવું નથી બનવાનું કે કોઈ એમને એમ મદદ કરી દે. મદદ કરવાનો દેખાવ કરીને વસૂલ કેમ કરાય તે કોઈ અભણને ય શીખવવું પડે એમ નથી. જ્યારે આ તો સરકાર છે. જોવાનું એટલું જ કે જે ટેક્સ ભરે છે તે વેન્ટિલેટર પર ન મૂકાય. જે ચૂકવે છે તેને હાલ તો કોઈ આવક નથી ને રાહત પણ નથી. તેને લાઈટબિલ, ગેસબિલ, કોર્પોરેશનના વેરા, શાકભાજી, દાળચોખાના ખર્ચા તો ચાલુ જ છે. હા,બિલ ભરવાની તારીખો લંબાશે, પણ એ તો આજનું મોત કાલ પર નાખવા જેવું છે. એ પણ નથી સમજાતું કે પેકેજમાં ખરેખર રાહત શું છે? રોકાણની વ્યાખ્યાઓ બદલાઈ કે લોનની મુદ્દતો વધી ને લોન આપી આપીને દેવાદાર બનાવવા સિવાય મદદ ખરેખર શું ને કેટલી તે પ્રશ્ન જ છે.

જે જરૂરિયાતમંદ છે તે આમે ય મંદ છે. મંદીનું ને મંડીનું એ મૂળભૂત કારણ છે. એના તરફ ધ્યાન જાય તે બીજાની જરૂરિયાત પૂરી કરવા પણ જરૂરી છે. બાકી, સરકાર રોજ લાખો લોકોને અનાજપાણી પહોંચાડે જ છે. એ જુદી વાત છે કે તો ય લાખો લોકોને તે પહોંચતું નથી. એ જેને પહોંચતું હશે તે પહોંચી ન ગયા હોય તે ય માનવું પડે. તે વગર લાખો લોકો વતન જવા રસ્તા પર તો ન આવી જાયને!

આજના જ સમાચાર છે. હજારોની સંખ્યામાં શ્રમિકો બાંદ્રા ટર્મિનસ પર ઊતરી પડ્યા છે. સુરતથી 550થી વધારે ટ્રેનો શ્રમિકો માટે જ દોડી તો ય તેમાં ઘટાડો થતો નથી. હવે તો સવાલ થાય કે સુરતમાં કોઈ મૂળ પ્રજા છે કે આખું ભારત જ સુરતમાં ઠલવાયું છે.

વતન જવા જીવનું જોખમ ઉઠાવી લોકો પોલીસની લાઠી ખાવા તૈયાર થાય એ બતાવે છે કે એમને અહીં કામ નથી, આવક નથી, એમના માલિકો એમને વધારે ટેકો કરી શકે એમ નથી, કારણ એમને ય આવક નથી. એવામાં શ્રમિકોને સરકારની મદદ પહોંચે તો ફેર પડે. બાકી એમને બરાબર ખબર છે કે વતનમાં એમને માટે થાળી તૈયાર કરી રાખી નથી. ત્યાં પણ કામ શોધવાનું જ છે ને તે નથી મળવાનું. મળતું હોત તો અહીં સુધી ખેંચાવાની જરૂર જ ના ઊભી થઈ હોતને!

સુરતે શ્રમિકોને વતન મોકલવામાં રેકોર્ડ કર્યો. તેના મીડિયામાં મોટાં મથાળાં બંધાયાં. એમ પણ સાંભળ્યું છે કે રેલવેએ તો એમની પાસેથી ભાડું લીધું જ છે. એ જુદી વાત છે કે એમને સાંસદો કે અન્યોએ મદદ કરી હોય. વિચારવાનું એ રહે કે ટ્રેન, બસના ખર્ચ કરવાને બદલે શ્રમિકોને અહીં જ જરૂરી સામગ્રી મળી રહે એટલું થયું હોત તો વતન જવા શ્રમિકોએ આટલા ઉધામા કરવા ન પડ્યા હોત.

આ આવનજાવનને કારણે જે જોખમો ઊભાં થયાં છે તેનો ખ્યાલ સરકારને હશે જ. મુંબઈથી કચ્છ જનારા યાત્રીઓમાંથી 14 થી વધારે લોકો પોઝિટિવ નીકળ્યાં છે. બીજે પણ એવું થયાની વાત છે. એક વાત સ્પષ્ટ છે કે આવનજાવનથી ફેલાવો થાય જ છે ને રોજ સેંકડો કેસો વધે છે, તો આવી અવરજવર વધારવાનું ખરેખર અનિવાર્ય હતું ખરું? સુરતની વાત કરીએ તો ટેકસટાઇલ માર્કેટ શરતી રીતે લોકડાઉન 4માં શરૂ કરવાની વાત છે. શ્રમિકો મોટે ભાગના શહેર છોડી ગયા છે. એવામાં લાગે છે કે માર્કેટ કામ કરતી થશે?

અમીરો માટે એસી ટ્રેનો ચાલુ કરાઈ, શ્રમિકો માટે ટ્રેન, બસ સેવાઓ ચાલુ જ છે. રહી ગયો મધ્યમ વર્ગ. એણે શું કરવાનું? તો કે ઘરમાં રહેવાનું. આ લોકો જ રોગ ફેલાવે છે એમ માનવાનું છે? નહીંતર વગર ગુનાની જેલમાંથી એને ય પગ છૂટા કરવાની તક મળી હોતને!

એમ લાગે છે કે કોઈક સ્તરે તટસ્થતા જળવાતી નથી. રાજનીતિ પણ કોઈક સ્તરે પોતાની ભૂમિકા ભજવે જ છે. કેટલાંક લોકો કારણ વગર, કોઈ નિયમો પાળ્યા વગર રખડે જ છે. પાન, માવા, દારૂની દુકાનોમાં વેચાણ ચાલે જ છે. એ બધી કદાચ જીવન જરૂરી ચીજો હશે. પળાય છે ત્યાં પળાય જ છે ને નથી પળાતું ત્યાં નથી જ પળાતું. જે નથી પાળતાં એ લોકો જે પાળે છે એમને માટે જોખમ વધારી રહ્યાં છે એવું નથી લાગતું? જો લોકડાઉનમાં ઢીલ જ રહેવાની હોય તો ભગવાન ભરોસે છોડી દઈને બધું ચાલુ કરી દેવું જોઈએ, કારણ આપણે શિસ્ત પાળવામાં માનતા જ નથી ને એને લાયક પણ નથી. સુરતની જ વાત કરીએ તો રોજના સરેરાશ 35 જેટલા કેસો આવે છે. એમાં ઘટાડો થતો નથી. એ સ્થિતિમાં વ્યવહાર ચાલુ થાય તે કેટલું ઉપકારક નીવડશે તે વિચારવાનું રહે.

આપણે એને પણ લાયક નથી કે કોઈ આપણી સેવા, સારવાર કરે. કેટલા ય વિસ્તારોમાં પોલીસ ખડે પગે સેવા કરે છે ને એને આપણે અપમાનિત કરીએ છીએ. જેની કોઈ ચોક્કસ દવા નથી તેવા રોગ માટે દિવસ રાત જોયા વગર, જીવનું જોખમ વહોરીને ડોક્ટરો ને પેરા મેડિકલ સ્ટાફ સારવાર કરે છે ને આપણે તેમને બેશરમ થઈને પથરા મારીએ છીએ. જરા વિચારો કે ડોકટરો કે નર્સો કે અન્ય સ્ટાફ આપણી સેવા કે સારવાર કરવાની ના પાડી દે તો આપણી શું દશા થાય? આ બધું બધી જ રીતે વખોડવા લાયક છે.

અગાઉ ક્યારે ય નો'તી એટલી માનવજાત આજે મતલબી થઈ ગઈ છે ને મહામારી કરતાં એ વધારે ભયંકર છે ને જોખમી પણ!

e.mail : ravindra21111946@gmail.com

Loading

20 May 2020 admin
← નીંભર સરકારોના રાજમાં આત્મનિર્ભર થવાનો પડકાર
આ મુશ્કેલ સમયમાં (16) →

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved