Opinion Magazine
Number of visits: 9448840
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીનેહરુસરદાર : સ્વરાજત્રિપુટીનો ઉજાસ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|2 November 2013

ન તો એમની પ્રતિમા ઊંચાઈની મોહતાજ છે, ન તો એમની પ્રતિભા કોઈ હોદ્દાની મોહતાજ છે



ભર કાળીચૌદશે પણ આપણી કને શાયરનું એ આશ્વાસન અલબત્ત અકબંધ છે કે, રાતભર કા હૈ મહેમાં અંધેરા … પણ કાળી ડિબાંગ રાત્રિ અને અરુણિમ ઉષા, કેમ કરીને કાપવું એ બે વચ્ચેનું અંતર? ભારતવર્ષની સ્વરાજનિયતિ એ વાતે કંઈક ખુશકિસમતીનો અહેસાસ અવશ્ય કરી શકે કે એની કને ગાંધીનેહરુપટેલ શકે જેવી મળતાં મળે એવી એક સ્વરાજત્રિપુટીનું સુમિરન દિવાળીની દીપમાળ સરીખું છે.

હમણાં ગાંધીનેહરુપટેલ એ મળતાં મળે એવી ત્રયીનું નામ એકશ્વાસે લીધું; પણ આજકાલ સુરખીઓમાં તે પૈકી સવિશેષ કોઈ એક નામ હોય તો તે પટેલ કહેતાં સરદારનું છે. જ્યાં સુધી ભાજપનો સવાલ છે, એની મુશ્કેલી સમજી શકાય એવી છે. ગાંધીનેહરુપટેલ સામે સ્વરાજસંગ્રામ અને સ્વરાજનિર્માણ બેઉ સંદર્ભે મૂકી શકાય એવું કોઈ મોટું નામ સંઘ પરિવાર પાસે નથી. એટલે અખિલ હિંદ અપીલ ધરાવતી આદર્શમૂર્તિ‌ને મુદ્દે એને ફાંફાં છે. મુખરજી અંતે તો ચોક્કસ વર્તુળના અને સાવરકરને વળી ચોક્કસ વણછો. એટલે કરવું શું.

આ સંજોગોમાં જવાહરલાલના વિકલ્પે અને વિરોધમાં સરદારનું નામ સોમનાથની સાખે ખપ આવી શકે એવું ખસૂસ છે. કોંગ્રેસે કોંગી સુધીનું અંતર કાપવા દરમિયાન વચગાળાનાં કેટલાંક વરસો સરદારને કોરાણે મૂકીને ભાજપને હાઈજેકિંગ સારુ રન વે પણ ઠીક પૂરો પાડયો છે, પણ થાઉં થાઉં થનગન સૌને થોડીક હકીકતી સુધબુધ કાં તો સોમનાથનિર્માણ એક બિનવિવાદી સ્થળે થયું હતું, પણ એ હાથ ધરનાર સરદારે જ દેશના ગૃહમંત્રી તરીકે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને એવી તાકીદ કરવાપણું જોયું હતું કે વિવાદાસ્પદ સ્થળે કથિત રામમંદિરને તાળાબંધ જ રાખશો.

નેહરુ અને પટેલ, ગાંધીને બાજુએ રાખીને ભારતના ભાગલા તરફ વળ્યા ત્યારે નિર્ણયાત્મક પહેલ પટેલની હતી. નેહરુ-પટેલ બેઉનું કાળજું કકળતું હતું, પણ વાસ્તવદર્શી લોહપુરુષે અણગમતા ફેંસલાને પાકો કરી આપ્યો. પૂર્વ બંગાળથી પ‌શ્ચિ‌મ બંગાળમાં ચાલુ હિ‌જરતના સંજોગોમાં ભારત-પાક. સમજૂતીની જરૂરત જાણી પ‌શ્ચિ‌મ બંગાળને શાંત પાડી વિશ્વાસમાં લેવાની જવાબદારી નેહરુ વતી ભાંગલી તબિયતે પણ સરદારે પાર પાડી. ગાંધીએ બંગાળમાં બજાવેલી અનન્ય શાંતિસેવાનું એક અર્થમાં આ વહીવટી વહેવારુ પાસું હતું મુસ્લિમબહુલ કાશ્મીર ખીણનું પાકિસ્તાનમાં જવું સરદારને આરંભે સહજ લાગ્યું હશે. કંઈ નહીં તો પણ એ તે અંગે તટસ્થ અને ઉદાસીન હતા.

અલબત્ત, કબાઈલી મહોરા સાથેની પાક. આક્રમણ ચેષ્ટા પછી એમની કડકાઈ પણ એવી જ હતી. બંધારણમાં લઘુમતીઓના અધિકાર સરદારની પૂરી હિ‌સ્સેદારી અને દરમિયાનગીરીથી અંક્તિ થયા હતા, પણ સરદારના ખાસ ટેકેદારોને અને ખાસ પ્રકારના ટીકાકારોને, બેઉને આ અંગે કશી કદરબૂજ નથી. ભાગલા તરફ લઈ ગયેલાં એ વરસો આપણા ઇતિહાસનો એક એવો નાજુકનિર્ણાયક તબક્કો હતો જ્યારે હિંદુ મહાસભાને મતે ગાંધીનેહરુપટેલની કોંગ્રેસ એક મુસ્લિમતરફી જમાવડો હતી તો મુસ્લિમ લીગને મતે તે એક હિંદુ સંસ્થા હતી.

૧૯૪૭થી ૧૯પ૦ના પ્રજાસત્તાક બંધારણનાં નિર્માણ-વર્ષોમાં સરદાર જે જે સમજ પર કાયમ હતા એ કોઈકે ભાગવત, અડવાણી, મોદીને સંભારી આપવા જોગ છે : હિંદુ રાષ્ટ્ર એક 'પાગલ ખયાલ’ છે. ગાંધીહત્યા પછી સંઘ ઉપર પ્રતિબંધ મૂક્યો ત્યારે, ઊઠયો ત્યારે અને તે પછી સરદાર એ સમજ પર કાયમ હતા કે હિંદુ મહાસભાની એક પાંખ આમાં સીધી સંડોવાયેલી છે અને સંઘે ફેલાવેલી ઝનૂન વિચારધારા છેવટે ગાંધીને ભરખી ગઈ છે. ભાગલાનું અને વેરઝેરનું રાજકારણ ખેલતા મુસ્લિમો વિશે નો-નોન્સેન્સ પેશ આવી શકતા સરદાર ગાંધીહત્યા પાછળનાં પરિબળો વિશે પણ એટલા જ નો-નોન્સેન્સ હોઈ શકતા હતા.

છેલ્લા ત્રણ દાયકામાં શાહબાનુ ચુકાદાને ઊલટાવવાની તેમ જ રામમંદિરનાં તાળાં ખોલવાની, આ બેઉ કોંગી ચેષ્ટાઓ અને અડવાણીના નેતૃત્વમાં ઊભરેલો અયોધ્યાજ્વર આદિ ઘટનાઓ વાસ્તવદર્શી સરદારના કિસ્સામાં કે પ્રામાણિક મતભેદો વચ્ચે નરવીગરવી એકંદરમતી વિકસાવી શકતી ગાંધીનેહરુપટેલ એ સ્વરાજત્રિપુટીના હિ‌સ્સામાં કલ્પી શકાતી નથી : સરદાર માટેનો ભાજપી વિશેષાધિકાર દાવો અગર તો એ અમારા પક્ષના સભ્ય હતા એવો તાજેતરનાં વરસોનો કોંગ્રેસનો દાવો, બેઉ એટલે સ્તો ભોંઠા પડે છે.

સરદારની જેમ જ પોતે કોંગ્રેસમેન હોવાનો ગર્વ ધરાવતા મનમોહનસિંહે ગાંધીનેહરુપટેલ એકંદરમતીના ઉજાસમાં જોવાતપાસવાપણું બેલાશક છે. આવી એકંદરમતીમાં બધાને બધું આપી શકાતું નથી. પૂરો ન્યાય આપવાનો અને મૂળગામી સમાધાનનો કોઠો પણ ધાર્યો વીંધાતો ન હોય એવું બની શકે. આપણે જોવું એ રહે કે વહેવાર અને આદર્શના સંગમસ્થળે બની આવતી લાગતી રચના ન્યાય ભણી ઝૂકતી છે, કે પછી અન્યાય પરનો ઢાંકોઢૂંબો. આવી એકંદરમતીમાં વિભાજક અને વિષાકત કોમી ધ્રુવીકરણની રાજનીતિને અવકાશ ન હોય એ દેખીતું છે … દિવાળીના પૂર્વદિવસે અપેક્ષા સ્વરાજત્રિપુટી રૂપ દીપ-સ્મરણની.



પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.


(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 02 નવેમ્બર 2013)


Loading

2 November 2013 admin
← ‘મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો’
Diwali →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved