દાદા માટે અયોધ્યા હતું અજોધ્યાજી,
ફઈબા માટે પણ અયોધ્યા અજોધ્યાજી,
બીજાઓ તો ઠીક
ઘાણીએથી તેલનો ડબ્બો મૂકવા આવતાં
મામદઘાંચી માટે પણ અજોધ્યાજી
પિતાલલાને પગે હાથ રાખી કહેતાં અજોધ્યાજી
આસ્થાના આ નિરંતર લોકમાં વિચરતાં
આ સૌ માટે ક્યાં શક્ય હતું,
‘જી’ લગાવ્યા વિના ઉચ્ચારવું.
રામની નગરીનું નામ.
જેઓ ભણેલાગણેલા નથી,
નથી જેમની પાસે કોઈ હોદ્દો,
પરંતુ જેઓ વસ્તુઓને ભાવથી જુએ છે,
એ સૌ માટે અયોધ્યા અયોધ્યા નહીં
આજ પણ છે અયોધ્યા,
અજોધ્યાજી.
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરુચ, ૩૯૨ ૦૧૫.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 16
![]()


ડાહ્યાભાઈ લેખક કરતાં કવિ તરીકે વધુ પ્રખ્યાત છે કેમ કે એ એમના નામની આગળ હંમેશ કવિ લખતા. 'દિનેશ’નું ઉપનામ શા માટે ચૂંટ્યું એની ઝાઝી ખબર નથી.
યુગાન્ડામાં હતા ત્યારે પણ એમનું સાહિત્યસેવન, લેખન, સાહિત્યકારોનું બહુમાન અને સાહિત્યિક કાર્યક્રમ માટે પ્રોત્સાહન એમના વ્યક્તિત્વનું હૃદયસ્પર્શી પાસું હતું. કમ્પાલામાં તેમણે 'જાગૃતિ’ નામનું માસિક શરૂ કર્યું અને ચલાવ્યું. એમની વાર્તાઓનો વિશેષાંક તૈયાર કરાવ્યો હતો, તેને કદાચ આપણે ગુજરાતી સાહિત્યનો પહેલો ડાયાસ્પોરિક વાર્તા વિશેષાંક ને સંગ્રહ ગણી શકીએ.
