વતન છોડીને આવી ગયો પરદેશમાં,
ઠરીને ઠામ ન થઈ શક્યો પરદેશમાં.
પદ મેળવ્યું, મેળવી પ્રતિષ્ઠા પણ થોડી,
નીંદર નિરાંતે ન મેળવી શક્યો પરદેશમાં.
ઘર બન્યું અને ગૃહસ્થી પણ બની ગઈ,
વતનનું ખોરડું ન ભૂલી શક્યો પરદેશમાં.
અલબત્ત આરામની જિંદગી જીવી રહ્યો છું,
‘હાશ’ ની પ્રતિતી ન કરી શક્યો પરદેશમાં.
‘મૂકેશ’ કમી નથી અહીંયા ભૌતિક સુખોની,
બસ, ઈચ્છિત મોત ન પામી શક્યો પરદેશમાં.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mail : mparikh@usa.com
![]()


હવે જો એક ઈશ્વર, એક પેગંબર અને એક ધર્મગ્રંથ આધારિત અને હિંદુ ધર્મ કરતાં તો પ્રમાણમાં અનેક ગણા સંગઠિત ધર્મોની અનુયાયી પ્રજાને એક ખીલે બાંધવી શક્ય ન બનતી હોય તો હિંદુઓ માટે તો એ ક્યાંથી શક્ય બનવાનું. આ સિવાય દયાનંદ સરસ્વતીનો નિષ્ફળ પ્રયોગ સામે છે. તો પછી હિંદુઓને સંગઠિત કરવાનો ઉપાય શો?


